low flame on gas stove
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

રસોઈ બનાવવી એ પણ એક કળા છે અને તેને બનાવતી વખતે માત્ર સ્વાદ જ નહીં પરંતુ પોષણનું પણ ધ્યાન રાખવામાં આવે છે. આ જ કારણ છે કે રસોડામાં રસોઈ બનાવતી વખતે મહિલાઓ ઘણી તરકીબો અપનાવતી હોય છે. ખોરાકને બાફવાથી લઈને ઉકાળવા વગેરે માટે ઘણી પદ્ધતિઓ અપનાવવામાં આવે છે.

એટલું જ નહીં, રસોઈ બનાવતી વખતે ગેસની આંચ પર પણ ધ્યાન આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે, ખોરાકને ઊંચી આંચથી ઓછી આંચ સુધી રાંધવામાં આવે છે. સામાન્ય રીતે, લોકો ઝડપથી રસોઈ બનાવવા માટે ઊંચી જ્યોત પર રાંધે છે, જ્યારે ધીમી આંચ પર રસોઈ ઘણી રીતે ફાયદાકારક માનવામાં આવે છે.

સૌ પ્રથમ, ધીમી આંચ પર રાંધતી વખતે, ખોરાકને વધારે ચડી જવાની શક્યતા ઘણી ઓછી હોય છે. એટલું જ નહીં, આ પ્રકારનો ખોરાક પચવામાં પણ સરળ હોય છે અને તેમાં પોષક તત્વો પણ જળવાઈ રહે છે. પરંતુ જ્યારે ભોજનને ધીમી આંચ પર રાંધવામાં આવે, તો તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડશે. તો આજે આ લેખમાં અમે તમને એવી કેટલીક નાની-નાની ટિપ્સ વિશે જણાવી રહ્યા છીએ, જેને તમારે ધીમી આંચ પર રાંધતી વખતે ધ્યાનમાં રાખવી જોઈએ.

ઢાંકણ ઢાંકવું કે નહીં

સામાન્ય રીતે, જ્યારે આપણે ધીમી આંચ પર રસોઈ બનાવીએ, ત્યારે ઢાંકણ ઢાંકવું કે નહીં તે અંગે મૂંઝવણ હોય છે. જો કે, તમે જે ખાદ્યપદાર્થો બનાવી રહ્યા છો તેના આધારે તમારે ઢાંકણ ઢાંકવું અથવા દૂર કરવું જોઈએ. ઉદાહરણ તરીકે, સૂપ અને સોસને ઉકળવા માટે દર 10-15 મિનિટે ચેક કરવું પડે છે, તેથી આવા ખોરાકને રાંધતી વખતે ઢાંકણ ન લગાવવું વધુ સારું છે. દૂધ અને ભાતને પણ ઢાંકણ લગાવ્યા વગર ઉકાળવા જોઈએ. ઉકળે ત્યારે વાસણને ઢાંકવાથી ગરમી વધી શકે છે, જેના કારણે ખોરાક પણ બહાર પડી જાય છે.

પહેલા તેને ઉકળવા દો

જ્યારે તમે ધીમી આંચ પર રાંધતા હોવ ત્યારે તમારી પદ્ધતિ સાચી હોવી જોઈએ. જો તમે ખોરાકને યોગ્ય રીતે રાંધવા માંગતા હોય તો પહેલા ખોરાકને ઊંચી આંચ પર ઉકળવા દો. જ્યારે તે ઉકળવા લાગે, તાપમાન ઘટાડીને તેને પાકવા દો. આનાથી, તમારો ખોરાક ઓછા સમયમાં રંધાઈ જાય છે અને કાચો રહેવાની સંભાવના પણ નહિવત થઇ જાય છે. આ સરળ પગલાને અનુસરીને, તમારું ભોજન ખૂબ સ્વાદિષ્ટ બને છે.

આ પણ વાંચો : ગેસ પર દૂધ ઉકાળવા માટે મૂકીને ભૂલી જાઓ છો કરો આ એક કામ ક્યારેય વાસણની બહાર નહીં આવે

ખોરાક વચ્ચે વચ્ચે હલાવો

ઘણીવાર લોકો આ ટીપને અવગણતા હોય છે. તેઓને લાગે છે કે જ્યારે ખોરાકને ધીમી આંચ પર રાંધવામાં આવે છે ત્યારે ખોરાકને વારંવાર હલાવવાની કોઈ જરૂર નથી. જ્યારે હકીકતમાં એવું નથી. તમારે હંમેશા ચેક કરવું જોઈએ કે, જ્યારે તમે ખોરાકના તાપમાન જાળવી રાખવા માટે તેને વચ્ચે વચ્ચે હલાવો. આમ ન કરવાથી ખોરાક તળિયે ચોંટી જાય છે અને બળી પણ શકે છે. તેથી, એકવાર ખોરાક ઉકળે, ગેસની આંચ ધીમી કરો અને તેને ક્યારેક-ક્યારેક કણછીથી મદદથી હલાવતા રહો.

તો હવે તમે પણ ધીમી આંચ પર રસોઈ બનાવતી વખતે આ નાની ટિપ્સ ફોલો કરો અને તમારા ભોજનને વધુ સારી રીતે રાંધો. તમે પણ અમને આ લેખ વિશે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવો. ઉપરાંત, જો તમને આ લેખ ગમ્યો હોય, તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા