હિંદુ ધર્મમાં કેટલીક વસ્તુઓને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે, આમાંથી કેટલીક વસ્તુઓ ખૂબ જ સામાન્ય છે જે તમને તમારા રસોડામાંથી પણ સરળતાથી મળી જશે. ખાસ કરીને મીઠું, હળદર, મરચું વગેરે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ છે.
આ સાથે જ દરેક ઘરમાં ફટકડી પણ હોય છે, જે જ્યોતિષ શાસ્ત્રના આધારે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. વાસ્તુમાં ફટકડીને પણ ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. તમે ફટકડીનો ઉપયોગ કરીને અનેક પ્રકારના વાસ્તુ દોષોને દૂર કરી શકો છો.
ખાસ કરીને ફટકડી પોતાની અંદર નકારાત્મકતાને શોષી લે છે. વ્યક્તિના સ્વભાવ, કોઈપણ વસ્તુ કે અન્ય કારણોસર નકારાત્મકતા ફેલાઈ શકે છે, પરંતુ તે જરૂરી છે કે વ્યક્તિ પોતાની અંદર રહેલી નકારાત્મકતાને દૂર કરે.
કેટલીકવાર આ નકારાત્મકતા સંબંધોને પણ બગાડે છે. ખાસ કરીને, લગ્ન જીવનમાં પણ આવી ઘણી સમસ્યાઓ હોય છે અને કેટલીકવાર આપણે આ સમસ્યાઓને જાતે જ હેન્ડલ કરી શકતા નથી. આવી સ્થિતિમાં જો તમે ફટકડીનો યોગ્ય રીતે ઉપયોગ કરો છો, તો તમારા લગ્નજીવનમાં આવતી સમાસ્યાઓને ઓછી કરી શકો છો.
અમે આ વિષય પર આ લેખમાં વાત કરી રહયા છીએ કે ‘ફટકડી તમારી પાસે રાખવાથી મનની અંદર છુપાયેલી નકારાત્મકતા દૂર કરી શકાય છે. આવી સ્થિતિમાં તમારા વિવાહિત જીવનમાં આવતી સમસ્યાઓ પણ તેનાથી દૂર થઈ જાય છે.
કાંડા પર ફટકડી બાંધો : લાલ રંગના કપડામાં ફટકડી બાંધો. શુક્રવારે મહિલાઓએ આ કપડાને તેમના ડાબા હાથમાં અને પુરુષોએ તેમના જમણા હાથમાં બાંધવું જોઈએ. આમ કરવાથી જો તમને તમારા પાર્ટનર વિશે કોઈ ગંદા ભાવ હોય છે તે દૂર થઈ જશે.
તમારા બેડરૂમમાં ફટકડી રાખો : તમારે તમારા પલંગની નજીકના બાઉલમાં ફટકડી રાખવી જોઈએ, તમે તમારા રૂમમાં ફટકડીનો એક બ્લોક પણ રાખી શકો છો પરંતુ તમારે તેને દર 15 દિવસે બદલવો જરૂરી છે. આમ કરવાથી રૂમની અંદરની નકારાત્મક ઉર્જા નાશ પામે છે અને તમે તમારા પાર્ટનર સાથે શાંતિથી રહી શકો છો.
ફટકડી પાણીથી સ્નાન કરવું : જો તમને લાગે છે કે તમે તમારા પાર્ટનર સાથે ખૂબ ઝઘડા થઇ રહયા છે તો તમારે દરરોજ ફટકડીના પાણીથી સ્નાન કરવું જોઈએ. આ માટે થોડા સમય માટે નહાવાની ડોલમાં ફટકડીનો ટુકડો નાખો અને પછી આ પાણીથી સ્નાન કરો. આમ કરવાથી મનમાં જે પણ નકારાત્મક લાગણીઓ હશે તેનો અંત આવી જશે.
ફટકડીનો ઉપાય : જો તમે તમારા જીવનસાથીથી અલગ થવાનું એટલે કે છૂટાછેડા લેવાનું વિચારી રહ્યા છો, પરંતુ તમે તેમ કરવા માંગતા નથી, તો તમારે હંમેશા તમારી સાથે રૂમાલમાં ફટકડીના કેટલાક ટુકડા બાંધીને રાખવા જોઈએ.
ખાસ કરીને જો તમને લાગતું હોય કે કોઈ બીજો વ્યક્તિ તમારા સંબંધને બગાડી રહ્યું છે તો તમારે તેની નજીક જતા પહેલા તમારી સાથે ફટકડી રાખવી જોઈએ.
આશા છે કે તમને અમારો આ લેખ ગમ્યો હશે, જો પસંદ આવ્યો હોય તો આવી જ માહિતી મેળવવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.