lohi saf karv mate gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

માનવ શરીર કુદરતની સૌથી શ્રેષ્ઠ રચના છે. તમારું શરીર એવી સિસ્ટમથી કામ કરે છે કે તેમાંની દરેક વસ્તુ એકબીજા સાથે જોડાયેલી હોય છે. શરીરના અંગો, સ્નાયુ તંત્ર, ચેતાતંત્ર, હાડકાં, કોષો વગેરે મળીને શરીરની દરેક ક્રિયા કરવા માટે જવાબદાર હોય છે.

એ જ રીતે શરીરનું જરૂરી ભાગ છે લોહી. લોહી શરીરમાં એક મહત્વની ભૂમિકા ભજવે છે. લોહી કોશિકાઓ સુધી ઓક્સિજન પહોંચાડે છે જેથી તે સારી રીતે કાર્ય કરી શકે. તે ખોરાકમાંથી હોર્મોન્સ, પ્રોટીન, ચરબી અને વિવિધ પોષક તત્વોને શરીરના વિવિધ કોષો સુધી લઇ જાય છે.

સંશોધન સૂચવે છે કે પુખ્ત વ્યક્તિના શરીરમાં લગભગ 4.5 થી 5.7 લિટર જેટલું લોહી હોય છે. સ્વસ્થ જીવન જીવવા માટે લોહી કોઈપણ અવરોધ વગર વહેતું રહે તે ખુબ જ જરૂરી છે. આ પ્રક્રિયા સારી રીતે કામ કરતી રહે તે માટે તમારું લોહી હંમેશા શુદ્ધ રહેવું જરૂરી છે.

લોહીને સાફ રાખવા અને ટોક્સિન ફ્રી રાખવા માટે તમારે વધુ મહેનત કરવાની કે મોંઘી વસ્તુઓ ખાવાની કોઈ જરૂર નથી. લીવર અને કીડની લોહીમાંથી કચરો કાઢીને લોહીને શુદ્ધ કરે છે. એટલા માટે જરૂરી છે કે આપણે આ અંગોને યોગ્ય રાખીએ.

જો આ અંગો યોગ્ય રહેશે તો દેખીતી રીતે જ લોહી પણ શુદ્ધ રહેશે. આ લેખમાં અમે તમને કેટલાક એવા ખોરાક વિશે જણાવીશું, જેનું સેવન કરીને તમે લોહીને શુદ્ધ રાખી શકો છો.

શુદ્ધ લોહીના ફાયદા : ખીલ, ડાઘ અને શુષ્ક-અસ્વસ્થ ત્વચા જેવી ત્વચાની સમસ્યાઓ થતી નથી. આ સમસ્યાઓ ખરાબ લોહીને કારણે થાય છે. એલર્જી, માથાનો દુખાવો, ઉબકા જેવી સમસ્યાઓ લોહીમાં રહેલા ઝેરી તત્વોને કારણે થાય છે. જો તમારે શુદ્ધ લોહી હશે તો તમે આ સમસ્યાઓથી બચી શકશો.

જો શુદ્ધ લોહી હોય તો કિડની, હૃદય, લીવર, ફેફસાં અને લસિકા તંત્ર પણ સારી રીતે કાર્ય કરશે.
જ્યારે લોહી ચોખ્ખું હોય તો વિટામિન્સ અને પોષક તત્ત્વોનું સારી રીતે પરિભ્રમણ થશે. તો ચાલો હવે એવા ખોરાક વિશે જાણીએ જે લોહીને શુદ્ધ રાખે છે.

1. લીલા પાંદડાવાળા શાકભાજી : લીલા પાંદડાવાળા શાકભાજી ઘણા લોકોને ખાવાનું પસંદ નથી હોતું પરંતુ લીલા શાકભાજી જરૂરી પોષક તત્વો અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોય છે. તેના સેવનથી તમે ઘણી બીમારીઓને શરીરથી દૂર રાખી શકો છો.

તમે લીલા શાકભાજીમાં કોબી, પાલક અને સરસોના સાગ(Spinach and mustard greens)નું સેવન કરી શકો છો. તે લીવરમાં ઉત્સેચકો વધારવા માટે જવાબદાર હોય છે, જે લોહીમાં રહેલી અશુદ્ધિઓને દૂર કરવાની પ્રક્રિયાને પ્રોત્સાહન આપવામાં મદદ કરે છે.

2. તાજા ફળો : સફરજન, નાશપતી અને જામફળ વગેરેમાં પેક્ટીન ફાઈબર હોય છે. તે લોહીને સ્વચ્છ રાખવામાં ખુબ ઉપયોગી ફળો છે. ફળો લોહીમાં વધારાની ચરબીની સાથે હાનિકારક કેમિકલ્સ અને ઝેરી તત્વોને દૂર કરે છે.

આ સિવાય ટામેટાંમાં જોવા મળતું લાઈકોપીન ગ્લુટાથિઓન ખતરનાક કેમિકલને પણ ખતમ કરે છે. તેથી તમારા આહારમાં સ્ટ્રોબેરી, બ્લેકબેરી અને ક્રેનબેરી જેવા ફળોનો સમાવેશ કરવાથી પણ લીવર સ્વસ્થ રહે છે.

3. પાણી : પાણી એ કુદરતી રક્ત શુદ્ધિકરણ છે. કિડની અને પેશાબ દ્વારા ઝેરી તત્વોને બહાર કાઢે છે અને તમામ અવયવોને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે. આયુર્વેદ અનુસાર પાણીનો ઉપયોગ રક્ત શુદ્ધિકરણ કરવા માટે, તાંબાના વાસણમાં થોડું ગરમ ​​પાણી આખી રાત માટે રાખો અને બીજા દિવસે સવારે ખાલી પેટ તેને પી જાઓ.

4. ગોળ : આપણા ઘરોમાં ગોળનો ખુબ જ ઉપયોગ થાય છે. તે કુદરતી રક્ત શુદ્ધિકરણ તરીકે જાણીતું છે. રીફાઇન્ડ વગરની ખાંડમાં ફાઈબર હોય છે, જે પાચનતંત્રને સાફ કરવામાં મદદ કરે છે. તેના સેવનથી કબજિયાત મટે છે અને શરીરમાંથી કચરો પણ દૂર કરી શકાય છે. ગોળમાં આયર્નનું ઉચ્ચ પ્રમાણ હિમોગ્લોબિનનું સ્તર વધારવામાં મદદ કરે છે.

5. હળદર : હળદર એક શ્રેષ્ઠ કુદરતી ઘરેલુ ઉપચાર છે, જે બળતરા સામે લડવામાં મદદ કરે છે. તે લીવરના કાર્યને પ્રોત્સાહન આપે છે. હળદરમાં રહેલું કર્ક્યુમિન કમ્પાઉન્ડ શરીરની મોટાભાગની સમસ્યાઓ સામે લડી શકે છે.

મોટાભાગના નિષ્ણાતો દ્વારા હળદરવાળા દૂધમાં શરીર માટે જરૂરી પોષક તત્વો વધુ હોય છે અને તે લાલ રક્ત કોશિકાઓ એટલે કે Red Blood Cells વધારવામાં મદદ કરે છે. આ સાથે તે લોહીને કુદરતી રીતે સાફ કરે છે.

નિષ્કર્ષ : આ સિવાય લીંબુ અને બ્રોકોલી પણ કુદરતી રીતે લોહીને સાફ કરવામાં ઘણી મદદ કરી શકે છે. આ માટે તમે વધુ માહિતી માટે તમારા ડૉક્ટરની સલાહ પણ લઈ શકો છો. આવી જ જીવન ઉપયોગી માહિતી માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા