વાળમાં ખોડો થવો ખૂબ જ સામાન્ય સમસ્યા છે. ઘયના લોકોને વાળમાં ખોડો થવાને કારણે ખંજવાળ આવે છે. આ સાથે ક્યારેક વાળ પણ ખરવા લાગે છે. આ સમસ્યા શિયાળા સૌથી વધુ થાય છે. વાળમાંથી ખોડો દૂર કરવા માટે ઘણા લોકો મોંઘી પ્રોડક્ટ અને શેમ્પુનો ઉપયોગ કરે છે, પરંતુ તેમ છતાં તેમના માથામાંથી ખોડો દૂર થતો નથી.
આવી સ્થિતિમાં, તમે આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે નારિયેળ તેલ અને લીંબુનો ઉપયોગ કરી શકો છો. તો ચાલો અમે તમને જણાવીએ કે ખોડો દૂર કરવા માટે તમે નારિયેળ તેલ અને લીંબુનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો?
નાળિયેર તેલ અને લીંબુ : નાળિયેર તેલ વાળને મૂળમાંથી મોઇશ્ચરાઇઝ કરે છે અને વાળને થતા નુકસાનથી બચાવે છે, જ્યારે લીંબુમાં હાજર વિટામિન-સી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ તમારા વાળને સાફ કરે છે અને માથાની ગંદકી દૂર કરે છે. આ સાથે તેનાથી વાળને કોઈ નુકસાન થતું નથી.
સામગ્રી : 2 ચમચી નાળિયેર તેલ અને 1 ચમચી લીંબુનો રસ.
નોંધ: જો તમારા વાળ ખૂબ જ પાતળા હોય અથવા ખૂબ ખરતા હોય તો તમે નારિયેળના તેલમાં ડુંગળીનો રસ પણ ઉમેરી શકો છો. આ મિશ્રણ તમારા વાળ ખરતા અટકાવે છે. તે જ સમયે, તે ખોડાને પણ ઘટાડશે અને વાળને પણ મજબૂત બનાવશે.
ઉપયોગ કરવાની રીત : સૌથી પહેલા વાળ ધોઈ લો અને સુકાવા દો. પછી એક વાટકીમાં 2 મોટી ચમચી નાળિયેલ તેલ ગરમ કરો. પછી તેમાં 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરો. હવે મસાજ કરતા આ મિશ્રણને માથાની ચામડી પર લગાવો. તેને લગાવ્યા 1 કલાક પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.
નાળિયેર તેલ અને લીંબુના ફાયદા : નાળિયેર તેલ અને લીંબુ વાળને મૂળમાંથી મજબૂત કરવા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે. તમને જણાવી દઈએ કે નારિયેળ તેલમાં મેગ્નેશિયમ જેવા ગુણ જોવા મળે છે જે વાળને મૂળમાંથી મજબૂત બનાવે છે. નાળિયેર તેલ અને લીંબુ બેમુખવાળા વાળને ઘટાડવામાં મદદ કરે છે.
આ મિશ્રણને વાળમાં લગાવવાથી વાળનો વિકાસ સારો થાય છે અને વાળની લંબાઈ પણ વધે છે. નાળિયેર તેલ અને લીંબુ વાળને સફેદ થતા અટકાવે છે. નારિયેળ તેલ અને લીંબુ બંનેમાં એસિડ હોય છે જેના કારણે તે વાળની ચમક વધારવામાં પણ મદદ કરે છે.
અમે આશા રાખીએ છીએ કે તમને આ માહિતી ઉપયોગી થશે. જો તમને અમારો આ લેખ ગમ્યો હોય તો, આવા વધુ જીવનઉપયોગી માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.