ungh na ave to su karvu upay
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમને રાત્રે ઊંઘ નથી આવતી? રાત્રે સુઈ ગયા પછી અડધી રાત્રે જાગી જાઓ છો અને ફરીથી ઊંઘ નથી આવતી? શું તમે સવારે વહેલા ઉઠવા નથી માંગતા તો પણ જાગી જાઓ છો? જો તમારી પણ આ સમસ્યા છે અને જો આ સમસ્યા થોડા દિવસો અને વધુ અઠવાડિયા કે તેથી લાંબા સમયથી સતત રહે છે તો તમે અનિદ્રાનો શિકાર બની શકો છો.

હા, આજકાલ 10 માંથી 4 વ્યક્તિને ઊંઘ ન આવવી એ એક સમસ્યા બની ગઈ છે અને સારી ઊંઘ મેળવવા માટે લોકો ઊંઘની ગોળીઓ પણ લેતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે ઊંઘની ગોળીઓ શરીર પર ઘણી રીતે આડ અસર કરે છે. તેથી તમારે ઊંઘ લાવવા માટે ઊંઘની ગોળીઓ ક્યારેય ના લેવી જોઈએ.

જો તમને પણ રાત્રે જલ્દીથી ઊંઘ નથી આવતી તો તમારે ઊંઘની ગોળીઓ લેવાની જરૂર નથી કારણ કે આ સમસ્યાને આયુર્વેદિક ઉપાય કરીને પણ દૂર કરી શકાય છે. આ આયુર્વેદિક ઉપાયથી તમે સૂતાની સાથે જ માત્ર 3-4 મિનિટમાં સારી ગાઢ ઊંઘ આવી જશે.

આ આયુર્વેદિક નુસ્ખાની સારી વાત એ છે કે તેને લેવાથી તમારા શરીર પર કોઈ આડઅસર થતી નથી અને તે ખૂબ જ સસ્તો ઉપાય છે અને સરળતાથી કરી શકાય એમ છે. તો ચાલો જાણીએ ઊંઘ લાવવાના ઘરગથ્થુ આયુર્વેદિક ઉપાયો વિશે જે તમને 5 મિનિટમાં ગાઢ ઊંઘ લાવશે.

આયુર્વેદિક નુસ્ખા

અશ્વગંધા અને સર્પગંધાને સરખી માત્રામાં લઈને તેને પીસીને ચૂર્ણ બનાવી લો. હવે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણી સાથે 4-5 ગ્રામ ચૂર્ણ લો. આ આયુર્વેદિક ઉપાયથી તમને માત્ર મિનિટોમાં જ સારી અને ગાઢ ઊંઘ આવશે.

અશ્વગંધા અને સર્પગંધા જ કેમ ?

વર્ષોથી અશ્વગંધા આપણા જીવનમાં મહત્વનો ભાગ છે. તે એક ઔષધીયમાં ઉપયોગમાં આવતું વૃક્ષ માનવામાં આવે છે. તે શરીરને ચુસ્તી સ્ફૂર્તિ પ્રદાન કરે છે. અશ્વગંધાને અંગ્રેજીમાં ભારતીય જિનસેંગ કહેવામાં આવે છે .

અશ્વગંધાના વૃક્ષ અને તેના ઔષધીય ગુણોનું વર્ણન પરંપરાગત ચાઈનીઝ ચિકિત્સા અને આયુર્વેદમાં પણ કરેલો છે. અશ્વગંધા કુદરતે આપેલું એક એવું વરદાન છે કે જેનો ઉપયોગ અનેક પ્રકારના રોગો અને બ્યુટી પ્રોડક્ટ બનાવવામાં થાય છે.

થાક, ઊંઘની ઉણપ, ચિંતા અને તણાવ જેવી સમસ્યાઓનો અસરકારક રીતે ઉપચાર અશ્વગંધાથી કરી શકાય છે. તે સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલના સ્તરને ઘટાડે છે જેનાથી તણાવ ઓછો થાય છે.

આ પણ વાંચો: આ 2 આયુર્વેદીક જડીબુટ્ટીઓનો પાવડર બનાવી, રાત્રે સુતા પહેલા લો. માત્ર 5 મિનિટમાં ઘસઘસાટ ઊંઘ આવી જશે

તે મહિલાઓ માટે સર્પગંધા એક સરળ ઉપાય છે જેઓ અનિદ્રાની સમસ્યાથી પીડાઈ રહી છે. ભારતીય સર્પગંધા શરીરને આરામ આપવા, શાંત કરવા અને સૂવા માટે ઉત્તમ ઔષધિ છે. તે અનિદ્રા, બેચેની અને થાકથી પીડિત મહિલાઓને તેમના દરરોજના કામો કરવાની શક્તિ પ્રદાન કરે છે.

આ સિવાય સુતા પહેલા હાથ-પગને ધોવો અને સૂતા પહેલા પગના તળિયાની માલિશ કરો. તેનાથી લોહીનું પરિભ્રમણ સુધરે છે અને દિવસભર લાગેલો થાક દૂર થાય છે. સારી ઊંઘ આવે તે માટે દરરોજ સૂતા પહેલા તળિયાની માલિશ કરવાથી અનિદ્રાની સમસ્યા દૂર થઈ જશે.

જો કે આ કુદરતી નુસ્ખામાં સંપૂર્ણપણે કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરેલો છે, પરંતુ તેને લેતા પહેલા એકવાર નિષ્ણાતની સલાહ જરૂર લો કારણ કે દરેકનું શરીર અલગ અલગ હોય છે. આવી વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા