Why not mix baking soda with turmeric
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

બેકિંગ સોડા એ રસોડામાં વપરાતી મુખ્ય સામગ્રીમાંથી એક છે. ઘણીવાર સ્ત્રીઓ કપકેક, કેક, કૂકીઝ અને અન્ય બેકડ વસ્તુઓ બનાવવા માટે ખાવાના સોડાનો ઉપયોગ કરે છે. જ્યારે, હળદરનો ઉપયોગ મુખ્યત્વે ખોરાકમાં સ્વાદ અને રંગ લાવવા માટે થાય છે.

હળદર વગર વાનગીઓનો સ્વાદ અને રંગ બંને ફિક્કો પડી જાય છે. રસોડા સિવાય આ બંને વાસ્તુના સ્વાસ્થ્યને લગતા ફાયદા પણ છે. પરંતુ શું તમે જાણો છો કે ખાવાનો સોડા અને હળદરનો ઉપયોગ રાંધણ અને સ્વાસ્થ્ય લાભ માટે એકસાથે કરવામાં આવતો નથી. આવો જાણીએ શેફ રણવીર બ્રાર પાસેથી.

હળદર અને ખાવાનો સોડા શા માટે એકસાથે મિક્સ ન કરવો જોઈએ?

તાજેતરમાં, શેફ રણવીર બ્રારે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેણે સમજાવ્યું છે કે હળદર અને બેકિંગ સોડાને એકસાથે કેમ મિક્સ ન કરવું જોઈએ. ઘણીવાર લોકો ઘરે ઢોકળા બનાવતી વખતે બેકિંગ સોડા અને હળદરનો એકસાથે ઉપયોગ કરે છે. જે લોકો રસોડામાં રસોઈ બનાવતી વખતે હળદર અને ખાવાનો સોડા એકસાથે વાપરે છે તેઓને ખબર હશે કે બેકિંગ સોડા અને હળદરને એકસાથે મિક્સ કરવાથી શું થાય છે?

શેફ રણવીર બ્રાર શું કહે છે?

શેફ રણવીરે જણાવ્યું કે જ્યારે હળદર અને બેકિંગ સોડાનો એક સાથે બેટરમાં ઉપયોગ કરવામાં આવે ત્યારે બંને એકસાથે રિએક્ટ કરે છે અને બંનેની કેમિકલ્સ પ્રતિક્રિયાથી બેટરનો રંગ લાલ થઈ જાય છે. આથી બંનેનો એકસાથે ઉપયોગ ન કરવો જોઈએ.

 

View this post on Instagram

 

A post shared by Ranveer Brar (@ranveer.brar)

જો તમે આ બંનેનો એકસાથે ઉપયોગ કરશો તો બેટરનો રંગ પીળોથી લાલ થઈ જશે. તેથી બંનેનો એકસાથે ઉપયોગ કરવાનું ટાળો. તમે આ બંને ઘટકોનો અલગથી ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ બેકિંગ સોડાના કેટલાક કુકિંગ હેક્સ જેનો તમે તમારા રસોડામાં ઉપયોગ કરી શકો છો.

ખાવાના સોડા માટે કિચન ટિપ્સ

બેકિંગ સોડાનો ઉપયોગ ઓમેલેટને વધારે સ્પૉન્ગી અને ફ્લફી બનાવવા માટે કરી શકાય છે. આ માટે 3 ઈંડામાં 1/2 ચમચી ખાવાનો સોડા મિક્સ કરો, તેનાથી ઓમેલેટ વધુ ફ્લફી બનશે.
એસિડિટીથી રાહત મેળવવા બેકિંગ સોડાનો ઉપયોગ કરો. ટામેટાની વાનગીમાં એક ચપટી ખાવાનો સોડા ઉમેરો અને તેનું સેવન કરો.

આ પણ વાંચો : તમે રસોઈ સિવાય ખાવાના સોડાનો ઉપયોગ આ રીતે ક્યારેય નહિ કર્યો હોય, જાણો તેના 10 ઉપયોગો

બેકિંગ સોડાનો ઉપયોગ બેટરને ખમીર કરવા અને તેને સ્પંજી બનાવવા માટે થાય છે. જ્યારે પણ તમે ઈડલી, ઢોસા, ઢોકળા અથવા કેક બનાવો ત્યારે ચોક્કસ માત્રામાં ખાવાનો સોડાનો ઉપયોગ કરો. બેકિંગ સોડાનો ઉપયોગ ચીકાશ કે ડાઘ દૂર કરવા માટે પણ કરી શકાય છે.

આ પણ વાંચો : આ 10 રીતે કરો બેકિંગ સોડાનો ઉપયોગ || બેકિંગ સોડા ના ફાયદા

અમને આશા છે કે શેફ રણવીર બ્રારે આપેલી આ માહિતી તમને પસંદ આવી હશે અને ઉપયોગી થશે. આવી વધુ કિચન ટીપ્સ અને હેક્સ સંબંધિત લેખો વાંચવા માટે, રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો. જો તમને આ લેખ ગમ્યો હોય, તો પછી તેને લાઇક અને શેર કરો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા