does dal cause bloating and gas
Image credit - Freepik
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

પેટમાં ગેસ થવો ખૂબ જ સામાન્ય છે અને દરેક વ્યક્તિને ઓડકાર અથવા ફાર્ટ(પાદ) દ્વારા ગેસને બહાર કાઢે છે. જો કે, ઘણા લોકો ગેસ થવાને કારણે શરમ અનુભવે છે. પેટમાં ગેસ બનાવના ઘણા કારણો હોઈ શકે છે. તેમાંથી એક એ છે કે આપણે આપણી ખાણીપીણીમાં એટલી બધી ગરબડ કરીએ છીએ કે તેના કારણે પેટનું ફૂલવું અને ગેસ થાય છે.

આવી ઘણી ખાદ્ય વસ્તુઓ છે, જેના સેવનથી એસિડિટી અને ગેસની સમસ્યા વધી શકે છે. કેટલાક કઠોળ અને દાળએ ખાદ્ય પદાર્થોમાં સમાવેશ થાય છે જે પેટમાં ગેસનું કારણ બને છે.

ફંક્શનલ હોર્મોનલ હેલ્થ ન્યુટ્રિશનિસ્ટ શિખા ગુપ્તા તેના સોશિયલ મીડિયા દ્વારા ડાયટ અને હેલ્થ-ફિટનેસ સંબંધિત માહિતી શેર કરે છે. તેમની એક પોસ્ટમાં, તેમણે દાળને કારણે થતી બ્લોટિંગ વિશે પણ વાત કરી હતી. “દાળ અને કઠોળ ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે, પરંતુ તે પાચન સમસ્યાઓનું કારણ બની શકે છે. શિખાએ તેની પાછળનું કારણ અને દાળ ખાધા પછી પેટ ફૂલવાની સમસ્યાથી બચવાના ઉપાયો પણ જણાવ્યા છે, ચાલો આ લેખમાં તેના વિશે જાણીએ.

દાળ ખાવાથી ગેસ કેમ થાય છે?

વાસ્તવમાં, કઠોળમાં એક ખાસ પ્રકારનું શુગર હોય છે જે માણસ સંપૂર્ણપણે પચાવી શકતો નથી. બાકીની શુગરને તોડીને શોષી શકાય છે, પરંતુ માનવ શરીર ઉત્સેચકો ઉત્પન્ન કરતું નથી જે આ શુગરને યોગ્ય રીતે તોડી શકે. પેટના બેક્ટેરિયા આ શુગરને ખાય છે અને આથોની પ્રક્રિયા જે આપણા આંતરડામાં ચાલે છે તેનાથી ગેસ ઉત્પન્ન થાય છે. અમે આ વાયુને પાદ દ્વારા બહાર કાઢીએ છીએ.

ગેસ થવાનું કારણ

હવે જરૂરી નથી કે દાળ ખાવાથી પેટમાં ગેસ થશે. તે કોઈપણ કારણોસર ઉદભવી શકે છે. આંતરડાનો ગેસ હાઇડ્રોજન, નાઇટ્રોજન અને કાર્બન ડાયોક્સાઇડથી બને છે અને તેમાં કોઈપણ ગંધ હોતી નથી. ખાવામાં હાજર શુગર અને ઉચ્ચ સલ્ફર ખોરાક ખાવાથી ગેસમાંથી દુર્ગંધ આવે છે. આ એક સામાન્ય સમસ્યા છે.

આ રીતે દાળ ખાઓ, ગેસ અને પેટનું ફૂલવું નહીં થાય

ન્યુટ્રિશનિસ્ટ શિખા ગુપ્તા એવી પણ ટિપ્સ આપે છે, જેના પછી તમને ક્યારેય ગેસ અને બ્લોટિંગની સમસ્યા નહીં થાય. તેના દ્વારા જણાવવામાં આવેલી આ 3 ટિપ્સ તમારે પણ અજમાવવી જોઈએ-

પેટનું ફૂલવું અને ગેસથી બચવા માટે પહેલા દાળને ઓછામાં ઓછા 8-10 કલાક પલાળી રાખો. દાળ અને કઠોળને પલાળી રાખવું એ માત્ર પોષક તત્ત્વોના વધુ સારા શોષણ માટે જ સારું નથી, પરંતુ તે એમાઇલેઝને ઉત્તેજીત કરવામાં પણ મદદ કરે છે. એમાઇલેઝ એ એક મૉલીકયુલ છે જે દાળ અને કઠોળમાં જટિલ સ્ટાર્ચને તોડવામાં મદદ કરે છે, જે તેમને પચવામાં સરળ બનાવે છે.

દાળને પલાળતી વખતે પાણીમાં 1 ચમચી એપલ સાઇડર વિનેગર ઉમેરવાથી પણ ગેસ થતો અટકશે. એપલ સાઇડર વિનેગર સાદા પાણીની તુલનામાં ફાઇબરને નરમ કરવામાં અને એન્ટી ન્યૂટ્રિશિયન્ટને ઘટાડવામાં મદદ કરે છે. આ જ કારણ છે કે દાળને ઓછામાં ઓછા 6-10 કલાક પલાળવા દો. દાળને આખી રાત પલાળી રાખવી શ્રેષ્ઠ છે.

આ સિવાય દાળને રાંધતી વખતે ઉપર જે સફેદ ફીણ બને છે તેને દૂર કરો. આ સફેદ ફીણ સેપોનિન તરીકે ઓળખવામાં આવે છે અને દાળ રાંધતી વખતે ટોચ પર જમા થઇ જાય છે. આ પણ તમારી પેટ ફૂલવાની સમસ્યાનું એક મોટું કારણ બની જાય છે.

પ્રો ટીપ: હીંગ અને આદુ એ એવી વસ્તુ છે જે તમારી પાચન શક્તિ વધારવાનું કામ કરે છે. તમે જોયું જ હશે કે તુવેર દાળ બનાવતા પહેલા એક ચપટી હીંગ ચોક્કસથી ઉમેરવામાં આવે છે. તે વાત બનાવથી રોકે છે. જો તમે ભવિષ્યમાં દાળ બનાવશો તો તેમાં આદુ અને એક ચપટી હિંગ જરૂર નાખો.

હવે તમે પણ ન્યુટ્રિશનિસ્ટ દ્વારા આપવામાં આવેલી આ સરળ અને મહત્વપૂર્ણ ટિપ્સ અજમાવો અને દાળને કારણે થતી ગેસની સમસ્યાને અટકાવી શકો છો. 1 ચમચી ઘી ઉમેરીને તમારી દાળને સ્વાદિષ્ટ બનાવો અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ લો.

જો તમને અતિશય ગેસ થાય છે, તો તમારા ડૉક્ટરની મુલાકાત લો. ઘણી વખત આવું આંતરડાના નબળા સ્વાસ્થ્યને કારણે પણ થતું હોય છે. આ સાથે જ, જો તમને આ માહિતી ગમી હોય તો લાઈક અને શેર કરો. આવી વધુ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા