dayabitis no upay in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજના સમયમાં ડાયાબિટીસ જે મોટા ભાગના લોકોમાં જોવા મળતી સમસ્યા છે. અત્યારે ડાયાબિટીસ ગળ્યું ખાતા હોય તેમણેજ હોય એવું રહ્યું નથી. ગમે તે માણસને ડાયાબિટીસની તકલીફ થતી હોય છે. ડાયાબિટીસના દર્દીઓ ગણી બધી દવાઓ પણ લેતા હોય છે. ડાયાબિટીસના દર્દીએ ડાયાબિટીસ ને કંટ્રોલ કરવું ખુબજ જરૂરી છે.

જો ડાયાબિટીસમાં ધ્યાન ન આપીએ તો ઘણી મોટી મુશ્કેલીઓમાં મુકાઇ જવાય છે. તો આજે તમને જણાવીશું ડાયાબિટીસ માટેનો એક સચોટ ઉપાય વિશે. આ ઉપાય એકદમ સરળ છે. આ ઉપાય માત્ર ને માત્ર ઘરમાં રહેલી વસ્તુઓમાંથી જ બનાવવાનો છે. તો ચાલો જોઈએ સંપૂર્ણ અને સચોટ આયુર્વેદિક ઉપાય.

સૌથી પહેલા આપણે સામગ્રી જોઈશું. સામગ્રીમાં એક ગ્લાસ પાણી લેવાનું છે અને સાથે એક ચમચી મેથી અને એક ચમચી હળદર લેવાની છે. સૌથી પહેલા આપણે મેથીના ગુણો વિશેની વાત કરીશું કે શા માટે મેથી ડાયાબિટીસમાં ગુણકારી છે. ભારતીય ખાદ્ય પદાર્થોમાં મેથી દાણા વિશે તો બધા જાણતા જ હશો.

આપણે ઘણા બધા વર્ષો થી મેથીનો ઉપયોગ આપણા રસોડામાં કરતા આવ્યા છીએ. તો સૌથી પહેલા આપણે વાત કરીશું મેથીમાં રહેલા તત્વો વિષે. મેથીના દાણા ની અંદર પ્રોટીન, વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ઉપરાંત ફાઇબર, વિટામિન સી, પોટેશિયમ, આયર્ન ઉપરાંત બીજા એવા તત્વો રહેલા છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે.

મેથીદાણા માનવ શરીર માટે ફાયદાકારક છે. સાથે સાથે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. મેથીદાણાં ની અંદર રહેલ એમિનો એસિડ શરીરમાં ઈન્સ્યુલિન લેવલને જાળવી રાખવામાં મદદ કરે છે. તેનાથી ડાયાબિટીસનો રોગ એકદમ જડમૂળમાંથી મટી જાય છે.

તો જે લોકો ઇન્સ્યુલિન લઈ રહ્યા હોય તે લોકો માટે મેથીદાણા રામબાણ ઈલાજ છે. એટલા માટે આપણે મેથી દાણાનો ઉપયોગ કરીશું. સૌથી પહેલા મેથી દાણાને એક ગ્લાસ પાણીમાં ઉમેરીશું. હવે આપણે વાત કરીએ હળદર વિશેની. આયુર્વેદમાં પ્રમેહ રોગનું વર્ણન કરવામાં આવ્યું છે. પ્રમેહ એટલે ડાયાબિટીસ. ડાયાબિટીસ એટલે બ્લડમાં શુગરનું પ્રમાણ.

સુગરનું પ્રમાણ ઘટાડવા માટે એટલે કે નોર્મલ કરવા માટે લોહીની અંદર રહેલા સુગરને દૂર કરવા માટે હળદરનો ઉપયોગ કરીશું. હળદર ની અંદર રહેલું કરક્યુમિન નામનું તત્ત્વ છે જે ડાયાબિટીસને જળમાંથી મટાડે છે.

હળદર ની અંદર રહેલા પીળા રંગની અંદર એક રાસાયણિક તત્વ હોય છે જે તેના રંગના કારણે આપણા શરીરની અંદરથી શુગરનું પ્રમાણ લોહીમાં ભરેલું હોય તેને દૂર કરવાનું કામ કરે છે અને આ તરત જ તમને રિઝલ્ટ આપે છે. માટે આપણે આનો પ્રયોગ કરીશું. તો પાણીની અંદર હળદર ને ઉમેરી દેવી.

હવે આપણે તૈયાર થયેલા પાણીને ઉકાળીશું. આ મેથીદાણા અને હળદરના પાણીને ત્યાં સુધી ઉકાળવાનું છે કે જ્યાં સુધી પાણી અડધું ના થઇ જાય. આ પાણીને ધીમા અને મીડીયમ ગેસ પર જ ઉકાળવાનું છે જેથી મેથીના દાણામાં અને હળદરમાં રહેલા તત્વો સારી રીતે પાણીમાં ભળી જાય.

પાણી ઉકળીને અડધું થાય એટલે ગેસ બંધ કરીને પાણીએ ઠંડુ થવા માટે રાખો. પાણી ઠંડુ થઇ જાય એટલે તેને ગાળી દો.  હવે જાણીએ કે આ ડ્રિંક્સ નું સેવન ક્યારે અને કેવી રીતે કરવું. સવારે નરણા કોઠે તમારે આ ડ્રિંક્સ ને પીવાનું છે. ત્યાર બાદ તમારે એક ગ્લાસ સાંજે બનાવીને પી જવાનું છે. ડ્રિંક્સને તમે એક સાથે બનાવીને સવાર અને સાંજ તેનો ઉપયોગ કરી શકો છો.

તમે માત્ર ને માત્ર એક અઠવાડિયું જ આ પ્રયોગ કરશો અને તમે ફરી ડાયાબિટીસ નો રિપોર્ટ કરાવો તો તમારૂ શુગર લેવલ એકદમ ડાઉન આવશે. સાથે સાથે જ જો તમે ઇન્સ્યુલિન લઈ રહ્યા છો તો તમારે એ ઇન્સ્યુલિન લેવાની પણ જરૂર નહીં પડે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા