gujarat famous temple in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણો ધર્મ અને કર્મ એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. આપણા દેશમાં ઘણા એવા પ્રાચીન મંદિરો છે જે આસ્થા અને ધર્મના પ્રતિક છે અને એમાં આવા જ કેટલાક પ્રખ્યાત અને પ્રાચીન મંદિરોનો સંગમ છે આપણું ગુજરાત.

જ્યાં આજે પણ દર વર્ષે લાખો લોકો મંદિરોમાં ઉમટી પડે છે અને ભગવાનના દર્શન કરીને સૌભાગ્ય મેળવે છે. જો તમે હજુ પણ આ મંદિરોની ભવ્યતાથી અજાણ હોય તો જાણો કે કયા મંદિરો છે અને તેમની મુલાકાત લેવાનું ભૂલશો નહીં.

અક્ષરધામ મંદિર : ભારતના વિશાળ મંદિરોમાંથી એક મંદિર ગુજરાતનું અક્ષરધામ મંદિર છે. દિલ્હીનું અક્ષરધામ મંદિર આ મંદિરની કોપી જ છે. ગુજરાતમાં આવતા પ્રવાસીઓ માટે આ મંદિર મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે, જે ગુજરાતના ગાંધીનગરમાં આવેલું છે. અહી દર વર્ષે લાખો લોકો દર્શન કરીને ધન્ય અનુભવે છે.

સોમનાથ મંદિર : ગુજરાતનો અનોખો વારસો સોમનાથ મંદિર છે અને તે ભગવાન શિવની ભક્તિનું પવિત્ર સ્થળ છે. તે બાર જ્યોતિર્લિંગોમાંનું એક સ્થળ છે. પૌરાણિક કથા અનુસાર ચંદ્રદેવને તેમના સસરા પ્રજાપતિ દક્ષના શ્રાપમાંથી ભગવાન સોમનાથએ મુક્ત કર્યા હતા.

તેની ભવ્યતા જોઈને મહમૂદ ગઝનવીએ આ મંદિર પર 17 વખત હુમલો કરીને તેને લૂંટી લીધું હતું. દરેક વ્યક્તિએ જીવનમાં એકવાર તો આ મંદિરની મુલાકાત લેવી જ જોઈએ.

નાગેશ્વર મંદિર : નાગેશ્વર મંદિર એ ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિલિંગ છે જે દ્વારકા જતા વચ્ચે રસ્તામાં આવે છે. આ મંદિરમાં હાજર ભગવાન શિવની 25 મીટર ઊંચી ભગવાન શિવની પ્રતિમા તેની ભવ્યતાનો પુરાવો છે. શાંતિ અને સુંદરતાથી ભરપૂર તે શિવ ભક્તો માટે પવિત્ર સ્થળ છે. આ એક એવી જગ્યા છે જ્યાં જઈને તમે સુખ અને શાંતિનો અનુભવ કરો છો.

ભાલકા તીર્થ : આ ગુજરાતનું એવું એક મંદિર છે જેની કથા ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલી છે. આ એ પવિત્ર સ્થળ છે જ્યાં શ્રી કૃષ્ણએ પોતાના પ્રાણને ત્યાગ કર્યા હતા. દંતકથા અનુસાર એક વાંસળીએ તીરથી શ્રી કૃષ્ણનું જીવન છીનવી લીધું હતું. આ મંદિરમાં કૃષ્ણની આરામ અવસ્થામાં પ્રતિમા છે. સોમનાથથી માત્ર 5 કિલોમીટર મુસાફરી કરીને આ પવિત્ર મંદિરની મુલાકાત લઈ શકો છો.

દ્વારકાધીશ મંદિર : ગુજરાતનું આ મંદિર 2000 – 2200 વર્ષ જૂનું છે જે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત છે. તે હિંદુ સંસ્કૃતિના ચાર ધામોમાંથી એક ધામ છે. એવું માનવામાં આવે છે કે દ્વારકાધીશ મંદિરનું નિર્માણ ભગવાન કૃષ્ણના પૌત્ર વજ્રભ દ્વારા કરવામાં આવ્યું હતું અને આ એક હિન્દુ સંસ્કૃતિનું પવિત્ર સ્થાન છે જેની સાથે લાખો લોકોની આસ્થા જોડાયેલી છે.

મહાકાલી મંદિર : 1525 ફૂટ ઉંચી ટેકરી પર આવેલું માતા કાલીનું આ મંદિર ગુજરાતના મુખ્ય ધાર્મિક સ્થળો પૈકીનું એક મંદિર છે. પાવાગઢ જિલ્લાના આ મંદિરમાં મા દક્ષિણ મુખી કાલી ની મૂર્તિ છે. આ મહાકાલી મંદિરમાં દર વર્ષે હજારો લોકો તેમના દર્શને આવે છે.

જો તમને અમારી આ માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, કિચન ટિપ્સ, રિસીપી, યોગા અને બીજી ઘણી બધી માહિતી દરોજ મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા