લીલું મરચું ના હોય તો ખાવાનું અધૂરું લાગે છે અને જો ભારતીય ફૂડની વાત કરીએ તો લીલા મરચાને બિલકુલ અવગણી શકાય નહીં. લીલા મરચાંનો ઉપયોગ દરેક રસોડામાં થાય છે, પરંતુ કેટલાક લોકો માટે લીલા મરચા આહારનો મહત્વપૂર્ણ ભાગ છે.
શાક-દાળની સાથે તેનો ઉપયોગ સલાડમાં પણ થાય છે. ઘણા લોકો જમતી વખતે બે કે ત્રણ લીલા મરચાં ખાઈ જાય છે. પણ શું આ સારું છે? થોડા પ્રમાણમાં લીલા મરચા ખાવા સારા છે, પરંતુ તેનો વધારે પડતું સેવન તમારા શરીરને ઘણા નુકસાન પણ કરી શકે છે.
લીલા મરચાં ખાવાથી થતા નુકસાન અંગે ચીનના ન્યુટ્રિએન્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા એક અભ્યાસમાં ઘણા ખુલાસા થયા છે. તો ચાલો આજે આ લેખમાં લીલા મરચાના ફાયદા અને ગેરફાયદા બંને વિશે વાત કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે તે તમારા માટે યોગ્ય છે કે નહીં.
લીલા મરચાના ફાયદા : લીલા મરચા ત્વચાની સાથે શરીરની ઘણી સમસ્યાઓમાં મદદ કરી શકે છે. લીલા મરચામાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોય છે જેના કારણે તેને ત્વચા માટે પણ સારું ગણી શકાય છે. લીલા મરચામાં ફાઈટોન્યુટ્રિઅન્ટ્સ પણ હોય છે અને આ ઘટકો ત્વચાના ડાઘ દૂર કરવામાં અને તેને ફોલ્લીઓથી દૂર રાખવામાં મદદ કરી શકે છે.
લીલા મરચામાં માત્ર વિટામીન-સી જ નથી પરંતુ વિટામિન-એ, પોટેશિયમ, મેગ્નેશિયમ જેવા પોષક તત્વો પણ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવામાં મદદ કરે છે. NCBIના રિપોર્ટ મુજબ તેમાં કૈપ્સાઈસિન નામનું કમ્પાઉન્ડ હોય છે જે હૃદયની સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે.
કૈપ્સાઈસિન માત્ર હૃદયના રોગો માટે જ નહીં પરંતુ ડાયાબિટીસ માટે પણ ખૂબ સારું માનવામાં આવે છે. તે એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોવાથી ત્વચા માટે પણ સારું છે અને પાચન સંબંધી સમસ્યાઓને પણ દૂર રાખે છે. અમુક હદ સુધી લીલા મરચા ખાવાથી તમારું બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહી શકે છે.
એક સંશોધન મુજબ તણાવને દૂર રાખવામાં પણ મરચા સારા સાબિત થઈ શકે છે. લીલાં મરચાં તીખાં હોય છે અને તેમાં જે પ્રકારનાં સંયોજનો હોય છે તે શરદી અને સાઇનસની સમસ્યામાં પણ રાહત આપે છે. તો લીલા મરચાંના ફાયદા વિશે તો જાણી લીધું અને હવે તેના નુકસાન વિશે જાણીશું.
લીલા મરચાના ગેરફાયદા : ચીનના ન્યુટ્રિઅન્ટ્સ જર્નલમાં પ્રકાશિત થયેલ એક અભ્યાસ સૂચવે છે કે લીલા મરચાના ફાયની સાથે ઘણા ગેરફાયદા પણ હોઈ શકે છે. સંશોધન કહે છે કે દરરોજ 50 ગ્રામથી વધુ લીલા મરચાંનું સેવન કરવાથી ડિમેન્શિયા અથવા મનોભ્રમ જેવી સ્થિતિ થઈ શકે છે.
લીલા મરચાંને વધારે માત્રામાં ખાવાથી પણ શરીરમાં ટોક્સિન્સ વધી શકે છે. લીલા મરચાં વધારે ખાવાથી જે પ્રકારના કેમિકલ્સ રિએક્શન થાય છે તેનાથી પેટમાં બળતરા, પેટ ફૂલવું વગેરે થઈ શકે છે. લીલા મરચાં એસિડિટી થવાનું કારણ પણ બની શકે છે.
લીલું મરચું ફાયદાકારક તો છે, પરંતુ તે ઘણી હદ સુધી નુકસાનકારક પણ છે. એટલા માટે તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે તમારે તેને કેવી રીતે ખાવું છે. જો તમને મરચું ખાવામાં કોઈ સમસ્યા થઈ રહી છે તો ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. જો તમને આ જાણકરી ગમી હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.