dal banavani rit gujarati ma
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણા રસોડામાં કેટલીક એવી વસ્તુઓ હોય છે, જે સામાન્ય રીતે દરેકના ઘરમાં દરરોજ બનાવવામાં આવતી હોય છે. એ વસ્તુનું નામ છે દાળ. ભારતીય ભોજન કઠોળ વિના અધૂરું લાગે છે. દાળ બનાવવાની દરેક વ્યક્તિની પોતાની એક અલગ અલગ રીત હોય છે, પરંતુ સામાન્ય રીતે લોકો દાળને પ્રેશર કૂકરમાં જ દાળને બનાવે છે.

તો, કેટલીક મહિલાઓની ફરિયાદ હોય છે કે તેમની દાળ કૂકરમાં બરાબર બનતી નથી અથવા તે બળી જાય છે. ઘણી સ્ત્રીઓ એ વાતથી પણ પરેશાન હોય છે કે દાળ રાંધતી વખતે કુકરની સીટી વાગતા જ દાળનું પાણી નીકળી જાય છે અને દાળ બરાબર પાકતી નથી અને ગંદકી અલગથી ફેલાય છે.

આજે અમે તમને જણાવીશું કે લોકો કૂકરમાં દાળ રાંધતી વખતે કઈ કઈ સામાન્ય ભૂલો કરે છે કે જેને કારણે દાળ બરાબર રંધાતી નથી અને સફાઈનું કામ પણ વધી જાય છે. કૂકરમાંથી દાળ બહાર નીકળવાના કારણો ઘણા છે જેમ કે તમે કુકરમાં વધુ પડતી દાળ ભરો છો.
જ્યારે તમે કૂકરમાં જરૂરિયાત કરતા વધારે પાણી ભરો છો ત્યારે તે દાળ સાથે ભળી જાય છે અને સીટીમાંથી બહાર આવે છે.

નાના કૂકર માટે જ્યારે તમે મોટા ગેસ બર્નરનો ઉપયોગ કરો છો ત્યારે પણ આવું થાય છે. જો તમે ઊંચી આંચ એટલે કે ફૂલ ગેસ પર દાળ રાંધો તો પણ આવું થઈ શકે છે. જો તમે કૂકરમાંથી બળપૂર્વક પ્રેશર બહાર નીકળવાની કોશિશ કરો તો પણ દાળનું પાણી પ્રેશર સાથે બહાર આવે છે.

આ રીતે કૂકરમાં દાળ બળી જાય છે : દાળને કૂકરમાં ઉમેરતા પહેલા તેને 15 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળીને રાખવી જોઈએ. હવે જ્યારે તમે કૂકરમાં દાળ નાખો ત્યારે જરૂર મુજબ પાણી ઉમેરીને ચમચીથી હલાવી લો. જયારે દાળ કૂકરની સપાટી પર ચોંટી જાય છે તો તે દાળ બળી જાય છે.

જો તમે દાળને ધીમી આંચ પર નથી રાંધતા તો પણ દાળ બળી જવાની સંભાવના રહે છે. જયારે તમારા કૂકરમાં યોગ્ય પ્રેસર ના બને ત્યારે પણ દાળ બળી શકે છે. જો તમારું કૂકર ઓછું વજનવાળું હોય તો પણ કૂકરમાં સપાટી પર ચોંટેલી દાળ બળી શકે છે.

કૂકરમાં ક્યારે દાળ ચડતી નથી? જો તમારા કૂકરનું રબર ઢીલું હોય અથવા તમે કૂકરમાં યોગ્ય સીટી નથી લગાવી હોય તો કુકરની અંદરનું પ્રેશર મુશ્કેલથી બને છે અને તેના કારણે દાળ બરાબર રંધાતી નથી.

આ સિવાય ચણાની દાળ અને મસૂર દાળ જેવી કેટલાક કઠોળને કુકરમાં રાંધવામાં સમય વધારે લાગી શકે છે. તો તમે દાળને 1 કલાક પહેલા પાણીમાં પલાળીને રાખો અથવા તમે દાળને ઓગળવા માટે એક ચપટી બેકિંગ સોડાનો ઉપયોગ કરો.

કૂકરમાં દાળ રાંધવાની સાચી રીત : જો તમે નીચે બતાવવામાં આવેલા પગલાંને અનુસરીને દાળને કુકરમાં રાંધશો તો દાળ ઝડપથી ઓગળી જશે અને તે બળશે પણ નહિ અને ના તો તે કૂકરમાંથી બહાર આવશે.

1) દાળ કોઈપણ હોય પણ તેને કૂકરમાં રાંધતા પહેલા 30 મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખો. આના કારણે દાળ ફૂલી જાય છે અને સારી રીતે પાકી જાય છે. જો તમને વધારે ઉતાવળ હોય તો તમે દાળને રાંધતા પહેલા 15 મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી શકો છો. આમ કરવાથી પણ દાળ ઝડપથી રંધાઈ જશે.

2) દાળને કુકરમાં નાખો અને પછી તેમાં પાણી ઉમેરો. પાણીનું પ્રમાણ એવી રીતે માપો કે અડધી વાડકી દાળ હોય તો માત્ર 1 વાડકી પાણી ઉમેરો. હવે દાળમાં મીઠું, હળદર અને 1/2 ચમચી તેલ અથવા ઘી ને ઉમેરો. આના કારણે દાળ ઝડપથી પાકી જશે અને તેની ચીકાસને કારણે દાળ કૂકરની સપાટી પર ચોંટશે નહીં.

3) હવે કૂકરના ઢાંકણને ચુસ્તપણે બંધ કરી લો. તે જોઈ લો કે કૂકરમાં પ્રેશર બરાબર બની રહ્યું છે કે નહીં અને ગેસની ફ્લેમ ધીમી રાખો. જો તમે દાળને રાંધતા પહેલા જો દાળને પલાળી લીધી હશે તો તમારી દાળ એક સીટીમાં જ પાકી જશે. તેથી ગેસ બંધ કરો અને કૂકરમાંથી પ્રેશર સારી રીતે બહાર નીકળી જવા દો, પછી જ તેનું ઢાંકણું ખોલો.

4) આ પછી તમે દાળમાં હિંગ અને જીરું નો તડકો લગાવી શકો છો, તેમજ દાળને કોથમીરથી ગાર્નિશ કરી શકો છો અથવા તમે ડુંગળી, લસણ અને ટામેટાંથી દાળને ફ્રાય કરી શકો છો.

આશા છે કે તમને આ રેસિપી અને કિચન ટિપ્સ જરૂરથી પસંદ આવી હશે. આવી જ બીજી જાણકારી ઘરે બેસી જાણવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “કૂકરમાં દાળ રાંધતી વખતે આ ભૂલો ના કરો અને જાણો દાળ બનાવવાની સાચી રીત”

Comments are closed.