garam masala tips in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આ પ્રકારના ગરમ મસાલાની પોતાની એક અલગ સુગંધ અને સ્વાદ હોય છે. આ સુગંધ અને સ્વાદ ઘણી વાર આપણી ભૂલોને કારણે બગડી જાય છે. જો તમારી સાથે પણ આવું જ કંઈક થાય છે તો આ લેખમાં આપેલી ટિપ્સ તમારી માટે છે, આ ટિપ્સ મસાલાને લાંબા સમય સુધી ફ્રેશ રાખશે.

અલગ ડબ્બામાં રાખો : જો તમે મસાલાને લાંબા સમય સુધી સુરક્ષિત અને તાજા રાખવા માંગતા હોય તો પછી તેમને અલગ અલગ ડબ્બામાં રાખો. તેથી તે લાંબા સમય સુધી ખુશ્બુદાર રહેશે.

જ્યારે પણ તમે બધા ડબ્બાને એકસાથે રાખો છો, ત્યારે તેમની સુગંધ એકબીજા સાથે ભળી જાય છે અને તેના કારણે મસાલાઓ તેમની સુગંધ ગુમાવા લાગે છે. આ સિવાય મસાલામાં તેમનું પોતાનું તેલ પણ હોય છે જે તેમને સુગંધિત બનાવે છે તેથી તેમને યોગ્ય રીતે સ્ટોર કરવું ખુબ જરૂરી છે.

ડબ્બામાં જ રાખો : ઘણા લોકો મસાલાને કાગળની બેગ અથવા પ્લાસ્ટિકમાં બાંધીને રાખી દે છે. મસાલા આ રીતે રાખવામાં નથી આવતા. જ્યારે તમે મસાલાઓને કાગળ અને પુડીઓમાં બાંધીને રાખો છો ત્યારે તેની સુગંધ અને તેમાં રહેલું તેલ હવામાં ભળી જાય છે. જેના કારણે મસાલામાંથી સુગંધ અને તેનો સ્વાદ ઉડી જાય છે અને જ્યારે તેનો ઉપયોગ ખાવામાં થાય છે ત્યારે સ્વાદમાં તેનો ટેસ્ટ નથી આવતો.

ગરમી અને ભેજથી બચાવો : વધુ પડતા ભેજ અને ગરમીને કારણે મસાલાઓ પણ પ્રભાવિત થાય છે. ખાસ કરીને ચોમાસામાં ભેજથી મસાલાને બચાવવાની જરૂર જ નથી. કારણ કે ભેજ અને વધુ ગરમીના સંપર્કમાં આવતાં મસાલાઓ તેમનો મૂળ રંગ અને સ્વાદ બંને દુમાવી દે છે.

વધારે પડતા મસાલા ના વાપરો : રસોઈમાં બનાવવામાં ક્યારેય વધારે પડતા મસાલાનો ઉપયોગ થતો નથી. કારણ કે વધારે પડતો મસાલો નાખવાથી સ્વાદ બગડી જાય છે. જો તમારે ખોરાકને સ્વાદિષ્ટ બનાવવો છે તો, તાજા પીસેલા મસાલાનો ઉપયોગ કરો. તાજા પીસેલા મસાલા તૈયાર ડબ્બામાં મળતા મસાલા કરતાં વધારે સ્વાદિષ્ટ અને સુગંધિત હોય છે.

વરસાદમાં વધારે કાળજી રાખો: વરસાદની ઋતુમાં મસાલાનું વધારે ધ્યાન રાખવું જોઈએ. નહિ તો ચોમાસાની ઋતુમાં મસાલામાં ભેજવળી હવા લાગી જાય છે જેના કારણે તે ખરાબ થઇ જાય છે.

સ્ટીલના ડબ્બામાં રાખો : મસાલાઓને હંમેશા સ્ટીલના ડબ્બામાં રાખવા જોઈએ કારણે કે તેમને વરસાદથી અને તડકાથી બચાવી શકાય છે અને લાંબા સમય સુધી તે તાજા રહે છે.

ઓછી માત્રામાં ખરીદો : મસાલાને હંમેશા ઓછી માત્રામાં ખરીદવા જોઈએ. કારણ કે મસાલાઓની જીવન રેખા લગભગ બે થી ત્રણ મહિના સુધીની હોય છે. મસાલા હંમેશા વધારે માં વધારે એક મહિના માટે ખરીદવા જોઈએ. કારણ કે એક મહિના પછી મસાલો જૂનો થઈ જાય છે અને તેની સુગંધ તેમાંથી ગાયબ થઈ જાય છે.

જો તમે વધારે પ્રમાણમાં મસાલા ખરીદ્યા હોય, તો તેને હવાચુસ્ત ડબ્બામાં સારી રીતે બંદ કરીને રેફ્રિજરેટરમાં રાખો. આથી તે બગડી નહિ જાય. આખા ગરમ મસાલા લગભગ ત્રણ વર્ષ સુધી રેફ્રિજરેટરમાં અને પીસેલા મસાલાઓ લગભગ છ મહિના સુધી ખરાબ થતા નથી. આ મસાલાને ફ્રાય ના કરો : સંચળ, હળદર પાવડર, આમચુર અને હિંગને ફ્રાય કરવાની જરૂર નથી.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા