walking benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણે બધા આપણા જીવનમાં ખૂબ જ વ્યસ્ત થઇ ગયા છીએ અને એમાં ખાસ કરીને મહિલાઓ ઘર અને બહારની જવાબદારીઓ નિભાવવામાં ખૂબ જ વ્યસ્ત હોય છે. તેથી મહિલાઓને કસરત કરવા માટે સમય નથી મળતો. આ આદત આપણને આળસુ બનાવાની સાથે આપણા સ્વાસ્થ્યને પણ નકારાત્મક અસર કરે છે.

આ જ કારણથી આપણું વજન પણ ઝડપથી વધી રહ્યું છે. એટલા માટે શરીર, ચહેરાની સાથે મોટાપા પર ધ્યાન આપવું જોઈએ. જો કે, આપણે દિવસ દરમિયાન વ્યસ્ત હોવાને લીધે જીમમાં જવા માટે અથવા કોઈપણ રમત રમવા માટે સમય નથી કાઢી શકતા, પરંતુ આપણે રાત્રે જમ્યા પછી ચાલવા માટે થોડો સમય કાઢી શકીએ છીએ.

ચાલવાના ફાયદાઓ વિશે આપણે બધા જાણીએ છીએ, પરંતુ રાત્રિભોજન પછી ચાલવાથી આપણને રાત્રિભોજન અને ઊંઘ વચ્ચેનું અંતર પણ મળે છે જે ખૂબ મહત્વપૂર્ણ છે. તે વજન નિયંત્રણની સાથે સાથે તે આપણને ઘણી સમસ્યાઓથી બચાવે પણ છે.

રાત્રિભોજન પછી ચાલવાથી આપણને કયા ફાયદા થઇ શકે છે તે જાણવા માટે આ લેખમાં વિગતવાર જાણો. રાત્રે જમ્યા પછી તરત જ સૂવું ના જોઈએ. શરીરની શારીરિક પ્રવૃત્તિ કરવી જોઈએ. તમે રાત્રે કસરત કરી શકતા નથી તો તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પ જમ્યા પછી ચાલવાનો છે.

રાત્રિભોજન પછી ચાલવાથી ખોરાક સારી રીતે પચવામાં સરળતા રહે છે. તમારું મેટાબોલિઝમ સુધરે છે અને થોડીવાર ચાલવાથી ઊંઘ પણ સારી આવે છે. આ સાથે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે અને લાંબા સમય સુધી ફિટ રહેવામાં પણ મદદ મળે છે.

રાત્રે ગાઢ ઊંઘ આવે છે : શારીરિક તંદુરસ્તી સાથે રાત્રે જમ્યા પછી ચાલવાથી કેટલાક માનસિક લાભ પણ મળે છે. જો તમને લાગે છે કે તમને રાત્રે સૂવામાં તકલીફ થઈ રહી છે તો તમે રાત્રે જમ્યા પછી ચાલવા જાઓ અને તમને જલ્દી જ સારું પરિણામ મળશે. ચાલવાથી તમને તણાવ દૂર થાય છે અને વધુ હળવાશ અનુભવશો.

રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરે છે : રાત્રે જમ્યા પછી ચાલવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ મળે છે કારણ કે તે તમારી સિસ્ટમમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે અને તમારા આંતરિક અંગોને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. મજબૂત ઇમ્યુનીટી ફ્લૂ, સામાન્ય શરદી જેવી બીમારીઓથી બચાવે છે.

પાચન સુધારવા : ચાલવાથી પાચનતંત્ર યોગ્ય રીતે કામ કરે છે. તે આપણને સારી પાચન પ્રણાલી પ્રદાન કરે છે જે પેટનું ફૂલવું ઘટાડવું, કબજિયાતની શક્યતા ઓછી કરે છે અને પેટ સંબંધિત બીજી કોઈપણ સમસ્યામાંથી રાહત આપે છે.

મેટાબોલિઝમ બુસ્ટ કરે છે : જો તમે મેટાબોલિજ્મને બુસ્ટ કરવા માંગતા હોય તો રાત્રે જમ્યા પછી તરત જ સૂવાને બદલે ચાલવા જાઓ. આ તમને આરામ કરી રહ્યાં હોવ ત્યારે પણ કેલરી બર્ન કરે છે અને શરીરનો શેપ પણ સુધારે છે. આનો અર્થ એ છે કે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

ડિપ્રેશનમાં મદદ કરે છે : જો રાત્રે જમ્યા પછી ચાલવું તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે કારણ કે તે તણાવને દૂર કરે છે. તે તમને સારું અનુભવવામાં અને તમારા મૂડને સારો કરવામાં મદદ કરે છે. આ રીતે તમને રાત્રે ચાલવાથી તમને હતાશા દૂર કરવામાં અને તમને ખુશ રહેવામાં મદદ મળશે.

એનર્જી લેવલ વધારે છે : શું થાય છે જ્યારે તમારું ચયાપચય ઝડપી બને છે અને તમારું સ્વાસ્થ્ય સુધરે છે તો આનો અર્થ છે કે માત્ર ચાલવાથી તમારું જીવન સારું બને છે. તમારી પાસે વધારે એનર્જી હોય છે અને એનર્જી તમારા જીવનના દરેક ક્ષેત્રમાં ફાયદાકારક બની શકે છે.

તમે સવારે ખુશીથી વહેલા જાગી જશો, આળશ દૂર થશે અને દિવસનો સામનો કરવા માટે દોડશો. તમે સૂતા પહેલા માઇન્ડફુલનેસ અથવા બીજું જે કરવા માંગો છો તેના માટે સમય કાઢી શકશો. તે તમારા જીવનને એકદમ બદલી નાખશે અને તે બિલકુલ મફત છે.

બ્લડ શુગર લેવલ કંટ્રોલ કરે છે : રાત્રે ભોજન કર્યાના 30 મિનિટ પછી તમારા શરીરમાં બ્લડ સુગરનું સ્તર વધવા લાગે છે. પરંતુ જો તમે રાત્રિભોજન પછી ચાલવા જાઓ છો તો તમારા શરીરમાં ગ્લુકોઝનો કેટલોક ભાગ વપરાતો હોય છે. મતલબ કે જમ્યા પછી ચાલવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે જેનાથી હાઈપરગ્લેસેમિયાનો ખતરો ટળી જાય છે.

જમ્યા પછી તરત સૂવું એ સારો વિચાર નથી કારણ કે તે વજન વધારવામાં મદદ કરે છે. તમે તમારા શરીરને અમુક કેલરી બર્ન કરવા માટે પૂરતો સમય આપતા નથી અને જ્યારે તમે સોઈ જાઓ છો ત્યારે તમારી પાચન તંત્રને ખોરાક, સૂક્ષ્મ અને મેક્રો પોષક તત્વોને શોષવા માટે પૂરતો સમય મળતો નથી. તેનાથી કબજિયાત, પેટનું ફૂલવું, જઠરાંત્રિય જેવી સમસ્યાઓ થાય છે.

જો તમે વજનને કંટ્રોલ કરવાની સાથે આ બધા ફાયદા મેળવવા માંગતા હોય તો દરરોજ રાત્રે જમ્યા પછી અડધો કલાક ચાલવા જરૂર જાઓ. આવી જ જાણકારી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા