sleeping mantra in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજના સમયની વ્યસ્ત અને તણાવપૂર્ણ જીંદગીના કારણે લોકો સારી રીતે ઊંઘી શકતા નથી. સારી ઊંઘી ન આવવાના ઘણા કારણો હોય છે જેવા કે આખા દિવસનું ખૂબ જ વ્યસ્ત ટાઈમટેબલે, રાત્રિના સમયે કામ કરવું, માનસિક તણાવ અથવા મોડી રાત સુધી મોબાઈલ કે ટીવી જોવું એ એક કારણ છે.

ઘણા લોકો સારી ઊંઘ માટે ગોળી ખાતા હોય છે. અને ઘણા લોકોને ઊંઘની ગોળીઓ ખાધા પછી જ ઊંઘ આવતી હોય છે. પરંતુ તેના કારણે સ્વાસ્થ્ય પર વિપરીત અસર થાય છે. સારી ઊંઘ વગર વ્યક્તિને સફળતા પણ મળતી નથી કારણ કે તે ઊંઘને ​​કારણે થતી મૂંઝવણોમાં ફસાઈ જાય છે અને તેના મનમાં સ્પષ્ટ વિચારો લાવવામાં અસમર્થ હોય છે.

દરેક વ્યક્તિ માટે સારી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. આનાથી તે પોતાનો થાક દૂર કરે છે, શરીરમાં ફરી એનર્જી આવે છે અને તાજગી મળે છે અને ઉત્સાહ સાથે નવા દિવસની શરૂઆત કરવામાં સક્ષમ બને છે. એક રિપોર્ટ અનુસાર વિશ્વની 85 ટકા વસ્તીને અનિદ્રાની ફરિયાદ છે.

વધુ પડતી ઉતાવળ અને તણાવને કારણે સારી ઊંઘ ન આવવી એ નાની ઉંમરની વ્યક્તિથી લઈને મોટી ઉંમરની દરેક વ્યક્તિની આજની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. જ્યોતિષમાં કેટલાક મંત્રો જણાવવામાં આવ્યા છે, આ મંત્રોના જાપ કરવાથી તમને સારી અને સુખદ ઊંઘ આવશે. આ સાથે તમારો તણાવ પણ ઓછો થશે, જેથી તમે એક તાજી તાજી સવારની શરૂઆત કરી શકો.

સારી રીતે સૂવા માટે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિને સારી ઊંઘ ન આવવાની સમસ્યા હોય તો સૂતા પહેલા હાથ-પગ ધોઈ લો અને આ મંત્રનો જાપ કરતા રહો, દરરોજ આ નિયમ અપનાવો કરો. 2-3 દિવસ પછી તમે જોશો કે ટૂંક સમયમાં તમને સારી ઊંઘ આવવા લાગશે.

अगस्तिर्माघवशचैव मुचुकुन्दे महाबल:।
कपिलो मुनिरास्तीक: पंचैते सुखशाायिन:।।

ખરાબ સપનાથી છુટકારો મેળવવા માટે

જો તમને ખરાબ સપના આવે છે, જેના કારણે તમારે વારંવાર જાગવું પડે છે, તો રાત્રે સૂતા પહેલા હાથ-પગ ધોઈ લો. આ પછી શાંત ચિત્તે આસન પર બેસીને આ મંત્રનો દરરોજ 108 વાર જાપ કરો. આવું કરવાથી ખરાબ સપના ક્યારેય નહિ આવે અને તમારો તણાવ પણ ધીરે ધીરે ખતમ થવા લાગશે.

वाराणस्यां दक्षिणे तु कुक्कुटो नाम वै द्विज:।
तस्य स्मरणमात्रेण दु:स्वपन: सुखदो भवेत्।।

આ પણ વાંચો : સુતા પહેલા 5 મિનિટ કરી લો આ 5 ઉપાય, માત્ર 60 સેકન્ડ માં ઘસઘસાટ ઊંઘ આવી જશે

શાંતિ માટે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણી વખત બીમાર વ્યક્તિ બીમારીના કારણે ઊંઘી શકતો નથી. આવા વ્યક્તિની આખી રાત માત્ર બાજુ બદલવાથી જ નીકળી જાય છે, આવી સ્થિતિમાં આ મંત્રનો જાપ કરવાથી રાત્રે સારી ઊંઘ આવશે અને ધીરે ધીરે રોગમાંથી મુક્તિ મળશે.

अच्युतानन्त गोविन्द नामोच्चारणभेषजात्।
नश्यन्ति सकला: रोगा: सत्यं सत्यं वदाम्यहम्।।

ચોરીનો ભય દૂર કરવા

ક્યારેક રાત્રે સુતા પહેલા ચોર કે ડાકુ આવી જવાનો ભય રહે છે અથવા તો તમારા રૂમમાં કોઈ આવી જશે તેનો તમને ભય હોય અને એના કારણે તમે સારી રીતે ઉંઘી શકતા નથી અને થોડીવાર પછી તમારી આંખો ખુલી જાય છે.

આવી સ્થિતિમાં, જો તમે સૂતા પહેલા ઘરને તાળું મારીને આ મંત્રનો જાપ કરશો, તો ચોર અથવા ડાકુ તમારા ઘર તરફ નહીં આવે અને તમે રાહત અનુભવશો, જેનાથી તમે સારી રીતે ઊંઘી શકશો.

आदिचौरकफल्लस्य ब्रह्मदत्तवरस्य च।
तस्य स्मरणमात्रेण चौरो विशति न गृहे।।

સુખદ ઊંઘ માટે

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ઘણી વખત તમે ભાગદોડ અને તણાવના કારણે ઊંઘી શકતા નથી અથવા જો તમે ઘરની બહાર ક્યાંક રહેતા હોવ તો નવી જગ્યાએ સૂવામાં સમસ્યા આવે છે, આવી સ્થિતિમાં જો તમે આ મંત્રનો જાપ કરો તો તમને સુખદ ઊંઘ આવી જશે.

સુતા પહેલા દુર્ગા સપ્તશતીના આ મંત્રનો 11 કે 21 વાર જાપ કરો. તેનાથી સારી ઊંઘ આવશે. જે લોકો અનિદ્રા અથવા માનસિક તણાવમાં રહે છે તેઓ પણ સારી ઊંઘ માટે આ મંત્રનો જાપ કરી શકે છે.

या देवी सर्वभूतेषु निद्रा-रूपेण संस्थिता।
नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

જો તમે પણ અનિંદ્રાની સમસ્યાથી પરેશાન થઇ ગયા છો તો અહીંયા જણાવેલ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંત્રો બોલીને સારી ઊંઘ મેળવી શકો છો. આવી જ માહિતી વાંચવા માટે અમારી સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા