કરીના કપૂર બોલિવૂડની તે અભિનેત્રીઓમાંની એક છે જેણે એક ઈન્ટરવ્યુ દરમિયાન તેની ચમકતી ત્વચા અને સારા સ્વાસ્થ્યનો ખુલાસો કર્યો હતો, તેણે જણાવ્યું હતું કે ‘તે દિવસમાં 50 વખત સૂર્ય નમસ્કાર કરે છે, અને તે આજથી નહીં પણ વર્ષોથી કરી રહી છે.
કરીના કપૂર એટલી ફિટ છે કારણ કે ‘તે પોતાના દિવસની શરૂઆત સૂર્ય નમસ્કારથી કરે છે’. તે લગભગ 50 વખત સૂર્ય નમસ્કાર કરે છે અને લગભગ 30 સેકન્ડ સુધી સૂર્ય નમસ્કારના પોઝમાં રહી શકે છે. પ્રેગ્નેન્સી દરમિયાન કરીનાનું વજન ઘણું વધી ગયું હતું પરંતુ ડિલિવરી પછી તેણે ઘણું વજન ઘટાડ્યું છે.
હવે તેને જોયા બાદ લાગે છે કે તે એકદમ ફિટ છે. કરિનાએ પોતાના વધેલા વજનને ઘટાડવા માટે સૂર્ય નમસ્કારનો સહારો લીધો હતો. કહેવાય છે કે વજન ઘટાડવા કે શરીરને લચીલું બનાવવા કે ચહેરાને સુધારવા માટે, દરેક પ્રકારની સમસ્યાઓ દૂર કરવા માટે સૂર્ય નમસ્કાર યોગ કરવા જોઈએ.
12 આસનો સાથેનો સૂર્ય નમસ્કાર એ તમામ યોગ આસનોમાં શ્રેષ્ઠ છે. આમાં કરવામાં આવેલા 12 આસનો શરીરના દરેક અંગને અસર કરે છે. એવું માનવામાં આવે છે કે સૂર્ય નમસ્કાર તેટલા ફાયદા અપાવી શકે છે, જે મહિનાઓ સુધી હેલ્ધી ડાયટ કરીને પણ ન કરી શકાય.
સૂર્ય નમસ્કાર સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત મહિલાઓ માટે વરદાન સમાન છે. હકીકતમાં, સૂર્ય નમસ્કારની ઘણી મુદ્રાઓ થાઇરોઇડ ગ્રંથિ જેવી અમુક ગ્રંથિઓને ઉત્તેજિત કરે છે, જે હોર્મોન્સના સ્ત્રાવને વધારીને પેટની વધારાની ચરબી ઘટાડવામાં મદદ કરે છે.
આ સિવાય નિયમિત રીતે સૂર્ય નમસ્કાર કરવાથી મહિલાઓની પીરિયડ્સ સંબંધિત તમામ સમસ્યાઓ દૂર થાય છે, શરીરમાં લચીલાપણું આવે છે, પેટ સારું રહે છે, તે ચહેરા પર અદ્ભુત ગ્લો આપે છે અને કરચલીઓ પડતી અટકાવે છે, જેનાથી તમે લાંબા સમય સુધી યુવાન અને સુંદર દેખાશો.
સૂર્ય નમસ્કાર સવારે સૂર્યની સામે જ કરવો જોઈએ કારણ કે સૂર્ય આપણને ઉર્જા આપે છે. ચાલો જાણીએ સૂર્ય નમસ્કાર આપણા માટે કેમ ફાયદાકારક છે.
વજન ઘટાડવા : સૂર્ય નમસ્કાર કરવાથી તમે ઝડપથી વજન ઘટાડી શકો છો. આ વજન ઘટાડવાની સાથે તે તમારા શરીરને સંપૂર્ણ રીતે આકાર આપવામાં પણ મદદ કરે છે. જો ઝડપથી કરવામાં આવે તો, આ તમારું શ્રેષ્ઠ કાર્ડિયોવેસ્ક્યુલર વર્કઆઉટ હોઈ શકે છે. નિયમિત રીતે કરવામાં આવે તો પેટની ચરબી ઓછી થાય છે.
તણાવ : સૂર્ય નમસ્કાર કરવાથી તમારી યાદશક્તિ વધે છે અને નર્વસ સિસ્ટમ શાંત થાય છે, જે તમારી ચિંતા દૂર કરે છે. સૂર્ય નમસ્કાર અંતઃસ્ત્રાવી ગ્રંથીઓ, ખાસ કરીને થાઇરોઇડ ગ્રંથિની કામગીરીને સામાન્ય બનાવે છે.
Start the day with Surya Namaskar practice to gain mental and physical strength 🧘🏽♂️ pic.twitter.com/TopCGmHfif
— Prashant (@fitindiandad) February 2, 2023
સૂર્ય નમસ્કાર દરમિયાન સ્ટ્રેચિંગથી મસલ્સ અને કરોડરજ્જુને મજબૂત બનાવે છે અને કમરને લવચીક બનાવે છે. યોગાસન દરમિયાન, શ્વાસ ખેંચવા અને શ્વાસ બહાર કાઢીને હવા ફેફસામાં પહોંચે છે. આના કારણે, ઓક્સિજન લોહીમાં પહોંચે છે, જે શરીરમાં હાજર કાર્બન ડાયોક્સાઈડ અને અન્ય ઝેરી વાયુઓને દૂર કરે છે.
પાચનતંત્રમાં સુધારો : સૂર્ય નમસ્કાર દરમિયાન પેટના અંગો ખેંચાય છે , જે પાચનતંત્રને સુધારે છે. જે મહિલાઓને કબજિયાત, અપચો અથવા પેટમાં બળતરાની ફરિયાદ હોય, તેમણે દરરોજ સવારે ખાલી પેટે સૂર્ય નમસ્કાર કરવો જોઈએ.
શરીરમાં લવચીકતા આવે છે. સૂર્ય નમસ્કાર આસન આખા શરીરને વર્કઆઉટ આપે છે. તેનાથી શરીર લચીલું બને છે. જો કોઈ મહિલાને અનિયમિત પીરિયડ્સની ફરિયાદ હોય તો સૂર્ય નમસ્કારના આસનો કરવાથી સમસ્યા દૂર થઈ જશે. આ આસનોના નિયમિત અભ્યાસથી ડિલિવરી વખતે થતો દુખાવો પણ ઓછો થાય છે.
રક્ત પરિભ્રમણ સુધારવા : દરરોજ સૂર્ય નમસ્કાર કરવાથી રક્ત પરિભ્રમણ સરળ બને છે, બ્લડપ્રેશરનું જોખમ ઘટે છે. મેટાબોલિઝમ સુધરે છે અને શરીરના તમામ અંગો મજબૂત અને સક્રિય બને છે.
તો જો તમે પણ કરીના જેવું સ્લિમ ફિગર ઈચ્છો છો અને હેલ્ધી બનવા ઈચ્છો છો તો દરરોજ સૂર્ય નમસ્કાર કરવાનું શરુ કરો. જો તમને આ જાણકારી ગમી હોય તો શેર કરો અને આવી વધુ માહિતી મેળવવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.