sleep home remedy in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે મારે રાત્રે 11 વાગે સુઈ જવું હતું, પરંતુ હજુ હું 3 વાગે ફેસબુક જોઈ રહ્યો છું. આજકાલ આ નજારો દુનિયાભરમાં જોવા મળી રહ્યો છે. તમે વહેલા સૂવા તો માંગો છો પરંતુ તમારું મન બીજી દિશામાં ભટકી રહ્યું હોય છે. રાત્રે ઊંઘ ના આવવાને કારણે તમે તમારા મિત્ર સાથે ચેટ કરવાનું શરૂ કરો છો અથવા તમે ફેસબુક જોવાનું શરૂ કરો છો અથવા યુટ્યુબ પર વિડિયો જોવાનું શરૂ કરો છો.

તે જ સમયે, ઊંઘવાનો પ્રયત્ન કરવાને બદલે તમે સોશિયલ મીડિયાને વળગી જાઓ છો. ઊંઘ ન આવવાના આ રોગને અનિદ્રા તરીકે ઓળખીએ છીએ. જીવનશૈલીના રોગો દરેકને અસર કરે છે અને તેમાં હાયપરટેન્શન, તણાવ, હતાશા અને અનિદ્રા વગેરેનો સમાવેશ થાય છે.

આજકાલના વ્યસ્ત જીવનમાં કલાકો સુધી કામ કરવું અને ઝડપથી પૈસા કમાવાને લીધે નિંદ્રાની આ બીમારી દિવસે ને દિવસે વધી છે. મન અને શરીરનો થાક, વધુ પડતું કામ, ઉતાવળમાં ખાવું અને જંક ફૂડ પર વધુ પડતી નિર્ભરતાને કારણે જીવનશૈલીમાં ગરબડ ઊભી થાય છે.

અનિદ્રા વ્યક્તિના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને બગાડી શકે છે. એક અભ્યાસ મુજબ યુ.એસ.માં 30 થી 40 ટકા પુખ્ત વયના લોકો ઊંઘ ના આવવાની બીમારીથી પીડાય છે, જ્યારે 10 થી 15 ટકા પુખ્ત વયના લોકોને આ બીમારી તેમના પરિવારમાંથી વારસામાં મળે છે. ભારતમાં એક કરોડથી વધારે લોકો અનિંદ્રાની સમસ્યાથી પીડિત છે.

આનું એક મુખ્ય કારણ એ છે કે કોઈપણ વ્યક્તિ તેના બધા કામને પુરા કરવાનો પ્રયત્ન કરે છે, કારણ કે તેને વધારે પૈસા કમાવવાના છે અને તે મોડી રાત સુધી ઓફિસમાં જ રહે છે. તેણે પાર્ટીમાં પણ જવું છે પણ તે ઓફિસ પછી પાર્ટીમાં હાજરી આપે છે. આજે તેના જીવનમાં બધું જ બરાબર છે પરંતુ ઊંઘ નામની વસ્તુ ખૂટે છે.

ઊંઘનો અભાવ : આપણામાંથી ઘણી મહિલાઓ એ પણ નથી જણાતી કે આપણા મગજમાં ઊંઘનું અને જાગવાનું ચક્ર હોય છે. જો સ્લીપ સાયકલ વર્કિંગ મોડમાં હોય તો જાગવાની સાઈકલ બંધ થઈ જાય છે કારણ કે જ્યારે સ્લીપ સાઈકલ કામ કરવાનું બંધ કરે છે ત્યારે તે અસર કરે છે. તેથી જ્યારે કોઈ વ્યક્તિ અનિદ્રાની સમસ્યાથી પીડાય છે ત્યારે તેની જૈવિક પ્રણાલીમાં બંને ચક્ર એક જ બાજુએ કામ કરે છે.

ઊંઘ ન આવવાની આ આદત સ્વાસ્થ્ય માટે હાનિકારક છે અને તે જીવન પર ઊંડી અસર કરે છે. આ કારણે કોઈપણ મહિલાને ઊંઘ આવવામાં અને સુવામાં ઘણી તકલીફ થાય છે. જેના કારણે તેનું મન એક જગ્યાએ લાગતું નથી અને મૂડ સતત બદલાતો રહે છે, તેની શક્તિમાં ઘટાડો થાય છે. આ સિવાય ઓફિસમાં પણ તેમના કામને અસર થાય છે.

ઊંઘ ન આવવાથી થાય છે આ સમસ્યાઓ : નિંદ્રાની સમસ્યાથી પીડિત લોકો તેમના દરરોજની જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરે છે. ઊંઘ ન આવવાને કારણે વ્યક્તિ તણાવમાં ડૂબી જાય છે, તે ઝડપથી ગુસ્સે થઈ જાય છે. તેનું મગજ બરાબર કામ કરતું નથી. કેટલીક મહિલાઓ લાંબા સમય સુધી ઓફિસમાં એક જ ખુરશી પર બેસીને તે લાંબા સમય સુધી કામ કરતી રહે છે, જેના કારણે કરોડરજ્જુમાં દુખાવો થાય છે અને કમરના દુખાવાની શિકાર બને છે.

ઊંઘ માટે કુદરતી થેરેપી : જો કોઈપણ વ્યક્તિની ઊંઘ ન આવવાની સમસ્યા 3 થી 4 અઠવાડિયાથી વધારે સમયથી છે તો તેમને ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કેટલીક સ્ત્રીઓને ઊંઘ ના આવવાની સમસ્યાની સારવાર લેવાથી પણ ડર લાગે છે કારણ કે તેઓ વિચારે છે કે આ રોગ માટે દવાઓ લાવવાથી તેમને બીજી આડઅસર ભોગવવી પડશે.

પરંતુ આ સમસ્યાને કુદરતી સારવારથી પણ દૂર કરી શકાય છે. સારા જીવન માટે 8 કલાકની પુરી ઊંઘ અને સારી ઊંઘની જરૂર છે. ઊંઘ સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી છે. જો તમને પણ ઊંઘ નથી આવતી તો તમે આ ઉપાય ઘરે જ અજમાવી શકો છો. તો ચાલો જાણીયે શું છે આ ઉપાય.

પહેલા ગરમ પાણીથી સ્નાન કરો અને પછી સુવો. તે એક કસરત જેવું કામ કરે છે. હુંફાળા પાણીથી સ્નાન કર્યા પછી તમને પથારીમાં જતાની સાથે જ ઊંઘ આવી જશે. આખા દિવસની સખત મહેનત પછી તમારા સ્નાયુઓને આરામ આપવા અને સારી ઊંઘ આપવા માટે તમારા શરીરને કુલડાઉનની જરૂર છે.

આ માટે તમે એક ટબ અથવા ડોલમાં નવશેકા પાણીમાં તમારા પગને ડૂબાડી શકો છો. તમારા શરીરના સ્નાયુઓને આરામ આપવા માટે તમે પાણીમાં એક ચમચી એપ્સમ મીઠું અથવા ડેડ સી મીઠું નાખી શકો છો. ફુટ બાથ તમારી ત્વચાને અનિચ્છનીય બેક્ટેરિયાથી બચાવે છે અને દિવસના થાકને કારણે થતા પગના દુખાવાને પણ ઘટાડે છે.

તમે તે ગરમ પાણીમાં આવશ્યક તેલ પણ ઉમેરી શકો છો, જે તમને આરામ કરવામાં મદદ કરી શકે છે. ઊંઘ ના આવવાની સમસ્યામાં ઘણા તેલ ખૂબ ફાયદાકારક છે. તમે તુલસીનું તેલ, દેવદારના લાકડાનું તેલ, લવંડર તેલ, રોઝમેરી તેલનો ઉપયોગ કરી શકો છો. તમારે ફક્ત આ તેલના 1-2 ટીપા પાણીની ડોલમાં નાખવાના છે. તે શરીરના અંદરના ભાગમાં પહોંચે છે અને ફોલિકલ્સને રાહત આપે છે.

ગરમ પાણી થાકેલા શરીર પર જાદુનું કામ કરે છે. જો કોઈ વ્યક્તિ પાસે સૂતા પહેલા ગરમ પાણીથી સ્નાન કરવાનો સમય નથી તો તે અડધો કલાક સુધી ગરમ પાણીમાં પગ રાખીને બેસી શકે છે. આખા દિવસની મહેનત અને થાક પછી આરામ કરવાની આ એક સરસ રીત છે. આ ઉપાય ત્વચાને હાઇડ્રેટ કરે છે અને સ્નાયુઓને ઢીલા કરે છે. જે તમને પથારી પર સૂતાની સાથે જ ઊંઘ લેવામાં મદદ કરે છે.

આવશ્યક તેલની સુગંધ તમને ઊંઘ લેવામાં મદદ કરે છે. લવંડર, જાસ્મીન, નેરોલી અને યાંગ-લોંગ જેવા તેલથી મસાજ એ અનિદ્રાથી પીડાતા લોકો માટે કુદરતી ઉપચાર છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે લવંડર ઓઈલથી માલિશ કરવાથી તે તેલ લગાવ્યાની 5 મિનિટમાં શરીરના કોષો સુધી પહોંચી જાય છે અને તમને નિંદ્રાથી બચાવે છે. આ રીતે તેની સુગંધ મગજ સુધી પહોંચે છે અને તેલના બાષ્પયુક્ત આંતરિક તત્વો સીધા શ્વાસમાં પ્રવેશ કરે છે.

જો તમને મોડે સુધી ઊંઘ નથી આવતી તો તમે પણ ઉપર જણાવેલી આ ટિપ્સ અજમાવી શકો છો. જો તમને પણ આ માહિતી ગમી આવી હોય તો, આવી જ બીજી જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો, તમને અહીંયા બ્યુટી ટિપ્સ, કિચન ટિપ્સ અને હોમમાં ટિપ્સ સબંધિત માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા