આજે સવારથી ઉઠીને ભગવાનનનું નામ નથી લીધું તો એકવાર

અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દ્વારકાને ભગવાન કૃષ્ણની નગરી કહેવામાં આવે છે તેથી અહીં જન્માષ્ટમી પર એક અલગ જ રોશની જોવા મળે છે અને ગુજરાતમાં આવેલી શ્રી કૃષ્ણની નગરી જોવા જન્માષ્ટમી પર લાખો લોકો અહીં પહોંચે છે. દ્વારકામાં શ્રી કૃષ્ણના ઘણા મંદિરો આવેલા છે, પરંતુ મુખ્ય દ્વારકાધીશ મંદિરમાં થતી જન્માષ્ટમીની ઉજવણી અલગ છે.

જન્માષ્ટમી 2022 માં 19 August શુક્રવારે છે અને દ્વારકાધીશ મંદિર આ વર્ષે તેનો પૂરો મહિમા ફેલાવવા માટે સક્ષમ નથી. તેનું કારણ કારણ છે અત્યારે ચાલતી વાઇરસની મહામારી. જોકે આ રોગચાળાને કારણે હરવા ફરવા પર ઘણી રોક લાગેલી છે અને લોકોને ઘરમાં રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આજે અમે તમને દ્વારકા શહેરની નજીક આવેલા એક ટાપુ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

દ્વારકાનો અર્થ થાય છે મોક્ષની નગરી અને ભગવાન કૃષ્ણની નગરીમાં આખા શહેરમાં જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે, જોકે દ્વારકામાં જન્માષ્ટમીની ઉજવણી એક અઠવાડિયા પહેલાથી જ શરૂ કરવામાં આવે છે.

દ્વારકાના આ મંદિરોની મુલાકાત લો : દ્વારકામાં ઘણા પ્રખ્યાત ભગવાન કૃષ્ણના મંદિરો આવેલા છે, પરંતુ દ્વારકાધીશ અને જગત મંદિરમાં ભક્તો ઉમટી પડે છે. આ દિવસે ભગવાન કૃષ્ણની મૂર્તિઓને કિંમતી આભૂષણોથી શણગારવામાં આવે છે અને આ મંદિરોની ચારેબાજુ માત્ર રોશની રોશની દેખાય છે.

ભગવાન કૃષ્ણના જન્મ પહેલા રાત્રે 11 વાગ્યા સુધી તેમને મોંઘા વસ્ત્રો અને ઘરેણાં જ પહેરાવવામાં આવે છે. રાત્રે 11.30 કલાકે તેમને ઉત્સવ ભોગ ધરાવવામાં આવે છે. રાત્રે 12 વાગ્યે જન્મની સાથે તેમનું સ્વાગત કરવામાં આવે છે. 2 કલાક સુધી ઉજવણી કર્યા પછી 2 વાગ્યે મંદિર બંધ કરી દેવામાં આવે છે.