what are the signs your liver is damaged
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વર્તમાન યુગમાં ભાગદોડવાળી જિંદગીમાં કામની અને ઓફિસની જવાબદારીઓને કારણે શરીર પર યોગ્ય ધ્યાન આપી શકતા નથી, પરિણામે નાની ઉંમરમાં જ અનેક ભયંકર રોગો આપણને ઘેરી લે છે. આવો જ એક બીમારી છે લિવર સંબંધિત. શરીરમાં લીવર ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

તે આપણે જે ખાઈએ છીએ તેનું રક્ષણ કરવામાં અને શરીરને પ્રોટીન પ્રદાન કરવામાં ખાસ ભૂમિકા ભજવે છે. પરંતુ સમયસર ન ખાવા અથવા જંક ફૂડથી લઈને આવી ઘણી વસ્તુઓ છે જેનું સેવન આપણા લીવરને નુકસાન પહોંચાડે છે. ખરાબ લીવર માત્ર શરીરને નષ્ટ કરવાનું જ કામ કરતું નથી પણ ઘણીવાર તે મૃત્યુનું કારણ પણ બની શકે છે.

એવું જરૂરી નથી કે એકવાર લિવર બગડી ગયા પછી તેને આપણે મટાડી નથી શકતા. જો તમે તેના લક્ષણોને સમયસર ઓળખી લો અને તેને લગતી મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખો, તો તમે આ સમસ્યાથી માત્ર છુટકારો મેળવી શકતા નથી પરંતુ લિવરને પણ સ્વસ્થ બનાવી શકો છો. ચાલો જાણીએ કે જો લીવરને નુકસાન થવાના સંકેતો દેખાય છે તો આપણે તરત જ તે વસ્તુઓનું સેવન બંધ કરી દેવું જોઈએ.

લીવરને નુકસાન થઈ રહ્યું છે તે કેવી રીતે ઓળખવું : આપણું શરીર આપણને લીવરના નુકસાનના સંકેતો ઘણા સમય પહેલા આપવાનું શરૂ કરે છે. ફક્ત આપણે તેમને ઓળખવું જરૂરી છે. આ માટે, ધ્યાનમાં રાખો કે તમને સતત ઉલ્ટી થવાનું મન ન થાય છે એટલે કે તમને ઉબકા તો નથી આવતા ને અથવા તમારા પેટના ઉપરના ભાગમાં સોજો દેખાય છે.

આ સિવાય તમારા પેશાબનો રંગ ઘાટો થતો જાય છે અથવા આંખો કે હાથનો રંગ પીળો થતો દેખાય છે. આંખો અને હાથનો રંગ પીળો થવો એ સામાન્ય રીતે કમળાના લક્ષણો હોય છે, પરંતુ તેનો સીધો સંબંધ આપણા લીવર સાથે પણ હોય છે.

આવી સ્થિતિમાં, આ સામાન્ય લક્ષણો છે જે સૂચવે છે કે લીવરને ક્યાંકને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે. કોઈપણ કિંમતે આવા લક્ષણોને અવગણશો નહીં અને તરત જ ડૉક્ટરની સલાહ લો અને સારવાર લો.આ સાથે, લીવર ખરાબ હોય તો આ 5 વસ્તુઓ ન ખાઓ.

1. ખાંડ કે મીઠાઈ છોડો : લીવર ડેમેજ થવાનું મોટું કારણ તમારું મેદસ્વીપણું પણ હોઈ શકે છે. ખાસ કરીને પેટની ચરબીની સીધી અસર તમારા લીવર પર પડે છે, તેથી જો તમે સ્થૂળતાને કાબૂમાં રાખવા માંગતા હોય તો સૌથી પહેલા તેને ઘટાડવી અથવા છોડવી વધુ સારો વિકલ્પ છે. આનાથી વજન પણ ઘટશે અને લીવર પણ સ્વસ્થ રહેશે.

2. મૈદો : તમારે મૈંદાના લોટમાંથી બનેલી વસ્તુઓ ખાવાનું બંધ કરવું જોઈએ. કારણ કે આ લોટમાં મિનરલ્સથી લઈને વિટામિન્સની ઉણપ હોય છે અને તે પાચન પ્રક્રિયાને વધુ જટિલ બનાવે છે. તેનાથી બનેલી વસ્તુઓ શુગર લેવલ વધારવામાં મદદરૂપ થાય છે, જેના કારણે લીવરને નુકસાન થઇ શકે છે. આવી સ્થિતિમાં પિઝા, કચોરી, સમોસા, બર્ગર જેવી વસ્તુઓનું સેવન ઓછું કરો અથવા બંધ કરો.

3. આલ્કોહોલ લીવર ખરાબ કરશે : આલ્કોહોલ પીવાથી લીવરની સમસ્યાથી પીડિત લોકોને મૃત્યુ થઈ શકે છે. આલ્કોહોલમાં કેમિકલ્સ અને આલ્કોહોલ હોય છે જે આપણા કોષોને નુકસાન પહોંચાડે છે. જેના કારણે લીવરમાં બળતરાથી લઈને, ઘણા કિસ્સામાં લીવર ફૈલ પણ થઇ શકે છે. દરરોજ અથવા લાંબા સમય સુધી દારૂનું સેવન લીવરને ખતમ કરવામાં સૌથી મોટી ભૂમિકા ભજવે છે.

4. જંક ફૂડનું સેવન : જંક ફૂડનું સેવન લીવરને બગાડવામાં મદદગાર સાબિત થઇ શકે છે. ઘણી વખત, આપણે સમયનો અભાવ કે સ્વાદના ચક્કરમાં આપણે જંક ફૂડ તરફ આકર્ષાઈએ છીએ, પરંતુ તે આપણા લીવર માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે.

5. રેડ મીટ ન ખાઓ : જો તમે માંસાહારી છો, તો લીવરને સુરક્ષિત રાખવા માટે તમારે એક મહત્વપૂર્ણ કામ કરવું પડશે અને તે છે રેડ મીટ ખાવાનું સંપૂર્ણપણે બંધ કરવું પડશે. રેડ મીટ તમારા શરીરમાં પ્રોટીનની માત્રામાં વધારો કરે છે, પરંતુ કેટલીકવાર વધારાનું પ્રોટીન તમારા લીવરને ઘણી રીતે નુકસાકારક હોય છે. આવી સ્થિતિમાં તેનું સેવન ન કરો.

હવે જો તમને પણ ઉપર જણાવેલ સંકેતો દેખાય છે તો તરત જ ડોક્ટરની સલાહ લો અને સારવાર કરાવો. જો તમને માહિતી પસંદ આવી હોય તો, આવી જ વધુ જાણકરી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “શરીરમાં દેખાય છે આ સંકેતો, તો સમજી જાઓ લીવર ખરાબ થઇ રહ્યું છે તરત જ આ વસ્તુઓને ખાવાનું બંધ કરી દો”

Comments are closed.