ungh ni dava gujarati ma
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રાત્રે સુતા પહેલા તમે ખાલી એક કામ કરશો તો તમને એક મિનિટમાં ઘસઘસાટ ઊંઘ આવી જશે. ઊંઘ આવવાની સાથે સાથે તમારા શરીરમાં અઢળક ફાયદાઓ થશે. શરીરમાં જે નાની-મોટી સમસ્યા રહેતી હોય તો તે નાની મોટી તકલીફ ને દૂર કરી દેશે.

આ કામ રાત્રે સૂતી વખતે તમારે માત્ર બે થી ત્રણ મિનિટનો સમય કાઢવાનો છે. આ કામ કરવાથી તમારી અનિદ્રાની સમસ્યા દૂર થઈ જશે. જે લોકોને ઉંઘ નથી આવતી, મોડી રાત સુધી તરફડીયા મારતા હોય તેમ છતાં ઊંઘ ન આવતી, મગજમાં કંઈક ને કંઈક ચાલતું હોય છે,

નવા નવા વિચારો ચાલતા હોય અથવા તો ટેન્શન હોય આવા ઘણા બધા કારણોને લીધે તમને રાત્રે મોડે સુધી ઊંઘ આવી શકતી નથી. જેને આપણે અનિદ્રાની સમસ્યા કહીએ છીએ. પણ આ એક કામ કરવાથી તમારી આ નાની મોટી બીમારી દૂર થઇ અને ઘસઘસાટ ઊંઘ આવી જશે.

ફક્ત થોડાજ સમય માં તમને ઊંઘ આવી જશે. તો હવે જાણીએ કે કયું એવું કામ છે જે તમારે રાતે બે થી ત્રણ મિનિટ કરવાનું છે. તો રાતે તમારે સુતા પહેલા બે થી ત્રણ મિનિટ પગના તળિયે નારિયેળના તેલથી માલિશ કરવાની છે. આ પ્રયોગ કરવાથી ઘણા બધા લોકોને ચમત્કારી ફાયદા થયા છે.

નારિયેળના તેલથી રાત્રે સૂતી વખતે પગની માલિશ કરવાથી એટલે કે પગના તળિયાની માલિશ કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. આ તેલથી માલિશ કરવાથી જે લોકોને પગના તળિયામાં બળતરા થતી હોય, આખા પગમાં બળતરા થતી હોય તો તે દૂર થઈ જશે. જો

શરીરમાં બળતરા થતી હોય, શરીરમાં ગરમી હોય, શરીરમાં તમને થાક જેવું મહેસૂસ થતું હોય અથવા તો તમને આખા દિવસનો થાક તો તે પણ એક મિનિટમાં ગાયબ થઇ જશે અને તમને એક મિનિટમાં ઊંઘ આવી જશે.

એ સિવાય જે લોકોને માથાનો દુખાવો છે, જે લોકો માથાના દુખાવાથી પરેશાન થઇ ગયા હોય, વારંવાર માથું દુખાવાની સમસ્યા રહેતી હોય તો આવા લોકોને પગના તળિયા પર કોકોનટ ઓઇલ એટલે કે નારિયેળના તેલથી માલિશ કરવાથી આ સમસ્યાનું ચમત્કારી પરિણામ મળે છે.

આ સિવાય તમારી આંખો ને પણ ફાયદો થાય છે. આંખોની બળતરા દૂર થાય છે. આંખોમાં વારંવાર પાણી આવતું હોય દૂર થાય છે. આ સિવાય જો તમને માનસિક અશાંતિ રહેતી હોય અથવા બેચેની જેવું લાગતું હોય જેને લીધે પણ ઊંઘ ન આવતી હોય, તો આ બધી સમસ્યા 100% દૂર થઈ જશે.

આ સિવાય જે લોકોને થાઈરોડની સમસ્યા છે તે લોકોને પણ પગના તળિયા તેલની માલિશ કરવાથી ઘણો ફાયદો થાય છે. તો ઉપર જણાવેલ બધા જ ફાયદા ફક્ત રાતે બે થી ત્રણ મિનિટ નારિયેળના તેલ ની માલીશ કરવાથી થાય છે. આ એકદમ સિમ્પલ અને સાદો ઉપાય છે જે દરેક લોકો કરી શકે છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, જેથી બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા