ung na aaave to shu karvu
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમને રાત્રે ઊંઘ નથી આવતી? શું તમે રાત્રે જાગી જાઓ છો અને પછી ફરીથી સૂવું મુશ્કેલ બની જાય છે? ના ઈચ્છતા હોવા છતાં સવારે વહેલા જાગી જાઓ છો? જો આ બધી સમસ્યા થોડા દિવસો અથવા અઠવાડિયા કે લાંબા સમયથી સતત છે તો તમે સમજી જાઓ કે અનિદ્રાનો શિકાર બની ગયા છો.

આજકાલ દરેક ઉંમરના વ્યકતિએ ઊંઘ ના આવવાની સમસ્યાથી પરેશાન થઇ રહ્યા છે અને સારી ઊંઘ મેળવવા માટે મહિલાઓ ઊંઘની ગોળીઓની મદદ પણ લે છે. પરંતુ શું તમે જાણો છો કે ઊંઘની ગોળીઓ લેવાથી શરીર પર ઘણી આડ અસર થઈ શકે છે. તેથી તમારે ઊંઘ ના આવતી હોય તો ભૂલ થી પણ ઊંઘની ગોળીઓ ના લેવી જોઈએ.

જો તમને પણ રાત્રે સારી ઊંઘ નથી આવતી તો તમારે ઊંઘની ગોળીઓ લેવાની કોઈ જરૂર નથી કારણ કે આ સમસ્યાને આયુર્વેદિક નુસખાથી દૂર કરી શકાય છે. આ આયુર્વેદિક ઉપાયથી તમે સૂતાની સાથે 4 જ મિનિટમાં ઊંઘી જશો.

આ નુસ્ખાની સૌથી સારી વાત એ છે કે તેને લેવાથી તમારા શરીર પર કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી અને તે આ ઉપાય ખૂબ જ સસ્તો અને સરળતાથી કરી શકાય છે. તો ચાલો જાણીએ આવા આયુર્વેદિક ઉપાયો વિશે જે તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે, જેને લેવાથી તમને 4 મિનિટમાં સારી અને ગાઢ ઊંઘ આવી જશે.

ઊંઘ લાવવા માટેનો નુસખો : અશ્વગંધા અને સર્પગંધા સમાન માત્રામાં પીસીને પાવડર બનાવી લો. હવે રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ પાણી સાથે ચારથી પાંચ ગ્રામ આ ચૂર્ણને લો. આ આયુર્વેદિક ઉપાયથી તમને સારી અને ગાઢ ઊંઘ આવી જશે.

હવે માત્ર અશ્વગંધા અને સર્પગંધા જ શા માટે? પ્રાચીન સમયથી અશ્વગંધા આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવી રહી છે. તે ઔષધીય ઉપયોગો ધરાવતું વૃક્ષ હોવાનું માનવામાં આવે છે. તે શરીરને ચુસ્તી સ્ફૂતિ પ્રદાન કરે છે.

અશ્વગંધાને એક ટોનિક કહેવામાં આવે છે કારણ કે તે શારીરિક ક્ષમતા અને આરોગ્યવૃદ્ધિ કરનારું છે. અશ્વગંધાને અંગ્રેજીમાં ઈન્ડિયન જિનસેંગ કહેવામાં આવે છે. અશ્વગંધા વૃક્ષ અને તેના ઔષધીય ગુણધર્મોને પરંપરાગત ચાઈનીઝ દવા અને આયુર્વેદ બંનેમાં વર્ણવવામાં આવ્યા છે.

અશ્વગંધા કુદરત તરફથી મળેલું એવું એક વરદાન છે કે જેનો ઉપયોગ આપણે અનેક પ્રકારના રોગો અને સુંદરતા વધારવા માટેની પ્રોડક્ટમાં કરવામાં આવે છે. તણાવ, ચિંતા, થાક, ઊંઘની ઉણપ જેવી સમસ્યાઓનો ઉપચાર અશ્વગંધાથી કરી શકાય છે. તે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલનું સ્તર ઘટાડે છે જેનાથી તણાવ ઓછો થાય છે.

અનિદ્રાથી પીડાતી મહિલાઓ માટે ભારતીય સર્પગંધા એક સરળ અને સસ્તો ઉપાય છે. ભારતીય સર્પગંધા શરીરને આરામ આપવા, શાંત કરવા અને ઊંઘ માટે ખુબ જ સારું છે. તે અનિદ્રા, બેચેની અથવા સામાન્ય થાકથી પીડિત મહિલાઓને તેમના નિયમિત કાર્યો કરવા માટે સક્ષમ બનાવે છે.

આ સિવાય પણ બીજા ઘણા કારણો તમને સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે, જેમ કે હાથ-પગને બરાબર સાફ કરો અને સૂતા પહેલા પગના તળિયાની માલિશ કરો. માલિશ કરવાથી રક્ત પરિભ્રમણ સુધરે છે અને થાક દૂર થાય છે.

સારી ઊંઘ માટે દરરોજ સૂતા પહેલા તળિયાની માલિશ કરવાથી તમારી ઊંઘની સમસ્યા દૂર થઈ જશે. જો કે આ નુસખા સંપૂર્ણપણે કુદરતી વસ્તુઓમાંથી બનાવવામાં આવી છે પરંતુ તેને લેતા પહેલા એકવાર નિષ્ણાતની સલાહ જરૂરથી લો. કારણ કે દરેક વ્યક્તિનું શરીર અલગ અલગ હોય છે.

જો તમને આ જાણકારી ગમી હોય તો આવી જ બીજી જીવન ઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા આસાથે જોડાયેલા રહો. અહીંયા તમને આવી જ કિચન ટિપ્સ, અવનવી રેસિપી, બ્યુટી ટિપ્સ અને યોગા સબંધિત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા