gharda loko food tips in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજે અમે તમને કેટલાક એવા ખોરાક વિશે જણાવી રહ્યા છીએ, જે તમારી ત્વચાને અસર કરે છે. શું તમારા ચહેરા પર કરચલીઓ દેખાવા લાગી છે અને શું ત્વચાની સંભાળ લેતા હોવા છતાં આવું થઈ રહ્યું છે, તો તમારે આહાર પર ધ્યાન આપવાની જરૂર છે.

ઘરડા દેખાવું એતો એક કુદરતી પ્રક્રિયા છે, પણ તમારી જીવનશૈલીના ઘણા એવા પરિબળો છે જે તમારી વૃદ્ધત્વ પ્રક્રિયાને ઝડપી લાવી શકે છે. આવું જ એક મુખ્ય પરિબળ જે ઘરડા દેખાવાના સંકેતોને ઉલટાવી શકે છે તે છે તમારો આહાર. તમે શું ખાવ છો તેના પર ધ્યાન આપવું ખૂબ જ મહત્વપૂર્ણ છે.

કોફી સાથે ખાંડથી ભરેલી નાની કપ કેક શરૂઆતમાં તમને હાનિકારક નથી લગતી, પરંતુ લાંબા ગાળે તે આપણી સિસ્ટમોને નુકસાન પહોંચાડી શકે છે. અમે એવા ખોરાકની લિસ્ટ લઈને આવ્યા છીએ જે આપણી ત્વચા પર ખરાબ અસર કરી શકે છે અને તેને સાવધાની રાખીને ખાવાની જરૂર છે.

ખાંડ : આપણે બધા જાણીએ છીએ કે તમે તમારા પીણાને કેટલો પ્રેમ કરો છો, પણ સત્ય કહેવાની જરૂર છે. આ તમામ કપકેક અને મીઠાઈઓમાં ખાંડ વધારે માત્રામાં હોય છે, જે તમારા શરીરમાં કોલેજન અને ઇલાસ્ટિનને નુકસાન પહોંચાડી શકે છે.

અને આ મુખ્ય જ પરિબળો તમારી ત્વચાને સોફ્ટ અને ચમકદાર રાખવા માટે મદદ કરે છે. ખાંડ એ વજન વધારવાનું, તમારી ચામડીઢીલી પડવાનું, કરચલીઓ પડવાનું અને સામાન્ય રીતે તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવું મુખ્ય કારણ છે.

તળેલું ખોરાક પણ કરચલીઓનું કારણ : ઊંચા તાપમાન પર ડીપ-ફ્રાઇડ ખોરાક ફ્રી રેડિકલ છોડે છે, જે આપણા શરીરના કોષોને નુકસાન પહોંચાડી શકે છે. તળેલા ખોરાકનું સેવન કરવું એ માત્ર તમારી ત્વચાને જ નુકસાન નથી કરતું પણ તમારી કમર તેમજ શરીરના બીજા અંગો પર પણ પ્રભાવ પડે છે.

મોટાભાગના ફાસ્ટ- ફૂડમાં અનહેલ્ધી તેલનો વારંવાર ઉપયોગ થતો હોય છે. આ ફાસ્ટ ફૂડ ડીપ ફ્રાય કરવા માટે વપરાતા તેલ તમારા સ્વાસ્થ્ય અને ત્વચા પર પણ ઘણી આડઅસરો કરે છે.

સોડાથી નુકસાન : સોડા પીણાં પણ ખાંડ અને કેફીનનો ભંડાર છે, જે તમારી ઊંઘને મોટા પ્રમાણમાં અસર કરે છે. જ્યારે તમારા શરીરને પૂરતો આરામ કે યોગ્ય ઊંઘ નથી મળતી, ત્યારે તે તમારી ત્વચા પર ઉમર વધવાના લક્ષણો દેખાડવાનું શરુ કરે છે.

ઊંઘ અને આરામના અભાવને કારણે ડાર્ક સર્કલ, કરચલીઓ થાય છે તેથી તંદુરસ્ત અને જુવાન ત્વચા માટે તમારા સોડાને સંપૂર્ણપણે છોડી દેવા અને ગ્રીન ટી જેવા તંદુરસ્ત પીણાં પીવા વધુ સારું છે.

આલ્કોહોલથી ઓછું કોલેજન બને છે ભલે તે રાજાઓ કે વેકેશન હોય કે કોઈ ખાસ પ્રસંગ હોય, આપણે ઘણી વખત વધારે પ્રમાણમાં આલ્કોહોલનું સેવન કરી નાખીએ છીએ. જો કે દરરોજ વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્ય પર ખોટી અસર પડે છે, મુખ્યત્વે લીવર પર ખરાબ અસર પડે છે. શરીરમાંથી તમામ ઝેરને કુદરતી રીતે બહાર કાવા માટે તમારા લીવર ખૂબ જ મહત્વપૂર્ણ છે.

જ્યારે શરીરમાંથી ઝેર બહાર નથી નીકળતું ત્યારે તે જેરી પદાર્થો લીવરમાં એકઠું થાય છે પરિણામે ત્વચાની સમસ્યાઓ થાય છે જેમ કે ખીલ, ડિહાઇડ્રેશન અને શરીરમાં કુદરતી રીતે કોલેજન બનવાનું ઓછું થઇ જાય છે.

વધુ પડતા મીઠાથી ચહેરો થાકેલો દેખાય છે મીઠુંમાંરહેલું સોડિયમ શરીરમાં પેટનું ફૂલવું અને શરીરમાં પાણી જાળવી રાખવાનું મુખ્ય કારણ છે. પીઝા, પાસ્તા, ચિપ્સ વગેરે જેવા મોટાભાગના ખોરાકમાં વધારે મીઠું હોય છે, જે કોષોને સંકોચાઈ અને ડિહાઈડ્રેશનનું કારણ બની શકે છે.

વધુ મીઠું અથવા સોડિયમનું સેવન તમારા ચહેરાને ફૂલેલું અને થાકેલો ચહેરો દેખાડી શકે છે. જો તમે પણ આ બધી વસ્તુઓનું સેવન કરો છો, તો અકાળે વૃદ્ધત્વને ટાળવા માટે તેમને ખાવાનું ટાળો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી ,સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા