માત્ર 1 ચમચી ગ્રીન ટીનો આ રીતે કરો ઉપયોગ, ચહેરા પરની કરચલી અને ઝુરિયા દૂર થઇ જશે

how to use green tea for glowing skin
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ખાવાની ખોટી આદતોને કારણે અને સમયના અભાવના લીધે ત્વચાની યોગ્ય કાળજી ન લેવાને કારણે યુવાનીમાં પણ ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે. પરંતુ જે લોકોના ચહેરા પર સમય પહેલાં ઝુરિયા દેખાય છે તો તેમને ત્વચાની વધુ કાળજી લેવાની જરૂર છે.

ચહેરા પરની ઝુરિયા ચહેરાની સુંદરતા તો બગાડે જ છે પરંતુ તમને વહેલા ઘડપણ આવી ગયું હોય તેની અનુભૂતિ પણ કરાવે છે. આવી સ્થિતિમાં તમારે કેટલાક કુદરતી ઉપાયો કરીને આ સમસ્યાને દૂર કરી શકો છો.

બ્યુટી એક્સપર્ટનું કહેવું છે કે ‘જર્નલ ઓફ ક્યુટેનીયસ એન્ડ એસ્થેટિક સર્જરી અનુસાર, ગ્રીન-ટીમાં એવા સંયોજનો હોય છે જે પિગમેન્ટેશનને વધારે છે તે ત્વચાના કોષોને બ્લોક કરે છે. તેથી ગ્રીન-ટી પીવાની અને ચહેરા પર લગાવવાથી ફાયદો થાય છે.

(1) સામગ્રી : 1 ચમચી ગ્રીન-ટી પાણી, 1 ચમચી મધ અને 2 ટીપાં વિટામિન-ઇ. વિધિ : 1 કપ પાણી ગરમ કરીને તેમાં ગ્રીન ટી ઉમેરો. પછી આ પાણીને ગાળીને ઠંડુ કરી લો. હવે આ પાણીમાં મધ અને વિટામિન ઈ મિક્સ કરો. પછી આ મિશ્રણથી ચહેરા પર હળવા હાથે મસાજ કરો અને ચહેરા પર 10 મિનિટ સુધી રહેવા દો અને પછી પાણીથી ચહેરો ધોઈ લો.

અઠવાડિયામાં બે વાર આ ઘરેલુ ઉપાય કરો. જે લોકોની ત્વચા શુષ્ક છે તેમના માટે આ ઘરેલું ઉપાય ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. તો તમે પણ આ ઉપાય કરીને ચહેરાની કરચલી ઓછી કરી શકો છો.

(2) સામગ્રી : 1 ચમચી ગ્રીન ટી પાણી, 1 ચમચી એલોવેરા જેલ અને અડધી ચમચી ગુલાબજળ. વિધિ : એક બાઉલમાં ગ્રીન-ટીના પાણીમાં એલોવેરા જેલ અને ગુલાબ જળ મિક્સ કરો. હવે આ મિશ્રણને ધીમે-ધીમે ચહેરા પર લગાવો અને ચહેરા પર 15 મિનિટ માટે રહેવા દો.

15 મિનિટ પછી ચહેરાને પાણીથી ધોઈ લો. જો તમે આ ઘરગથ્થુ નુસખા દિવસમાં એક વખત નિયમિત રીતે ઉપયોગ કરશો તો ચહેરાની ઝુરિયા ઓછી થશે. જો તમારી સ્કિન ઓઈલી છે તો આ ઉપાય તમારા માટે ફાયદાકારક છે. તમારે રાત્રે સૂતા પહેલા આ ઉપાય કરો.

(3) સામગ્રી : 1 કપ ગ્રીન ટી પાણી, 1 ચમચી લીંબુનો રસ અને 1 વિટામિન-ઇ કેપ્સ્યુલ. વિધિ : 1 કપ ગ્રીન-ટી પાણીમાં લીંબુનો રસ અને વિટામિન-ઈ કેપ્સ્યુલ મિક્સ કરો. આ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં ભરી લો અને પછી ચહેરા પર લગાવો. ચહેરા પર સ્પ્રે કરીને હળવા હાથે મસાજ કરો અને પછી તેને આખી રાત ચહેરા પર રહેવા દો.

આ ઘરેલું ઉપાય દરેક પ્રકારની સ્કિન માટે સારો રહેશે. જો તમે દરરોજ આ ઉપાય કરશો તો તમને જલ્દી સારા પરિણામ જોવા મળશે. જો તમારી ત્વચા સંવેદનશીલ છે તો તમારે એક વાર ત્વચા પર નાનો ટેસ્ટ જરૂર કરવો જોઈએ.

કોઈ પણ પ્રકારની સ્કિન ટ્રીટમેન્ટ ચાલે છે તો નિષ્ણાતની સલાહ વિના કોઈપણ પ્રકારનો ઘરેલું ઉપાય અજમાવવો જોઈએ નહીં. જો તમને આ બ્યુટી ટિપ્સ ગમી હોય તો આવી જ અવનવી ટિપ્સ જાણવા રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.