ઉનાળામાં જો તમે ખાદ્યપદાર્થોને યોગ્ય રીતે સ્ટોર ન કરો તો તે ખૂબ જ ઝડપથી બગડવા લાગે છે. ખાસ કરીને આ સિઝનમાં ડેરી વસ્તુઓનો યોગ્ય રીતે સંગ્રહ કરવો ખૂબ જરૂરી બની જાય છે. દૂધ, પનીર, ઘી અને દહીં એવી કેટલીક ડેરી વસ્તુઓ છે જે ઉનાળામાં યોગ્ય રીતે સ્ટોર કરવામાં ન આવે તો તેનો સ્વાદ બગાડે છે.
તેમાંથી, દહીં એક એવી વસ્તુ છે, જે ઝડપથી બગડે છે અને તેમાં ખટાશ આવે છે. તેને યોગ્ય રીતે સ્ટોર ન કરવા ઉપરાંત, દહીં ખાટા થવાના બીજા પણ કારણો હોઈ શકે છે. આવો, આજે અમે તમને જણાવીશું કે તમે ઉનાળામાં દહીંને ખાટા થવાથી કેવી રીતે બચાવી શકો છો.
દહીંને યોગ્ય વાસણમાં જમાવો : જો દહીં બજારમાંથી લાવેલા છીએ તો તે બીજા દિવસ સુધી ખાટું નહીં પડે તેની કોઈ ગેરંટી નથી. પરંતુ, જો તમે ઘરે દહીં જામવા માટે મુકો છો તો તમારે તેને સાચી રીતે જમાવવું જોઈએ.
તમારે સૌથી પહેલી વાત ધ્યાનમાં રાખવાની છે કે દહીં સેટ કરવા માટે ફુલ ક્રીમ દૂધનો ઉપયોગ કરો અને તમે જે દહીં મેળવણ માટે ઉપયોગ કરી રહયા છો તે ખાટું ન હોવું જોઈએ. બીજી મહત્વની બાબત એ છે કે તમારે દહીંને માટીના અથવા સિરામિક વાસણમાં જ જમાવવું જોઈએ.
ઉનાળામાં માટીના વાસણમાં દહીં જામવા મુકવાથી તે ઠંડુ રહે છે અને ખાટું થતું નથી. દહીં સેટ કરવા માટે દૂધને બરાબર ઉકાળો. આ પછી તેમાં અડધી ચમચી દહીં ઉમેરીને બરાબર મિક્ષ કરી લો. પછી તમે માટીના વાસણમાં ચારે બાજુ દહીંનું મેળવણ લગાવો અને પછી તેમાં ગરમ દૂધ નાખો. દૂધ ઉમેર્યા પછી, વાસણને હલાવ્યા વગર પ્લેટથી ઢાંકી દો.
દહીં સેટ કરવાનો યોગ્ય સમય : સામાન્ય રીતે મહિલાઓ સવારે દહીં જામવા માટે મૂકે છે અને સાંજે તે જ દહીં ખાવા માટે પીરસે છે. જો કે, આ પદ્ધતિ યોગ્ય નથી. જેના કારણે દહીંમાં ઘટ્ટ થતું નથી. દહીંમાં પણ પાણી આવે છે. દહીં સેટ કરવાનો શ્રેષ્ઠ સમય સાંજે 5 થી 6 નો હોય છે.
ઉનાળામાં દહીં ઝડપથી જામી જાય છે. જો તમે સાંજે 6 વાગ્યે દહીં સેટ કરવા માટે મુકો છો, તો પછી રાત્રે 10 થી 11 દરમિયાન તમે દહીં સેટ થઇ જશે. પરંતુ તરત જ તેનો ઉપયોગ કરશો નહીં. દહીંનો ઉપયોગ કર્યા વિના તેને ફ્રીજમાં રાખો. સવારે ખૂબ જ ઘટ્ટ અને મીઠુ દહીં ખાવા મળશે.
યોગ્ય જગ્યાએ સ્ટોર કરો : દહીં સ્ટોર કરવા માટે શ્રેષ્ઠ સ્થળ ફ્રિજ છે. પરંતુ, તમારે દહીંને હંમેશા ફ્રિજમાં પણ પાછળની બાજુએ રાખવું જોઈએ જેથી તે સંપૂર્ણ ઠંડક મેળવી શકે. આ ઉપરાંત દહીંને હંમેશા પ્લેટથી ઢાંકીને રાખો.
વાસ્તવમાં, દહીં અન્ય ખાદ્ય પદાર્થોની ગંધને ખૂબ જ ઝડપથી શોષી લે છે. આનાથી દહીં ઝડપથી ખાટા થવાનું જોખમ વધી જાય છે. એટલું જ નહીં, દહીંને ફ્રિજના દરવાજા પાસે ક્યારેય ન રાખો. જો તમે આ કરો છો, તો તેને ઓછી ઠંડક મળશે, આ દહીંને ખાટુ પણ બનાવી શકે છે.
દહીંને ખાટા થતા અટકાવવા માટે તમે પણ આ 3 સરળ ટિપ્સ અજમાવી શકો છો. આવી વધુ કિચન ટિપ્સ ઘરે બેઠા મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.