lohi vadharva mate
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે તમને એવી બે વસ્તુ વિષે જણાવીશું જે વસ્તુનું જમ્યા બાદ સેવન કરવાથી શરીરની બધી કમજોરી દૂર થઇ શરીરમાં લોકોની ઉણપ હશે તો તે પણ દૂર થઇ જશે. આ બંને વસ્તુ દેશી છે જે તમને તમારા ઘરે સરળતાથી મળી રહેશે. આ બંને વસ્તુ વિષે બધા લોકો જાણતા હશે પરંતુ તેના ફાયદા વિષે ઓછા લોકો જાણતા હશે.

આ બંને દેશી વસ્તુનો ઉપયોગ કરવાથી તમારા સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. જો તમે પણ તમારા સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે તો આ બંને દેશી વસ્તુ તમારા માટે ખુબજ ફાયદાકારક સાબિત થશે.

જો તમને કોઈ પણ કારણથી કફની સમસ્યા પણ રહે છે તો આ બંને દેશી વસ્તુનું દરરોજ સેવન કરવાથી તમારી આ સમસ્યા આસાનીથી દૂર થઇ શકે છે કારણકે આ વસ્તુ કફને તોડવાનું કામ કરે છે આ સાથે તમારા શરીરમાં ઘટતા તત્વો પણ કંટ્રોલમાં આવી શકે છે.

ખાસ કરીને લોહીની ઉણપ મહિલાઓમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે પરંતુ આ બે દેશી વસ્તુનું સેવન કરવાથી લોહીની ઉણપ દૂર કરી શકાય છે. આ સાથે જો તમને હાડકાની નાની મોટી સમસ્યા રહે છે તો આ વસ્તુનું સેવન કરવાથી જીવશો ત્યાં સુધી હાડકાની નાની મોટી સમસ્યા થશે નહીં.

આ બંને વસ્તુનું સેવન તમે રોજ બપોરે અથવા તો રાત્રે જમ્યા પછી કરી શકો છો અથવા જો તમે ઈચ્છો તો સવારે પણ આ વસ્તુઓનું સેવન કરી શકો છો પરંતુ ધ્યાન રાખો કે સવારે હળવો નાસ્તો કરવો. આ વસ્તુનું સેવન કોઈ પણ કરી શકે છે, બધા લોકોને તેનો ફાયદો થાય છે. તો ચાલો જાણીએ આ બે દેશી વસ્તુ વિષે જેનું દરરોજ સેવન કરવાથી અઢળક ફાયદા થાય છે.

સૌથી પહેલી દેશી વસ્તુ જે તમારા રસોડામાં સરળતાથી મળી રહે છે તેનું નામ છે દેશી ગોળ. બજારમાં ઘણા બધા પ્રકારના ગોળ જોવા મળે છે પરંતુ દેશી ગોળ સૌથી વધુ ફાયદાકારક સાબિત થાય છે. ગોળની અંદર આયર્ન ભરપૂર માત્રામાં હોય છે.

ગોળ કફને તોડવાનું કામ કરે છે અને લોહીની ઉપન દૂર કરી, લોહી વધારવાનું કામ કરે છે એટલા માટે કફની સમસ્યા રહેતી હોય તેવા લોકોએ અને લોહીની ઉણપ શરીરમાં હોય તેવા લોકોએ ગોળનું સેવન કરવું.

હવે બીજી વસ્તુ જે ગોળ સાથે લેવાની છે તે વસ્તુનું નામ છે ચણા. ચણા ઘણા પ્રકારના હોય છે પરંતુ અહીંયા તમારે શેકેલા ચણાનો ઉપયોગ કરવાનો છે. તો આ બંને દેશી વસ્તુ ગોળ અને ચણાનું સેવન તમારે કરવાનું છે.

આ બંને ને રોજ બપોરે જમ્યા પછી કે રાત્રે જમ્યા પછી અથવા તો સવારે નાસ્તો કર્યા પછી થોડી થોડી માત્રામાં લઈને સેવન કરવાનું છે. આ બંને વસ્તુનું સેવન કરવાથી શરીરમાં એનર્જી આવી જશે અને તમારી સમસ્યાઓ જેવી કે કફ અને લોહીની ઉપન દૂર થઇ, બીજા પણ ઘણા ફાયદા થશે.

દેશી ગોળ અને શેકેલા ચણા તમારા શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખે છે. તમને જણાવીએ કે ગોળ અને ચણામાં એન્ટિ-એલર્જિક તત્વો પણ રહેલા હોય છે, તેથી તેનું સેવન કરવાથી અસ્થમાના દર્દીઓને ખૂબ ફાયદો થઇ શકે છે.

ગોળ અને ચણા માં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે એટલા માટે જે લોકો વર્કઆઉટ કરે છે તેમના માટે આ બંને દેશી વસ્તુનું સેવન શરીરને તાકાત સાથે શરીરની માંસપેશીઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

ડાયાબિટીસના દર્દીઓ માટે ખાવાની લિમિટ હોય છે એટલે કે તે લોકો વધુ ગળપણ ધરાવતી વસ્તુનું સેવન કરવાથી દૂર રહે છે પરંતુ આ બંને દેશી વસ્તુ બ્લુડ સુગરને કંટ્રોલમાં રાખવાનું કામ કરે છે. દેશી ગોળમાં નેચરલ શુગર હોય જે ડાયાબિટીસના દર્દીઓને કોઈ નુકસાન કરતુ નથી. પરંતુ ધ્યાન રાખો કે વધુ પ્રમાણમાં સેવન ન કરવું.

દેશી ચણા અને ગોળનું સેવન મેદસ્વીતા ઘટાડવામાં મદદ કરે છે આ સાથે જે લોકો વજન ઓછું કરવા માંગે છે તેવા લોકો માટે આ બંને દેશી વસ્તુનું સેવન ફાયદાકારક થઇ શકે છે. આ બંનેવસ્તુનું સેવન ચામડીને તડકા થી થતા નુકસાન સામે રક્ષણ આપે છે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા