what is the reason behind wearing black thread in leg ang hand
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણીવાર લોકો હાથ કે પગમાં કાળો દોરો બાંધતા હોય છે. એવું માનવામાં આવે છે કે કાળો દોરો કાળી શક્તિઓથી બચાવે છે અને ખરાબ નજરથી પણ રક્ષણ આપે છે. પરંતુ કાળો દોરો પહેરવાથી દરેક માટે સરખું અને શુભ પરિણામ નથી મળતું.

એટલે કે, એવું જરૂરી નથી કે, જો એક વ્યક્તિ કાળો દોરો પહેરે છે તો તેને નજર નથી લાગતી અથવા તેના પર ખરાબ શક્તિઓથી પ્રભાવિત નથી, તો બીજી વ્યક્તિ પર પણ આવી જ અસર થવી જોઈએ. કેટલાક લોકો માટે કાળો દોરો પહેરવાથી અશુભ પરિણામ પણ આવતું હોય છે.

કોણે કાળો દોરો ન પહેરવો જોઈએ : ડો.રાધાકાંત વત્સ અનુસાર, બે રાશિના લોકોએ કાળો દોરો બાંધવાનું ટાળવું જોઈએ. તે બે રાશિ છે વૃશ્ચિક અને મેષ. વાસ્તવમાં વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ માનવામાં આવે છે અને મંગળનો રંગ લાલ હોય છે.

એવું માનવામાં આવે છે કે મંગળ ગ્રહ કાળા રંગને નફરત કરે છે. એટલા માટે વૃશ્ચિક રાશિના લોકોએ કાળો દોરો બિલકુલ ન બાંધવો જોઈએ. આ રાશિના લોકો પર તેની વિપરીત અને નકારાત્મક અસર પડી શકે છે.

સાથે જ મેષ રાશિનો સ્વામી પણ મંગળ છે. આ કારણથી મેષ રાશિ માટે પણ કાળો દોરો પહેરવો અશુભ અને ફળદાયી સાબિત થઈ શકે છે. જો આ બે રાશિના લોકો કાળો દોરો પહેરે છે તો તેમને ખરાબ પરિણામ આવી શકે છે.

જ્યોતિષાચાર્યના મતે આ લોકોને પૈસાની હાનિ, પ્રતિષ્ઠા અને સ્વાસ્થ્યની હાનિનો સામનો કરવો પડી શકે છે અને પરિવારમાં અશાંત વાતાવરણ પણ સર્જાઈ શકે છે. આ તો તે લોકો વિશે વાત કરી જેમને કાળો દોરો ન બાંધવો જોઈએ, પરંતુ જે લોકો કાળો દોરો બાંધી શકે છે તેમના માટે પણ નિયમો છે.

કાળો દોરો પહેરવાના નિયમો : કાળો દોરો પહેરવાનો સૌથી શુભ દિવસ શનિવાર હોય છે. આવી સ્થિતિમાં જ્યારે પણ તમે કાળો દોરો બાંધવાનો વિચાર કરો તો ધ્યાન રાખો કે શનિવારનો દિવસ હોવો જોઈએ.

ધ્યાન રાખો કે જે હાથમાં કાળો દોરો બંધાયેલો હોય તે હાથમાં કોઈ બીજા રંગનો દોરો બાંધવો અશુભ માનવામાં આવે છે, પછી ભલે તે કાલવ પણ કેમ ન હોય. હાથ કે પગમાં બાંધવા સિવાય તમે ઘરના મુખ્ય દરવાજા પર લીંબુથી કાળો દોરો બાંધી શકો છો.

આ સિવાય જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ અવાર-નવાર બીમાર રહેતી હોય તો શનિવારે તમારા ગળામાં હનુમાનજીના ચરણોના સિંદૂર લગાવેલો કાળો દોરો પહેરો. જેના કારણે સ્વાસ્થ્યમાં જલ્દી જ સુધારો મળી શકે છે.

તો ધ્યાનમાં રાખો કે કાળો દોરો કોના માટે પહેરવો ફાયદાકારક છે અને કોના માટે અશુભ છે અને પહેરતા પહેલા કયા નિયમોની પાલન કરવું જોઈએ તે જાણી લીધું હશે. જો તમને આ જાણકરી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.