આજે મેંદામાંથી બનતી જે કોઈ વસ્તુઓ છે એ ખાવાથી આપણું વજન વધે છે. આપણી ચરબી વધે છે અને આપણા શરીરમાં ચીકાશ વધે છે. એની કેટલીક વાત કરવાની છે.
આધુનિક જીવનશૈલીના કારણે લોકોને ખાવા-પીવાની આદતોમાં ધરખમ ફેરફાર થયા છે. પહેલાના સમયમાં જેવી રીતે લોકો રોટલી, શાક, દાળ, સલાડ જેવી પૌષ્ટિક વસ્તુઓ નો ઉપયોગ ખોરાક તરીકે કરતા. ખીચડી ખાતામાં, ભાત ખાતા, કઢી ખાતા, ગાયનું દૂધ પીતા હતા એવી જ રીતે હવે લોકોના આહારમાં ફાસ્ટ ફૂડ નું પ્રમાણ ખૂબ વધી ગયું છે. લોકો પીઝા, બર્ગર, સેન્ડવિચ જેવી વસ્તુઓ સાથે કોલ્ડ્રિંક્સ નો ઉપયોગ ભોજન તરીકે કરવામાં આવે છે. અને ભોજનની સાથે કોલ્ડ્રિંક લેવા માંડ્યા છે.
સવારના નાસ્તામાં પણ પરોઠા તથા ભાખરી ને બદલે ઓટ્સ અને બ્રેડ ખાવા લાગ્યા છે . સ્વાદિષ્ટ અને ઝડપથી મળી જતી આ બધી વસ્તુઓ જીભ ને તો ઘણી બધી સ્વાદ આપે છે અને જીભને આનંદ આપે છે,પરંતુ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. એમ નિષ્ણાત લોકો કહે છે, અને એના પરિણામો પણ છે.કારણ કે આ વસ્તુ માં મેંદાના લોટનો ખૂબ વધારે પડતો ઉપયોગ થતો હોય છે.મેંદામાંથી બનતી વસ્તુ ખાવાથી સ્વાસ્થ્ય માટે તો ખૂબ ખરાબ છે જેનાથી સ્વાસ્થ્ય બગડે છે પરંતુ શરીર પણ વધવા લાગે છે, શરીર બેડોળ થાય છે, શરીર કદરૂપું પણ થઈ જાય છે.
મેંદાનો લોટ બનાવવા માટે ઘઉંના તમામ પોષક તત્વોનો નાશ થઈ જતો હોય છે એટલા માટે મેંદામાંથી બનતી વસ્તુઓ સ્વાસ્થ માટે નુકસાનકારક સાબિત થાય છે.તો નિષ્ણાંતો કહે છે. મેંદા માંથી બનતી વસ્તુઓથી પચવામાં ખૂબ ભારે છે. આપણે એ જાણીએ છીએ. આજકાલ મીઠાઈઓની એટલી બધી ભરમાર માર્કેટમાં વધી ગઈ છે કે દરેક મોટા ભાગની મીઠાઈઓમાં મેંદાનો વધુ પડતો ઉપયોગ થાય છે, જેના કારણે પેટના દુખાવા, અપચો, ગેસ,કબજીયાત જેવી તકલીફો થઇ શકે છે એવું જાણકારો પણ કહે છે.
મેંદો આંતરડામાં ચોંટી જાય તો પણ ગંભીર સમસ્યા સર્જાય છે અને આપણે જોઈએ પણ છીએ. તેનાથી કબજિયાત પણ વધી જાય છે. કોઈ પણ કબજિયાત મટાડવા ની દવાઓ આવા સમયે લઈએ તો, મેંદો જે ચોંટી ગયેલ હોય છે એ ઉખડતો નથી.
મેંદા ને સફેદ બનાવવા માટે કેમિકલ ખૂબ ઉપયોગ થાય છે. મેંદામાં સ્ટારચ વધારે હોવાથી એ વજન વધારનાર છે. આ રીતે મેંદાની કેટલીક તમને ટૂંકમાં જે વાત કરી છે. તો આપણે મેદાની બનેલી વસ્તુઓ ઘરમાં ન લાવીએ અને ઘરમાં પણ મેંદા નો પ્રયોગ ઓછો કરીએ એટલી સ્પષ્ટ સલાહ છે.
ઘરે બેસી નવુ જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.