kerosine no upyog
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજના સમયમાં પેટ્રોલ અને ડીઝલની વધતી જતી માંગને કારણે બધા લોકો કેરોસીન તેલ ભૂલી ગયા છે. પરંતુ થોડા વર્ષો પહેલા કેરોસીન દરેકના ઘરમાં હતું. આજે પણ અનેક ગામડાઓમાં કેરોસીનનો સૌથી વધુ મહત્વ આપવામાં આવે છે.

આજે પણ ગામના ઘણા લોકો કેરોસીનનો ઉપયોગ દીવો કે ફાનસ પ્રગટાવવા કે રસોઈ રાંધવા માટે અને ઘરની ઘણી સમસ્યાઓના નિરાકરણ માટે કરે છે. આજે આ લેખમાં અમે તમને કેટલીક એવી ટિપ્સ જણાવીશું જેની મદદથી તમે આ 4 વરસાદી સમસ્યાઓને દૂર કરી શકો છો.

કીડીઓની તકલીફ

વરસાદની ઋતુમાં સૌથી મોટી પરેશાની કીડીઓની છે. ક્યારેક ગટરમાંથી કીડીઓ ઘરમાં આવે છે, ક્યારેક બાથરૂમમાંથી જે રસોડામાંથી તો ક્યારેક બીજી જગ્યાએથી ઘરમાં આવી જાય છે. આવી સ્થિતિમાં જો તમે વરસાદની ઋતુમાં ઘરમાં કીડીઓથી પરેશાન થઇ રહયા છો તો કેરોસીનનો ઉપયોગ કરો.

આ માટે એક લિટર પાણીમાં એક કપ કેરોસીન મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરો. હવે કીડીવાળા અથવા કીડીઓ આવે ત્યાં સ્પ્રે કરો. આ એકમ દિવસમાં 2 વાર કરો. તેની તીવ્ર ગંધને કારણે કીડીઓ ક્યારેય ઘરમાં નહીં આવે.

આ પણ વાંચો: ચોમાસુ કિચન ટિપ્સ: જે તમારા રસોડાના દરરોજના કામને અડધું નાખશે

છોડની સંભાળ રાખવા

વરસાદની ઋતુમાં ઘરમાં કીડીઓની સાથે અનેક જીવજંતુઓ પણ જોવા મળે છે જેના કારણે છોડ મરી જાય છે. ઘણી વખત વરસાદની ઋતુમાં સફેદ ફૂગ છોડ પર આવી જાય છે, તેથી છોડથી જંતુઓને દૂર રાખવા માટે કેરોસીનનો ઉપયોગ કરી શકો છો.

આ માટે સૌ પ્રથમ કેરોસીન અને એક લીટર પાણી સારી રીતે મિક્સ કરીને સ્પ્રે બોટલમાં ભરીને છોડની આસપાસ સારી રીતે સ્પ્રે કરો. આમ કરવાથી છોડ પર કોઈપણ પ્રકારના જીવજંતુઓ નહીં લાગે. છોડ પર આ સ્પ્રેનો છંટકાવ ના કરશો.

કાટ દૂર કરો

વરસાદની ઋતુમાં પાણી પડવાને અથવા સ્પર્શ થવાને કારણે લોખંડના દરવાજા અને બારી પર કાટ લાગી જાય છે. ઘણી વાર કાટ લાગવાને કારણે બારી દરવાજા ખુલતા અને બંધ થતા નથી. આ સમસ્યાને મિનિટોમાં દૂર કરવા માટે તમે કેરોસીનનો ઉપયોગ કરી શકો છો.

આ માટે કાટવાળી જગ્યા પરથી પાણીને સાફ કરો. હવે કાટ લાગેલી જગ્યા પર કેરોસીન લગાવીને થોડી વાર રહેવા દો. થોડી વાર પછી તેને સેન્ડપેપરથી ઘસો. તેનાથી કાટ મિનિટોમાં સરળતાથી દૂર થઈ જશે.

આ કામોમાં પણ કેરોસીનનનો ઉપયોગ કરી શકાય છે

તમે વરસાદની ઋતુમાં કેરોસીન નો ઉપયોગ લાકડાના ફર્નિચરમાં કોઈપણ પ્રકારના જંતુ જોવા મળે તો તમે તેનાથી છુટકારો મેળવવા માટે કેસોરીનનો ઉપયોગ કરી શકો છો. આ સિવાય ગટરમાંથી આવતી દુર્ગંધ, મચ્છર અથવા જીવજંતુઓને દૂર કરવા માટે કેરોસીનનો ઉપયોગ કરી શકાય છે.

જો તમને આ જાણકરી પસંદ આવી હોય તો તમે પણ આ સરળ ઉપાય કરી શકો છો. આવી જ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા