ઘરે બનાવેલા મસાલાની વિશેષતા એ હોય છે કે તે ખાવાનો સ્વાદ વધારે છે. આ ફરક તો તમે બજારના મસાલાનો ઉપયોગ કરીને જાતે અનુભવ્યો જ હશે. બજારમાં મળતા મસાલાના સ્વાદ અને રંગમાં બહુ મોટો ફરક હોય છે.
ઘરે બનાવેલો મસાલો ભોજનને સ્વાદિષ્ટ બનાવવામાં મોટી ભૂમિકા ભજવે છે. આજે અમે તમને રાજમા મસાલા પાવડર ઘરે કેવી રીતે બનાવી શકાય તેની જણાવવા જઈ રહ્યા છીએ. જો તમે ઘરે રેસ્ટોરન્ટ જેવા રાજમા બનાવવા માંગતા હોય તો ફક્ત આ એક ચમચી મસાલો નાખો.
રાજમા મસાલા પાવડર શું છે? તમે પહેલાથી જ જાણતા જ હશો કે પંજાબી રાજમા કેટલા સ્વાદિષ્ટ હોય છે. તે એટલો સ્વાદિષ્ટ હોવાનું મુખ્ય કારણ તેમાં ઉમેરવામાં આવતો મસાલો છે. રાજમા બનાવવા માટે બહુ મસાલાની જરૂર નથી પડતી. આ બનાવવા માટે તમારે 7-8 મસાલાની જરૂર પડશે
તમે માત્ર ઘરે બનાવેલા આ એક મસાલા વડે તમારા રાજમામાં સ્વાદ ઉમેરી શકો છો. આ મસાલાનો ઉપયોગ તમે રાજમા બનાવતી વખતે અથવા તેને છેલ્લે રાજમાં બન્યા પછી મિક્સ કરી શકો છો, તે તમારી પસંદગી છે. આ માટે વપરાતા આખા મસાલાને પહેલા શેકવામાં આવે છે.
સામગ્રી : આમચૂર – 70 ગ્રામ, દાડમનો પાવડર – 70 ગ્રામ, મેથીના દાણા – 120 ગ્રામ, જાયફળ – 1, લાલ મરચું – 50 ગ્રામ, જીરું – 70 ગ્રામ, સુકા આદુનો પાવડર – 50 ગ્રામ, તમાલપત્ર – 15 ગ્રામ, અજમો – 10 ગ્રામ, મોટી ઈલાયચી – 25 ગ્રામ, લવિંગ – 5 ગ્રામ અને જાવિત્રી – 10 ગ્રામ.
રાજમા મસાલા પાવડર બનાવવાની રીત – રાજમા મસાલા પાઉડર બનાવવા માટે પહેલા આખા મસાલાને સારી રીતે સાફ કરી લો અને પછી પેનમાં એક પછી એક કરીને શેકી લો. સૌથી પહેલા ધીમી આંચ પર પેન મૂકીને તેમાં મેથીના દાણા શેકી લો. પછી એક પ્લેટમાં કાઢીને રાખો.
એ જ પેનમાં અજમો નાખીને અડધી મિનિટ શેકીને કાઢી લો. એ જ રીતે બાકીની બધી સામગ્રી (આમચુર અને દાડમના પાવડર સિવાય) પેનમાં ઉમેરો અને સુગંધ આવે ત્યાં સુધી શેકી લો. જ્યારે તે શેકાઈ જાય ત્યારે મસાલાને બહાર કાઢીને ઠંડુ થવા દો.
હવે આ મસાલા ઠંડા થઇ જાય પછી મિક્સર જારમાં નાખીને બારીક પીસી લો. આટલું ખાસ ધ્યાન રાખો કે આમચુર અને દાડમના પાવડરને, બધા મસાલાને પીસી લીધા પછી છેલ્લે ઉમેરો. તેને હવાચુસ્ત ડબ્બા કે કન્ટેનરમાં ભરીને ઠંડી અને અંધારાવાળી જગ્યાએ સ્ટોર કરો.
આટલું ધ્યાન રાખો : રાજમા પાવડર બનાવ્યા પછી તેને ચાળણીથી ચાળી લો. હજુ જીણો પાવડર ના બન્યો હોય તો તેને વધુ એક વખત ગ્રાઇન્ડ કરી શકો છો. મસાલાને પીસતા પહેલા મસાલાને શેકવાનું ભૂલશો નહીં. તેનાથી સુગંધ જળવાઈ રહે છે.
મસાલાને બનાવ્યા પછી તરત જ ડબ્બામાં કે કન્ટેનરમાં ભરશો નહીં. મસાલાને બનાવ્યા પછી 5 મિનિટ માટે પ્લેટમાં રાખો. જે કન્ટેનરમાં મસાલો રાખવામાં આવ્યો છે તેને ગરમ જગ્યાએ ન રાખો. મસાલાને ક્યારેય ફ્રિજમાં ન રાખો, કારણ કે તેનાથી તેમાં ભેજથી બગડી શકે છે.
હવે તમે પણ ઘરે જ રાજમા પાઉડર બનાવો અને તેનાથી ભોજનનો સ્વાદ વધારી શકો છો. તમે તમારી મુજબ મસાલાની માત્રા વધારી કે ઘટાડી પણ શકો છો. આશા રાખીએ છીએ કે તમને રાજમા મસાલા પાવડર રેસીપી ગમશે.