lohi banava mate
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

અહીંયા તમને 2 એવી વસ્તુઓ વિષે જણાવીશું જે વસ્તુઓ વિષે બધા જ લોકો જાણે છે પરંતુ આ બે વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવો અને તેના ફાયદા શું છે તે વિશે મોટાભાગના લોકો અજાણ હશે. જો તને તમારા સ્વાસ્થ્યને લઈને ખુબજ ચિંતિત હોવ છો અને તમારા શરીરને નિરોગી રાખવા માંગો છો તો તમારા માટે આ આરોગ્યપ્રદ વિકલ્પ હોઈ શકે છે.

જો તમારા શરીરમાં લોહીની ઉપન છે અને તમને કફની સમસ્યા પણ રહે છે તો આ બે વસ્તુ નું સેવન રોજ કરવાથી તમારા શરીર લોહીની ઉણપ દૂર થાય છે અને કફની સમસ્યામાંથી પણ છુટકારો મળે છે. આ સાથે તમારા શરીરમાં ઘટતા તત્વો પણ કંટ્રોલમાં આવી જશે.

લોહીની ઉપન સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે જે આ બે વસ્તુઓ ખાવાથી દૂર કરી શકાય છે. આ બે વસ્તુઓ દરરોજ ખાવાથી તમારા શરીર માં 100 વર્ષો સુધી હાડકાની નાની મોટી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે.

આ બે વસ્તુનું સેવન તમારે રોજ બપોરે જમ્યા પછી અથવા તો રાતે જમ્યા પછી અથવા સવારે ઉઠીને હળવો નાસ્તો કર્યાં પછી કરી શકો છો. આ બે વસ્તુનું સેવન કોઈ પણ માણસ આસાનીથી કરી શકે છે કારણકે આ આ એકદમ સાદો અને સિમ્પલ ખોરાક છે. આ બે વસ્તુનું સેવન કરવાથી બધાજ લોકોને ફાયદો થાય છે.

હવે જાણીએ કે આ કઈ બે વસ્તુ છે જેનું દરરોજ સેવન કરવાથી સ્વાસ્થ્યને આટલા બધા ફાયદા થાય છે. સૌથી પહેલી વસ્તુ એટલે કે બધાના ઘરે સરળતાથી મળી રહેતો દેશી ગોળ. દેશી ગોળની અંદર આયર્ન ભરપૂર માત્રામાં રહેલું હોય છે. ગોળ કફને તોડવાનું કામ કરે છે અને લોહીની ઉપન દૂર કરી, લોહી વધારવાનું કામ કરે છે.

આ સાથે સાથે ગોળ શરીર ને ઉર્જાથી ભરી દે છે. હવે જાણીએ બીજી વસ્તુ જે ગોળ સાથે લેવાની છે તેનું નામ છે ચણા. ચણા એટલે શેકેલા ચણા. આ બે વસ્તુઓ એટલે કે ચણા અને ગોળનું સેવન તમારે સાથે કરવાનું છે.

આ બને વસ્તુને થોડી થોડી માત્રામાં લેવાની છે અને અને રોજ બપોરે જમ્યા પછી , કે રાતે જમ્યા પછી અથવા તો સવારે ઉઠીને હળવો નાસ્તો કર્યા પછી આ બે વસ્તુનું સેવન કરવાનું છે. શેકેલા ચણા અને ગોળ લોહીની લોહીની ઉણપ દૂર કરવાની સાથે સાથે તેનું સેવન શરીરને બીજા ઘણા લાભ કરાવે છે.

ગોળ અને ચણા તમારા શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. ગોળ અને ચણામાં એન્ટિ-એલર્જિક તત્વો રહેલા હોય છે, તેથી તેનો ઉપયોગ અસ્થમાના દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે

ગોળ અને ચણા માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. જે શરીરની માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે. જો તમે વર્કઆઉટ કરો છો તો તમારે ચણા અને ગોળનું સેવન જરૂરથી કરવું જોઈએ કારણ કે ગોળ અને ચણા સાથે ખાવાથી શરીરને તાકાત મળે છે અને માંસપેશીઓ મજબૂત બને છે.

શરીરમાં બ્લુડ સુગરને કંટ્રોલમાં રાખવામાં પણ ગોળ અને ચણા ફાયદાકારક સાબિત થાય છે. તમને જણાવીએ કે ગોળ નેચરલ શુગર હોય છે જે ડાયાબિટીસના દર્દીઓને કોઈ નુકસાન કરતુ નથી એટલા માટે જ ગોળ અને ચણા ડાયાબિટીસ પેશન્ટ માટે ફાયદાકારક છે.

જે લોકો વજન વધુ છે અને ઓછું કરવા માંગે છે તે લોકોએ દરરોજ ચણા અને ગોળનું સેવન કરવાનું શરૂ કરવું જોઈએ. આ મેદસ્વીતા ઘટાડવામાં મદદ કરે છે અને ચયાપચયને વધારે છે. તમને જણાવીએ કે ગોળ અને ચણા માં ભરપૂર માત્રામાં ઝિંક રહેલું હોય છે.

આથી તેનું નિયમિત સેવન કરવાથી ચામડીને તડકા થી થતા નુકસાન સામે રક્ષણ મળે છે. જો તમને આ જાણકારી પસંદ આવી હોય તો, આવી જ જીવન ઉપયોગી માહિતી ઘરે બેઠા મેળવવા માટે રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો, અહીંયા તમને કિચન ટિપ્સ, રેસિપી, બ્યુટી અને હેલ્થ સબંધિત જાણકારી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા