things to put under your pillow
image credit- freepik
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

જ્યોતિષ શાસ્ત્રમાં કેટલીક એવી બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે જેની આપણા જીવન પર ઘણો મોટો પ્રભાવ પડે છે. તેવી જ રીતે જ્યોતિષશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે જ્યારે વ્યક્તિ રાત્રે ઊંઘે છે, ત્યારે તેની શક્તિ સૌથી વધુ ખર્ચ થાય છે.

સૂતી વખતે વ્યક્તિનું શરીર ઘણી માનસિક અને શારીરિક અવસ્થાઓમાંથી પસાર થાય છે અને નવા દિવસની શરૂઆત માટે તૈયાર થાય છે. શાસ્ત્રોમાં એવી કેટલીક અસરકારક વસ્તુઓનું વર્ણન કરવામાં આવ્યું છે જેને સૂતી વખતે ઓશિકા નીચે રાખવાથી તમારું ભાગ્ય બદલાઈ શકે છે.

એવું માનવામાં આવે છે કે માથાની નીચે રાખવામાં આવેલ ઓશીકું તમને ભવિષ્યમાં ધનવાન બનાવી શકે છે. આવો જાણીએ કે જ્યોતિષ અને વાસ્તુ નિષ્ણાત મુજબ કઈ વસ્તુઓને તકીયાની નીચે રાખીને સૂવાથી તમારી કિસ્મત બદલાઈ શકે છે.

(1) મોર પીંછ : મોરનું પીંછ ઘર માટે ખૂબ શુભ માનવામાં આવે છે અને તેને ઘરમાં રાખવાથી વ્યક્તિને ઘણા આર્થિક લાભ થઇ શકે છે. એ જ સમયે જ્યોતિષ શાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે જો તમે સૂતી વખતે તમારા ઓશીકાની નીચે મોરનું પીંછું રાખો છો તો જીવનમાં પૈસા અને અનાજ સબંધિત તમામ સમસ્યાઓ દૂર થઇ શકે છે.

આવી સ્થિતિમાં વ્યક્તિનું ભાગ્ય તેને હંમેશા તેનો સાથ આપતું રહે છે. સવારે ઉઠીને તમારે તકિયાની નીચે રાખેલા મોર પીંછના દર્શન જરૂર કરો, તેનાથી તમને ફાયદો થશે અને તમને ભરપૂર સકારાત્મક ઉર્જા મળશે.

(2) તુલસીના પાન : હિંદુ ધર્મમાં તુલસીના પાનને પવિત્ર માનવામાં આવે છે અને તેનો ઉપયોગ ઘણી દવાઓમાં પણ થાય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે સૂતી વખતે તુલસીના પાનને તકિયા નીચે રાખો છો તો તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા બની રહે છે અને તમારું મન દરેક કામમાં લાગેલું રહે છે.

જો તમે સવારે ઉઠ્યા પછી આ તુલસીના પાન ખાશો તો તમને નકારાત્મક ઉર્જાથી છુટકારો મળશે અને પૈસાની બાબતમાં તમારી કિસ્મત પણ બદલાઈ શકે છે. પરંતુ તમારે સૂર્ય આથમ્યા પછી તુલસી ક્યારેય ના તોડવી જોઈએ.

(3) લસણની એક કળી : જેટલા જલ્દી પૈસા હાથમાં આવે છે તેટલા જલ્દી જતા પણ રહે છે. એવું કહેવાય છે કે જો તમે સૂતી વખતે તમારા ઓશિકા નીચે એક લસણની કળી રાખો છો તો તે તમારા સૌભાગ્યનું પ્રતીક બની શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ધનમાં ઘણો લાભ થાય છે.

(4) 1 રૂપિયાનો સિક્કો : સૂતી વખતે ઓશિકા નીચે 1 રૂપિયાનો સિક્કો રાખવાથી તમને ધન અને ધાન્યની અસીમ કૃપા થાય છે. સૂતી વખતે એક રૂપિયાનો સિક્કો તકિયા નીચે રાખો અને સવારે તે સિક્કો કોઈ ગરીબને આપી દો. સૂતી વખતે આ સિક્કો રાખવાથી પૈસાની સમસ્યા ધીરે ધીરે ખતમ થઈ જાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જા આવે છે.

(5) હળદરની ગાંઠ : જ્યોતિષશાસ્ત્રમાં હળદરની ગાંઠને ગુરુ ગ્રહનો કારક માનવામાં આવે છે અને તેને ભાગ્ય, સન્માન, સંપત્તિ અને દાંપત્ય જીવનનો કારક ગ્રહ કહેવામાં આવે છે. આવી સ્થિતિમાં, જો તમારી કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય, તો સૂતી વખતે તમારા ઓશિકા નીચે પીળા કપડામાં હળદરની ગાંઠ બાંધીને સૂઈ જાઓ.

આમ કરવાથી ગુરૂ ગ્રહ શુભ ફળ આપે છે અને તમારા માટે નોકરીની તકો ઉભી કરે છે. આ ઉપરાંત તે ધનમાં પણ વધારો કરે છે. જો તમે પણ આ વસ્તુઓને સૂતી વખતે ટાકિયા નીચે રાખશો તો તમને ભવિષ્યમ ક્યારેય ધનની કમી નહીં રહે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા