lord hanuman mantra chanting benefits
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ભગવાન હનુમાન તેમના ભક્તોના તમામ દુ:ખ અને પીડા દૂર કરે છે તેથી તેમને સંકટમોચન હનુમાન કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે હનુમાનજી આજે પણ ધરતી પર બિરાજમાન છે અને જો કોઈ વ્યક્તિ સાચી ભક્તિ ભાવ સાથે તેમની પૂજા કરે છે તો તે ચોક્કસપણે તેમના કષ્ટો દૂર કરે છે.

મોટાભાગના લોકો ભગવાન હનુમાનની પૂજા કરે છે, પરંતુ તેમ છતાં તેમના જીવનની સમસ્યાઓ દૂર થતી નથી. આવું એટલા માટે પણ થાય છે કારણ કે તેઓ નથી જાણતા કે ભગવાન હનુમાનની પૂજા કેવી રીતે કરવી.

જે રીતે ડૉક્ટર કોઈ દર્દીને તેની બીમારી જોઈને દવા આપે છે, તેવી જ રીતે તમારે પણ તમારી સમસ્યા કેવી છે તે ધ્યાનમાં રાખીને હનુમાનજીની પૂજા-અર્ચના કરવી જોઈએ. જો કે હનુમાનજીના જાપ કરવા માટે ઘણા મંત્રો છે, પરંતુ તમારા માટે કયો મંત્ર સૌથી વધુ સચોટ છે, તમારે તેના વિશે ખબર હોવી જોઈએ.

તો આજે આ લેખમાં અમે તમને હનુમાનજીને પ્રસન્ન કરવા અને તમારી સમસ્યાઓ દૂર કરવાના કેટલાક મંત્રો અને ઉપાયો વિશે જણાવી રહ્યા છે. જે તમને ચોક્કસ મદદરૂપ સાબિત થશે. તો આવો જાણીએ કયા છે આ મંત્રો.

પૈસાની તંગી દૂર કરવા માટે : ચાલીસ દિવસ સુધી દરરોજ સવારે કે સાંજે હનુમાનજીના મંદિરમાં જઈને માટીનો દીવો પ્રગટાવો. તેને પ્રગટાવવા માટે ચમેલીના તેલનો ઉપયોગ કરો. દીવો પ્રગટાવ્યા પછી, ત્યાં બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરો. જો તમે દેવાના કારણે પરેશાન છો તો દેવાથી મુક્તિ મેળવવા માટે ભગવાન હનુમાનના આ મંત્રનો જાપ કરો – ઓમ નમો હનુમતે આવેશાય આવેશાય સ્વાહા.

રોગો અને સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરો : જો તમારા ઘરમાં રોગોએ પેસાડો કરી લીધો છે તો તમારે હનુમાનજીનો જાપ કરવો જોઈએ. કોઈપણ પ્રકારની પીડાથી પીડિત વ્યક્તિએ શુભ મુહૂર્ત જોઈને 21 કે 26 દિવસ સુધી સતત હનુમાન બાહુકનો પાઠ કરવો જોઈએ. જ્યારે તમે પાઠ કરો ત્યારે હનુમાનજીની સામે પાણીથી ભરેલું પાત્ર રાખો. તેમજ પૂજા કર્યા પછી તે પાણી પીવાથી શારીરિક સમસ્યાઓ દૂર થઇ શકે છે.

નોકરીમાં પ્રગતિ નથી થઇ રહી : જો તમે તમારી નોકરીમાં લાંબા સમયથી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો તમારે દર મંગળવારે હનુમાનજીને બુંદીના નવ લાડુ ચઢાવવા જોઈએ. આ પછી, પીપળના પાન પર સિંદૂરથી તમારી સમસ્યા લખો અને તેમના ચરણોમાં મૂકો. હનુમાનજીની સામે બેસીને વિશેષ મંત્ર- ઓમ પિંગાક્ષાય નમઃ નો જાપ કરો. આ ઉપાય સતત નવ મંગળવાર સુધી કરશો તો ચોક્કસ ફાયદો થશે.

જીવનમાં જોઈએ છે માન સન્માન : દરેક વ્યક્તિ પોતાના જીવનમાં ખ્યાતિ અને સન્માન મેળવવા માંગે છે તો આવી સ્થિતિમાં તમારે આ ઉપાય અપનાવવો જોઈએ. આ માટે દર મંગળવારે હનુમાન મંદિરમાં જાઓ અને હનુમાનજી અને શ્રીરામની પૂજા કરો. આ દરમિયાન માન અને પ્રસિદ્ધિ મેળવવા માટે મનમાં હનુમાનજીને પ્રાર્થના કરો.

હવે તમારે હનુમાનજીની સામે બેસીને ‘ઓમ વ્યાપકાય નમઃ’ મંત્રનો અમુક ચોક્કસ વખત જાપ કરવો જોઈએ. આ ઉપાય ઓછામાં ઓછા નવ મંગળવાર સુધી કરો. ધ્યાન રાખો કે તમારો આ દર મંગળવારે તોડવો જોઈએ નહીં.

તો હવે તમે પણ આ ઉપાયો અપનાવો અને ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનની દરેક સમસ્યામાંથી છુટકારો મેળવી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય અને બીજા આવા લેખો વાંચવા માંગતા હોય તો રસોઇનદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “આ ચમત્કારી મંત્રોનો જાપ કરો, હનુમાનજી તમારા તમામ દુઃખો અને સમસ્યાઓ દૂર કરશે”

Comments are closed.