two health tips for long time looking young
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

શું તમે લાંબા સમય સુધી યુવાન અને આકર્ષક દેખાવા માંગો છો? શું તમે ઈચ્છો છો કે તમારા ચહેરા પર ઘડપણના ચિહ્નો ઝડપથી દેખાય નહીં? આવી સ્થિતિમાં, તમારે તમારી દિનચર્યામાં ફક્ત બે ફેરફાર કરવાનો પ્રયાસ કરો. આજે અમે તમને એવી 2 વસ્તુઓ વિશે જણાવી રહ્યા છીએ, જેને તમારી દિનચર્યામાં સામેલ કરીને તમે 60 વર્ષની ઉંમરમાં પણ યુવાન અનુભવી શકો છો.

લગભગ દરેક સ્ત્રી લાંબા સમય સુધી યુવાન દેખાવા માંગતી હોય છે. પરંતુ આ ઈચ્છા દરેક મહિલાની પૂરી થતી નથી. આનું કારણ એ છે કે ભાગદોડવાળી જિંદગીમાં મોટાભાગની મહિલાઓ પોતાની સંભાળ રાખી શકતી નથી. તણાવ, ઓછી ઊંઘ અને ખાવાની આદતો હોવાને કારણે ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં કેટલીક મહિલાઓ મેકઅપ કરીને પોતાની ઉંમર છુપાવે છે.

સૂવાનો અને જાગવાનો એક સમય

જો તમારી પાસે દરરોજ રાત્રે સૂવાનો અને સવારે ઉઠવાનો અલગ અલગ સમય હોય તો તે તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે. હા, સ્વસ્થ રહેવા માટે માત્ર પૂરતી ઊંઘ લેવી જરૂરી નથી, પરંતુ સમયસર સૂવું અને સમયસર જાગવું પણ જરૂરી છે.

આ જરુર વાંચોઃ 35 વર્ષે ચહેરો ઘરડો દેખાવા લાગી ગયો છે તો ઘરે આ ફેસપેક બનાવીને લગાવો, ત્વચા યુવાન દેખાવા લાગશે

ઊંઘ આપણા માટે ભગવાને આપેલું વરદાન છે, તેનાથી આપણું મન ફ્રેશ રહે છે અને શરીરના અન્ય અંગો સારી રીતે કામ કરે છે. તેમજ પાચનતંત્ર સ્વસ્થ રહે છે, શરીરનું વજન સંતુલિત રહે છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધે છે. પરંતુ ભાગદોડ ભરેલી જિંદગીમાં આપણી ઊંઘની દિનચર્યા પર ખરાબ અસર પડી છે.

ઊંઘ અને જાગવાની દિનચર્યામાં ખલેલ પહોચવાથી હૃદયરોગનું જોખમ વધી જાય છે, યાદશક્તિમાં ઘટાડો અને ડાયાબિટીસ થઈ શકે છે. ઉપરાંત, કબજિયાત, પેટ ખરાબ થવા અને ખૂબ થાક લાગવાની સમસ્યા થઈ શકે છે. આવી સ્થિતિમાં સૂવાનો અને ઉઠવાનો એક જ સમય નિશ્ચિત હોવો જોઈએ.

યુવાન દેખાવા માટે કેવી રીતે ખાવું?

આપણે આ વાત જાણીએ જ છીએ કે સ્વાસ્થ્યનો માર્ગ પેટમાંથી પસાર થાય છે. જો આપણે સ્વસ્થ અને સમયસર ખાઈએ તો તે શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ વારંવાર ખાવાનો સમય બદલવાથી સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં લોકોનું શિડ્યુલ એટલું ટાઈટ હોય છે કે તેઓ સમયસર જમતા નથી. તેમજ હેલ્ધી ડાયટને બદલે બહારનું તળેલું અને ફાસ્ટ ફૂડ ખાય છે. આનો માર પેટે સહન કરવો પડે છે.

નિષ્ણાત કહે છે, “આયુર્વેદ અનુસાર, તે પાચન અગ્નિ પર પણ અસર પડે છે. અગ્નિ ખોરાકને ઊર્જામાં રૂપાંતરિત કરે છે, જે શરીરના અન્ય ભાગોના કાર્ય માટે જરૂરી છે. આમાં અસંતુલનનો અર્થ થાય છે ખરાબ પેટ, જે ઘણી સમસ્યાઓનું કારણ બને છે.

જેના કારણે ભૂખ ન લાગવી , થાક લાગવો, ભારેપણું અને સુસ્તી જેવી સમસ્યાઓ થાય છે. આ સિવાય ગેસ, કબજિયાત, ત્વચામાં શુષ્કતા, અનિદ્રા, પેઢાં નબળા પડવા, સ્નાયુઓમાં ખેંચાણ વગેરે જેવી સમસ્યાઓ પણ પરેશાન થવા લાગે છે.

જરુર વાંચો: 50 વર્ષની ઉંમરે યુવાન દેખાવા માટે આટલી વસ્તુઓ ખાવાની શરુ કરી દો 50 વર્ષે પણ તમારો ચહેરો એકદમ જુવાન અને કરચલી વગરનો જોવા મળશે

મેટાબોલિજ્મ વધારવા અને એક્ટિવ રહેવા માટે, દરરોજ એક જ સમયે ખાવું જરૂરી છે. તેનાથી લાંબા ગાળે ઘણી બીમારીઓથી બચી શકાય છે. ખાસ કરીને આવા રોગો, જે મોડી રાત સુધી જાગવાથી અને ખોટા સમયે ખાવાથી થાય છે.

તમે પણ આ 2 ટિપ્સ અજમાવીને લાંબા સમય સુધી યુવાન અનુભવી શકો છો. જો તમને અમારી આ જાણકારી પસંદ આવી હોય તો શેર કરજો. આવી વધુ માહિતી વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા