kabjiyat ni dava gujarati ma
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજકાલ મોટાભાગના લોકોને સવારે પેટ સાફ નથી થતું. જો પેટ સાફ ન રહે તો ઘણી બીમારીઓ થવાની શક્યતા વધી જાય છે. પેટ સાફ ન થવાનું સૌથી મોટું કારણ કબજિયાત છે. અસ્વસ્થ જીવનશૈલીના કારણે મોટાભાગના લોકો કબજિયાતની સમસ્યાથી પરેશાન થઇ રહયા છે.

કબજિયાતની સમસ્યાનું સૌથી મોટું કારણ યોગ્ય સમયે ભોજન ન કરવું હોય છે. આ સિવાય શરીરમાં પાણી અને ફાઈબરની ઉણપ પણ આ સમસ્યા થવાનું કારણ છે. કબજિયાતની સમસ્યામાંથી રાહત મેળવવા માટે આહાર પર વિશેષ ધ્યાન આપવું જરૂરી છે.

આ લેખમાં અમે તમને કેટલાક એવા ખોરાક વિશે જણાવી રહયા છીએ, જેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા હોય તેના કરતા વધી શકે છે. સફરજન સહિત એવા કેટલાક ખોરાકનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા વધે છે. તો ચાલો જાણીયે એવા કેટલાક ખોરાક વિશે.

શું છે કબજિયાતની સમસ્યા ? કબજિયાત એ એક પેટ સંબંધિત બીમારી છે. આ સમસ્યામાં, મળત્યાગ કરવો ખૂબ મુશ્કેલ બની જાય છે, કારણ કે મળ આંતરડા પર ચોંટી જાય છે જેના કારણે મળ બહાર નથી આવી શકતો. જ્યારે મળ મોટા આંતરડામાં અટકી જાય છે, ત્યારે ગેસની સમસ્યા પણ શરૂ થઇ જાય છે.

ક્યારેક આ સમસ્યા ઘણી હદ સુધી વધી જાય છે. આ સમસ્યા દરમિયાન દર્દીને ભૂખ ઓછી લાગે છે અને પેટ હંમેશા ફૂલેલું અને ભરેલું લાગે છે. કારણ કે ખાવામાં આવેલો ખોરાક પચતો નથી હોતો. વધુ પડતી કબજિયાતને કારણે મોંમાંથી દુર્ગંધ પણ આવવા લાગે છે અને આ કબજિયાતની સમસ્યા કોઈપણ વ્યક્તિને થઇ શકે છે.

ડેરી પ્રોડક્ટ : જે લોકોને કબજિયાત હોય તેમને ડેરી પ્રોડક્ટ્નું સેવન કરવું ટાળવું જોઈએ. કારણ કે ડેરી પ્રોડક્ટમાં લૈક્ટોઝ અને ચરબી વધુ માત્રામાં જોવા મળે છે. આવી સ્થિતિમાં આનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા વધી જાય છે. કબજિયાત દરમિયાન દૂધ, ચીઝ વગેરે ડેરી પ્રોડક્ટ્નું સેવન ના કરવું જોઈએ.

ઓઈલી ખોરાક : કબજિયાતના દર્દીએ ઓઈલી વસ્તુઓ ના ખાવી જોઈએ. કારણ કે ડીપ ફ્રાઈડ ફૂડ સેચ્યુરેટેડ ફેટથી ભરપૂર હોય છે અને આ પ્રકારનો ખોરાક આપણું શરીર પચાવી શકતું નથી, જેના કારણે પેટ સંબંધિત બીમારીઓ જવી કે કબજિયાત, અપચો થઈ શકે છે.

કોફી અને ચા : જો તમને કબજિયાત છે તો તે દરમિયાન ચા અને કોફીનું સેવન કરવાથી આ રોગ ગંભીર બની શકે છે. કોફીનું સેવન શરીરને ડીહાઇડ્રેટ કરે છે, તેથી આ કિસ્સામાં, તેનું સેવન કરવાનું ટાળવું જોઈએ.

પેક્ડ જ્યૂસ : આજના દિવસોમાં, પેકેજ્ડ જ્યુસનું સેવન પુષ્કર પ્રમાણમાં થાય છે. પરંતુ શું તમે જાણો છો કે આ જ્યુસ સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે. આ રસમાં પોષક ગુણો હોતા નથી. કારણ કે તેને બનાવતી વખતે ફળોના રસને ખૂબ ઉકાળવામાં આવે છે, જેના કારણે જરૂરી વિટામિન્સ અને પોષક તત્વોનો નાશ થાય છે.

આ સિવાય પેકેજ્ડ જ્યુસમાં આર્ટિફિશિયલ કલરનો પણ ઉપયોગ કરવામાં આવતો હોય છે. આવી સ્થિતિમાં તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા પહેલા કરતા વધી જાય છે.

જો તમને કબજિયાતની સમસ્યા છે તો ઉપર જણાવેલ ખોરાકને ખાવાનું ટાળવું જોઈએ. અમને આશા છે કે તમને અમારો આ લેખ જરૂર ગમ્યો હશે. આવા જ વધુ લેખો વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા