ungh mate gharelu upay in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ungh na ave to su karvu: આજના સમયમાં ઘણી એવી સ્ત્રીઓ હોય છે, જેમને મોડી રાત સુધી ઊંઘ ના આવવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. ક્યારેક કામનો વધતો તણાવ અને ક્યારેક નોકરી ની બદલાતી શિફ્ટ, તેમના આખા શરીરની ઊંઘની સાઈકલને ડિસ્ટર્બ કરી નાખે છે.

જેના કારણે તેમની ઊંઘની સિસ્ટમ પણ બદલાય છે. આ સ્થિતિમાં, તે ઇચ્છે તો પણ રાત્રે સમયસર ઊંઘી શકતી નથી અને પછી મોડી રાત સુધી ના સૂવાને કારણે બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ તેમને ઘેરી લેતી હોય છે. મોડી રાત સુધી જાગવાને કારણે આંખોની નીચે ડાર્ક સર્કલ થવા અને આંખોમાં થાક લાગવો વગેરે ઘણી સામાન્ય સમસ્યાઓ છે.

ઉપરાંત, રાત્રે ઓછું ઊંઘવાથી તેની વિપરીત અસર વજન પર પણ પડે છે અને સ્ટ્રેસ હોર્મોન કોર્ટિસોલ વધવાથી ડિપ્રેશનનું જોખમ પણ વધી જાય છે. જો આ દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો મોડી રાત સુધી જાગવાથી તમને શારીરિક અને માનસિક બંને રીતે નુકસાન થઇ શકે છે.

તેથી તે વધુ સારું રહેશે કે તમે આવા કેટલાક ઘરેલુ ઉપાયો અપનાવો, જેથી તમે રાત્રે સારી રીતે ઊંઘ મેળવી શકો. દાખલા તરીકે તમે કેટલાક આયુર્વેદિક પીણાંનું સેવન કરી શકો છો જે તમને ઘસઘસાટ ઊંઘ મેળવવામાં મદદ કરશે. તો આજે આ લેખમાં તમને આવા કેટલાક હેલ્ધી પીણાં વિશે જણાવી રહ્યા છે.

હળદરવાળું દૂધ : હળદરવાળા ગરમ દૂધનું સેવન ઊંઘ માટે એક ચમત્કાર જેવું કામ કરે છે. તમારે માત્ર સુતા પહેલા અને ભોજન લીધાના લગભગ એક કલાક પછી દૂધને ગરમ કરવું અને તેમાં એક ચપટી હળદર અને ખાંડ ઉમેરો. પછી આ દૂધ ગરમ જ પીવો. આયુર્વેદમાં તેને એક જાદુઈ પીણું ગણવામાં આવે છે.

અશ્વગંધા : આયુર્વેદ અનુસાર જોવામાં આવે તો અશ્વગંધા પણ તમને સારી ઊંઘ લાવવામાં મદદરૂપ સાબિત થઈ શકે છે. તે તમારા તણાવનું સંચાલન કરીને તમને રાત્રે સારી રીતે ઊંઘવામાં મદદ કરશે. આ માટે એક ગ્લાસ ગરમ દૂધ લઈને તેની સાથે અશ્વગંધાનું સેવન કરો.

તમે બજારમાંથી અશ્વગંધા ટેબ્લેટ અથવા પાવડરના કોઈપણ સ્વરૂપમાં લઈને તેનું સેવન કરી શકો છો. એક ચમચી પાવડર અથવા અશ્વગંધાની એક ગોળી દૂધ સાથે લઈ શકાય છે. આ પણ એક સારો ઉપાય છે કે પગના તળિયાને ગાયના ઘીથી માલિશ કરવાથી પણ રાત્રે સારી ઊંઘ આવે છે.

જો તમને દૂધથી એલર્જી હોય : જો તમે તે મહિલાઓમાંથી છો જેમને ગાય અને ભેંસના દૂધથી એલર્જી છે, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. જો તમને દૂધથી એલર્જી છે અથવા જો તમે ડાઈટ પર છો, તો તમે બદામના દૂધનું સેવન કરી શકો છો. આ માટે તમે પહેલા બદામનું દૂધ ગરમ કરીને પછી તેની સાથે અશ્વગંધા લઈ શકો છો.

હર્બલ ચા પીવો : સૂતા પહેલા ગ્રીન ટી અથવા હર્બલ ટી પીવાથી સારી ઊંઘ લાવવામાં મદદ કરી શકે છે. જ્યારે તમે ગ્રીન ટી પીતા હોવ ત્યારે, એ હકીકત પર ખાસ ધ્યાન આપો કે તેમાં બ્રાહ્મીના પાંદડા અવશ્ય હોય. તમે બ્રાહ્મી અને અશ્વગંધાના પાંદડામાંથી તૈયાર કરેલી ગ્રીન ટીનું સેવન કરી શકો છો.

આ બંને હકારાત્મક રીતે સારી ઊંઘમાં મદદ કરે છે. જો તમને હર્બલ ટી અથવા ગ્રીન ટી પીવી ના ગમતી હોય, કે પછી તમે તેને બીજી રીતે લેવા માંગતા હો, તો તે દૂધ સાથે પણ પી શકાય છે. આ માટે પહેલા દૂધને ઉકળવા દો અને તેમાં બ્રાહ્મી પાવડર ઉમેરો.

તમે એક ગ્લાસ દૂધમાં બે ગ્રામ પાવડર નાખી શકો છો અને તે પછી તમે તેને ઉકાળો. હવે તેને ગાળી લો અને તેને ઠંડુ થવા દો અને તેનું સેવન કરો. તમે તમારી ઈચ્છા પ્રમાણે દૂધ લઈ શકો છો. તમને ગાયનું દૂધ અથવા બદામનું દૂધ લો કે જે તમને વધુ અનુકૂળ છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા