બગીચામાં અનેક ફૂલો ખીલેલા હોય અને ફળના છોડમાં અનેક ફળો લાગેલા હોય તો આપણું મન ચોક્કસ પ્રસન્ન થાય છે. ઘણા લોકોને ગાર્ડનિંગ કરવું ગમે છે, પરંતુ તેઓ સમજી શકતા નથી કે તેમના બગીચાની જાળવણી કેવી રીતે કરવી. અહીં એક વાત સમજવા જેવી છે કે ઘણી વખત લોકો બગીચામાં ઘણી બધી વસ્તુઓનો ઉપયોગ કરે છે અને ઘણા પૈસા પણ ખર્ચ કરે છે, પરંતુ તે પછી પણ તેમને ઇચ્છિત પરિણામ મળતું નથી.
બગીચાની સંભાળ લેવા માટે ઘણા પૈસા ખર્ચવાની જરૂર નથી પરંતુ કેટલીક સ્માર્ટ ટિપ્સની જરૂર પડશે. જો તમે ઓછા બજેટમાં તમારા બગીચાનો રંગ બદલવા માંગો છો, તો ચાલો તમને કેટલીક ટિપ્સ જણાવીએ.
સેલ્ફ વોટરિંગ પ્લાન્ટ (ટપક સિંચાઈ જેવું)
જો તમે તમારા બગીચાને વારંવાર પાણી આપવાનું ભૂલી જાઓ છો, તો તમે ઘરમાં પડેલી જૂની બોટલોમાંથી સ્વ-વોટરિંગ પ્લાન્ટર બનાવી શકો છો. આ માટે તમારે વધારે મહેનત નહિ કરવી પડે અને જો તમારી પાસે કાચની બોટલ જેવી જૂની વાઇનની બોટલો હોય તો તે વધુ સારી સાબિત થશે.
શુ કરવુ?
આના માટે તમારે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નહીં પડે, માત્ર માટીમાં નીતરતી કરવાની છે.
કરવાનું એ છે કે બોટલમાં પાણી ભરીને, તેને પોટમાં (ગમલામાં) અથવા છોડના મૂળ પાસે જમીનમાં ઊંધું દાટી દેવાનું છે, એટલે કે બોટલનું મોં જમીનની અંદર હોવું જોઈએ.
આવી સ્થિતિમાં જેમ જેમ પાણી સુકાઈ જશે તેમ તેમ બોટલનું પાણી જમીનમાં શોષાતું રહેશે. જો કે, આ ફક્ત એવા છોડ પર કરો કે જેને હંમેશા ભેજની જરૂર હોય છે કારણ કે આ પછી છોડ હંમેશા ભેજવાળા રહેશે.
નોંધઃ અહીં ધ્યાન રાખો કે બોટલનું ઢાંકણું બંધ હોવું જોઈએ અને તેમાં એક નાનું કાણું પાડવાનું છે, જેથી થોડું થોડું પાણી છોડના મૂળમાં પડતું જાય.
નાના છોડ માટે તજ પાવડર
જ્યારે પણ નાના છોડની વાત આવે ત્યારે ફૂગના કારણે તે બગડી જવાનો ભય રહે છે. નાના છોડ જંતુઓ અને ફૂગ વગેરેને કારણે ઝડપથી બગડે છે. આવી સ્થિતિમાં, તજ પાવડર તમારા માટે ઉપયોગી થઈ શકે છે, જેના એક પેકેટની કિંમત 50 રૂપિયાની આસપાસ હશે. આ માટે, નાના છોડ પર થોડો તજ પાવડર છાંટવો. હા, તેમાં વધારે ન નાખો નહીંતર છોડ બગડી શકે છે.
છોડના વિકાસ માટે કોફીના બીજ
તમને કોઈપણ સામાન્ય સ્ટોર પરથી કોફીના બીજ મળી જશે અને તેની મદદથી તમે તમારા છોડને ફળદ્રુપ કરી શકો છો અને કીડીઓ અને જીવ જંતુઓ પણ દૂર કરી શકો છો. તેનો ઉપયોગ હંમેશા એસિડિક છોડ માટે કરવો જોઈએ જેને નાઈટ્રોજનથી ભરપૂર ખાતર પસંદ હોય છે .
શુ કરવુ?
અહીં કોફી ગ્રાઉન્ડની જરૂર પડશે. જો તમે કોફી મશીનમાં કોફીના બીજ નાખો અને તેની મદદથી કોફી બનાવો, તો બાકીનો કચરો કોફી ગ્રાઉન્ડ્સ કહેવાય છે. તેને ફક્ત માટી સાથે મિક્સ કરો. તે ખાતર અને જંતુનાશક બંને તરીકે કામ કરશે.
સફેદ વિનેગરથી નીંદણથી છુટકારો મેળવો
તમે સફેદ વિનેગરની મદદથી તમારા બગીચામાં નીંદણ દૂર કરવાનું કામ કરી શકો છો. હકીકતમાં, આ સફેદ વિનેગર બગીચાના છોડને ખૂબ સારી રીતે સાફ કરી શકે છે. ના-ના, તેને છોડમાં ન નાખો, પરંતુ તે નીંદણ માટે છે.
શુ કરવુ?
આ છોડમાં થોડું સફેદ વિનેગર નાખો અને પછી જુઓ જાદુ. આ નીંદણના નાના નાના છોડ તેમના પોતાની જાતે જ મરી જશે અને તમારે અન્ય કોઈપણ પ્રકારની જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવાની જરૂર રહેશે નહીં.
ડુંગળીના ફોતરાંનું ખાતર
તમારા બગીચામાં ફૂલો અને ફળોની ઉપજ વધારવા માટે તમે હંમેશા ડુંગળીના છાલના ખાતરનો ઉપયોગ કરી શકો છો.
શુ કરવુ?
ડુંગળી અને લસણની છાલને ત્રણ દિવસ પાણીમાં પલાળીને રાખો. ત્યાર બાદ આ પાણીને ગાળીને ત્રણ લીટર પાણીમાં મિક્સ કરો અને તે પાણીને તમારા છોડમાં મિક્સ કરો. આ છોડના વિકાસમાં વધારો કરશે. તમે દર 15-25 દિવસે તેનો ઉપયોગ કરી શકો છો.
50 રૂપિયાથી ઓછામાં ગાર્ડન કેવી રીતે સજાવશો?
- હવે તમને 50 રૂપિયા કરતા ઓછા ખર્ચે છોડના વિકાસ માટે ઘણી ટિપ્સ આપવામાં આવી છે, પરંતુ તમે એ પણ જણાવી દઈએ કે, તમે તમારા બગીચાને 50 રૂપિયાથી ઓછા રૂપિયામાં કેવી રીતે સજાવવો.
- તમે બગીચાને સુશોભિત કરવા માટે વિવિધ પ્રકારના સ્મૂથ સ્ટોન્સનો (લિસા પથ્થર) ઉપયોગ કરી શકો છો. આ માટે, ફક્ત તેમને સાફ કરો, તેમને થોડો રંગ કરો અને છોડની આસપાસ વર્તુળ જેવો કુંડુ બનાવો.
- તમે છોડની આસપાસ તૂટેલા પ્લાસ્ટિક કેન અને બોટલ વગેરે મૂકી શકો છો. ફક્ત તેમને ડિઝાઇનનો આકાર આપો અને જો જરૂરી હોય તો તેમને પેઇન્ટ કરો. બસ તેમને કોઈપણ એક થીમ જેવી રીતે સજાવવા જોઈએ.
- જો તમારા બગીચામાં ઘણા બધા મચ્છરો છે, તો તમે રૂ. 50 થી અંદર આવનારા મૉસ્કિટો રિપેલેન્ટ છોડ લઇ આવો અને તેને કોઈપણ એક ડિઝાઇનમાં બગીચામાં લગાવો. આવી સ્થિતિમાં તે ખૂબ સુંદર દેખાશે અને ઘરમાં મચ્છરો પણ ઓછા રહેશે.
- તમે ઓનલાઈન અથવા કોઈપણ સ્થાનિક દુકાનમાંથી રૂ. 50-50માં ક્લે પ્લાન્ટર્સ ખરીદી શકો છો, જે સારા લાગે છે અને તમારા બગીચાને નવો દેખાવ પણ આપશે.
આ બધી પદ્ધતિઓ તમારા ઘરના બગીચાને ખૂબ સુંદર બનાવી શકે છે. તમારે આ પદ્ધતિઓનો એકવાર ઉપયોગ કરવો જ જોઇએ. જો તમને આ લેખ ગમ્યો હોય તો, આવા વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.