health tips for 40 year old woman in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વધતી જતી ઉંમરની સાથે સારું સ્વાસ્થ્ય રાખવું ખુબ જ જરૂરી છે. 40 વર્ષની ઉંમર પછી નિષ્ણાતો સલાહ આપે છે કે 40 વર્ષની ઉમર પછી સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેવાનું બંધ કરવું જોઈએ અને શક્ય હોય ત્યાં સુધી આપણી આદતોમાં સારી બાબતોનો સમાવેશ કરવો જોઈએ.

આમ કરવામાં આવે તો માત્ર હૃદયની બીમારીઓનું જોખમ જ નથી વધારી દેતી પરંતુ ત્વચા પર વૃદ્ધત્વ દેખાવાની સાથે બીજી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થાય છે. પરંતુ સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે ઉંમર વધવાને સાથે મહિલાઓ ફિજિકલ પ્રવૃત્તિથી દૂર રહે છે અને તેને ખરાબ સ્વાસ્થ્યનો જલ્દી ભોગ બનવું પડે છે.

હકીકતમાં આ એ ઉંમર હોય છે જ્યારે સ્ત્રીઓ તેમની મોટાભાગની જવાબદારીઓ પૂરી કરે છે અને આર્થિક રીતે પણ સ્થિર બને છે. જેના કારણે તે આરામદાયક જીવન જીવવાનું પસંદ કરે છે.

પરંતુ અમે તમને જણાવી દઈએ કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે કે 40 વર્ષની ઉંમર પછી પણ આપણે આપણી જીવનશૈલીને સ્વસ્થ રાખીએ અને સક્રિય જીવન જીવીએ. અહીં અમે તમને જણાવી રહ્યા છીએ કે સામાન્ય રીતે મહિલાઓ 40 વર્ષની ઉંમર પછી બિનઆરોગ્યપ્રદ આદતોનો શિકાર બની જાય છે જે તેમના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી શકે છે.

ચેકઅપ ના કરાવવું

સામાન્ય રીતે 40 વર્ષની ઉંમર એટલે તમારા સ્વાસ્થ્યને જાળવી રાખવું પરંતુ સ્ત્રીઓ તેમને ટાળે છે. પરંતુ દર વર્ષે ચેકઅપ માટે તમારા ડૉક્ટરની મુલાકાત લો અને સ્ત્રીઓ માટે, તમારું પેપ સ્મીયર અને મેમોગ્રામ કરાવો.

40 વર્ષની ઉંમર પછી બીપી વધવાની સમસ્યા બહુ સામાન્ય છે અને આવી સ્થિતિમાં ભવિષ્યમાં તમને કિડની, હૃદયની સમસ્યા થઈ શકે છે તો આવી સ્થિતિમાં સમયાંતરે બીપી ચેક કરાવતા રહો.

આ સિવાય 40 વર્ષની ઉંમર પછી ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે દર વર્ષે સંપૂર્ણ બોડી ચેકઅપ કરાવતા રહો, ઉદાહરણ તરીકે કોલેસ્ટ્રોલ, બીપી, હૃદયરોગ, કિડનીની કામગીરી વગેરે વગેરે. જો તમે કોઈ બોડી ચેકઅપ નહિ કરવો તો અચાનક કોઈ જૂની સમસ્યા તમારી સામે આવી શકે છે.

વર્કઆઉટ કરતા નથી

વર્કઆઉટ કરવું દરેક ઉંમરે ખૂબ જ જરૂરી છે અને આવી સ્થિતિમાં ઘણી મહિલાઓ 40 વર્ષ પછી વર્કઆઉટ કરવાનું છોડી દે છે. પરંતુ અમે તમને જણાવી દઈએ કે 40 વર્ષ પછી તમારા માટે તમારી દિનચર્યામાં યોગ, ધ્યાન, ચાલવું વગેરેને સામેલ કરવું ખૂબ જરૂરી છે. વ્યાયામ ના કરવાને કારણે તમે જાડા થઇ જશો અને તમારા હૃદય રોગ થવાનું જોખમ વધી શકે છે.

આ ઉંમરે મહિલાઓ મગજની કસરત કરવાનું ટાળે છે. પરંતુ જો તમે 40 વર્ષની ઉંમર પછી મગજની કસરત નથી કરતા તો તમને નબળી યાદશક્તિની સમસ્યા થઈ શકે છે. તો આવી સ્થિતિમાં મગજની રમત માટે તમે ચેસ, બોર્ડ ગેમ્સ વગેરે ગેમ રમવી જોઈએ.

આ સિવાય પણ તમે અમુક સમય કાઢીને મેડિટેશન કાઢો. ધ્યાન માટે સમય કાઢવો તમને તમારી વર્તમાન માનસિક સ્થિતિને સમજવામાં મદદ કરશે અને શ્રેષ્ઠ માર્ગ માટે શાંતિ અને માર્ગદર્શન પણ આપી શકે છે તો જરૂર સમય કાઢવો જોઈએ.

સ્વસ્થ ખાવાનું ટાળવું

40 વર્ષની ઉંમર પછી મહિલાઓએ પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હેલ્ધી ડાયટ લેવું જોઈએ પરંતુ આવું ભાગ્યે જ જોવા મળે છે. 40 વર્ષની ઉંમર પછી આપણે શરીરમાં જે સૌથી મોટા ફેરફારોનો અનુભવ કરીએ છીએ તે એ છે કે આ ઉંમરે આપણું મેટાબોલિઝમ ધીમું પડી જાય છે. તેથી કેલરી ખર્ચ કરવા પર ધ્યાન આપો કારણ કે પેટ ભરેલું મહેસુસ કરાવે છે.

ભોજનનો સમય પણ તમારા ચયાપચય માટે ખરેખર મહત્વપૂર્ણ છે. આપણે જે કરી શકીએ તે સૌથી સારી બાબત એ છે કે આપણે જાગવાના પહેલા કલાકમાં નાસ્તો કરીને આપણા શરીરને ફરી ભરી શકીએ છીએ. તમારા ચયાપચયની શરૂઆત સવારે એક હેલ્ધી બ્રેકફાસ્ટ કરવાની સાથે તેને ચાલુ રાખવા માટે તમારે આખો દિવસ સતત ખાવું પણ જરૂરી છે.

તમારા શરીરને ઉર્જા પ્રદાન કરવા અને તેનો કાર્યક્ષમ ઉપયોગ કરવા માટે સવારના નાસ્તા પછી દર 4 થી 6 કલાકે ખાવું જોઈએ. પ્રોટીનનું સતત સેવન કરવાનો અર્થ એ નથી કે તમારે બોડી બિલ્ડર બનવાની જરૂર છે પરંતુ આપણે ઉંમર પ્રમાણે મસલ્સને મજબૂત બનાવવા માટે આ પોષક તત્વોની જરૂર હોય છે.

દરેક ભોજનમાં 20 થી 30 ગ્રામ પ્રોટીન હોય તેની કાળજી લેવી જોઈએ. તમારી પાસે જેટલી વધારે મસલ્સ હશે તેટલું જ તમારા શરીર પર ચરબી ઓછી થશે. અત્યાર સુધી તમે કદાચ જાણતા હશો કે એન્ટીઑકિસડન્ટો હેલ્દી હોય છે પરંતુ પોષક તત્ત્વો ખાસ કરીને મહત્વપૂર્ણ છે કારણ કે તે તમારી ઉંમરની સાથે ત્વચાને નુકસાનથી બચાવવામાં મદદ કરે છે.

તેથી તમારે આહારમાં ફળો, શાકભાજી, બદામ અને કઠોળ વગેરે ખાવું જોઈએ. આપણા શરીરનો ત્રણ ચતુર્થાંશ ભાગ પ્રવાહી હોય છે. આપણે જેટલા વધુ સારી રીતે હાઇડ્રેટેડ હોઈએ છીએ તેટલી જ આપણી ત્વચા વધારે ચમકદાર દેખાય છે અને વધુ સારી લાગે છે. તેથી તમારા આહારમાં પુષ્કળ પાણી પીવાનો પ્રયત્ન કરો.

બીજી બાબતોનું પણ ધ્યાન રાખો

40 વર્ષની ઉંમર પછી ખોટી રીતે બેસવાથી હાડકામાં દુખાવો અથવા સ્નાયુઓમાં ખેંચાણ થઈ શકે છે અને આ આદતને કારણે પાછળથી કરોડરજ્જુમાં સમસ્યા પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં તમારા માટે કરોડરજ્જુની કસરત કરવી જરૂરી છે. આ સિવાય યોગ્ય મુદ્રામાં બેસીને લેપટોપ વગેરેનો ઉપયોગ કરો.

જો તમે 40 વર્ષની ઉંમર પછી પણ ધૂમ્રપાન કરો છો તો તે શ્વસન અંગ માટે હાનિકારક છે અને હૃદય રોગનું જોખમ વધારે છે તો બંદ કરવું જોઈએ. આ ઉંમર પછી રાત્રે સાતથી નવ કલાકની ઊંઘની જરૂર છે. સુતા પહેલા બે કલાક ઈલેક્ટ્રોનિક્સ એટલે મોબાઈલ વગેરેને દૂર રાખો.

જો તમારી ઉંમર પણ 40 થી વધુ છે તો તમારે પણ આ બિનઆરોગ્યપ્રદ આદતો અપનાવવાનું ટાળવું જોઈએ. આવી જ બીજી વધારે માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા