cow gobar benefits in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ગાય આપણી માતા છે તેવી રીતે ગાયના છાણને આયુર્વેદિક દ્રષ્ટિકોણથી ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. સાથે જ ગાયના છાણનું ધાર્મિક મહત્વ પણ અનેક ઘણું છે. ગાયના છાણને પવિત્ર માનવામાં આવે છે. ગાયના છાણાંનો ઉપયોગ મોટાભાગે પૂજા દરમિયાન કરવામાં આવે છે.

આ સિવાય ગાયના છાણના કેટલાક ખૂબ જ અસરકારક અને અનોખા ઉપાયો છે જે તમારી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે પરંતુ તમને ધન લાભ પણ મેળવી શકો છો. ચાલો જાણીએ ગાયના છાણાંના ઉપાયો વિશે.

વાસ્તુશાસ્ત્ર અનુસાર ગાયના છાણમાંથી નીકળતો ધુમાડો ખૂબ પવિત્ર અને અસરકારક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં જો નિયમિતપણે ગાયના છાણાંને સળગાવવામાં આવે અને તેનો ધુમાડો ઘરના દરેક ખૂણામાં કરવામાં આવે તો ઘરની બધી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

ઘરના મંદિરમાં દરરોજ ગાયના છાણાંને સળગાવીને આખા મંદિરમાં ફેરવ્યા પછી પરિવારના સભ્યો ઉપર ફેરવવાથી પરસ્પર પ્રેમ વધે છે અને જો ઘરમાં વિખવાદનું વાતાવરણ હોય તો તેમાંથી પણ શાંતિ આવે છે.

ગાયના છાણાં સળગાવવું શુભ છે, પરંતુ જો તેમાં ઘી અને કપૂર પણ નાખવામાં આવે તો તે વધુ શુભ અને ફળદાયી પરિણામ આપે છે. ગાયના છાણમાં કપૂર અને દેશી ઘી નાખીને સરગાવવામાં આવે તો ઘરમાં ભગવાનનો વાસ રહે છે.

ગાયના છાણ સળગાવતી વખતે જો તેમાં પીળી સરસવની દાળ બાળવામાં આવે અને તેનો ધુમાડો આખા ઘરમાં કરવામાં આવે તો તેનાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને ઘર હંમેશા ધન અને અનાજથી ભરેલું રહે છે.

આ સિવાય ગાયના છાણને બાળીને તેનો ધુમાડો જ્યાં તમે તમારા પૈસા રાખો છો ત્યાં કરવાથી પૈસા વધે છે અને આવકના નવા રસ્તા ખુલે છે. આટલું જ નહીં ઘરમાં ધનનો વાસ રહે છે અને વ્યર્થ ખર્ચ પણ આપોઆપ દૂર થવા લાગે છે.

એક અન્ય વિશેષ ઉપાય છે જે ફક્ત તે જ લોકો કરી શકે છે જેઓ માતાના ઉપાસક છે. એટલે કે જેના ઘરમાં માતા રાણીની પૂજા કરવામાં આવે છે, તેમણે દરરોજ ગાયના છાણનો ધુમાડો કરવો જોઈએ. જો કે, નવરાત્રિના દિવસોમાં છાણાનો ધુમાડો કરવામાં આવે છે, પરંતુ જો તમે આ નિયમને દરરોજ અપનાવશો, તો તમારા પર હંમેશા માતા રાણીની કૃપા રહેશે.

જો ગાયના છાણાને સરગાવીને તેમાં કપૂર અને લવિંગ પણ મિક્સ કરવામાં આવે અને તે ધુમાડો ઘરના ખૂણે-ખૂણે કરવામાં આવે તો તમારું અટકેલું કામ પૂર્ણ થવા લાગશે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ગાયના છાણના ધુમાડો કરવાથી વાસ્તુ દોષોથી છુટકારો મેળવી શકાય છે.

સાથે જ જો દિવસના અંતે સાંજના સમયે આ ધુમાડો કરવામાં આવે તો તમારા ઘરમાં હંમેશા મા લક્ષ્મીનો વાસ રહેશે. તો આ ગાયના છાણના કેટલાક શ્રેષ્ઠ ઉપાયો હતા, જેને કરવાથી તમે તમારી બધી સમસ્યાઓમાંથી બહાર નીકળીને નવો રસ્તો મેળવી શકો છો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.