city people follow village habits
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

ગામડા ની અંદર રહેતા લોકોની સરખામણીમાં શહેરની અંદર વસતા લોકોમાં બીમારીનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. ગામડાના લોકો ઓછા બીમાર પડે છે જ્યારે શહેરના લોકો વારંવાર બીમાર પડતા હોય છે. ગામડાના લોકોની એવી પાંચ આદતો તમે અપનાવી લેશો તો શહેરના લોકો પણ ગામડાના લોકોની જેમ જ પોતાની જ રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરી શકશે અને બીમારીઓથી દૂર રહી શકશે.

(1) ગામડાના લોકોની સૌથી મોટી અને સારી આદત, સવારમાં સૂર્ય ઊગે એ પહેલાં જ તે લોકો ઉઠી જાય છે અને કામે ચડી જાય છે જ્યારે શહેરના લોકો, સૂર્ય ઊગ્યા પછી બે થી ત્રણ કલાક બાદ આરામથી ઉઠતા હોય છે.

(2) ગામડાના લોકોની બીજી સૌથી સારી આદત, ગામડાના લોકો ટાઈમસર ભોજન કરે છે જેમ કે, બપોરે અને સાંજે દરરોજનો જમવાનો ટાઈમ એનો ફિક્સ હોય છે ત્યારે શહેરના લોકોનો બપોરનો અને સાંજનો જમવાનો ટાઈમ ક્યારે પણ ફિક્સ નથી હોતો. આના કારણે શરીરનું બૅલૅન્સ બગડે છે અને આ જ કારણથી તમારા શરીરમાં અવનવા રોગ જન્મ લે છે.

(3) ગામડાના લોકો રાતનું ભોજન સાત થી આઠ વાગ્યાના વચ્ચે જ કરી લે છે જ્યારે શહેરના લોકો છે રાત નું ભોજન છે એ દસ વાગ્યે 11 વાગ્યે અને મુંબઈ ની અંદર રહેતા આપણા ગુજરાતી લોકો અગિયાર-બાર વાગ્યે રાતનું ભોજન લે છે જે ખરેખર પ્રકૃતિની અને શરીરની પ્રકૃતિની વિરુદ્ધ છે.

આવું કરવાથી તમારું પેટ ખરાબ થાય છે. તમારા શરીરમાં ડાયાબિટીસ, હાઈ બીપી જેવી સમસ્યાઓ જન્મ લે છે અને આ જ કારણથી તમે એટલે કે શહેરના લોકો છે એ પોતાની જ રોગપ્રતિકારક શક્તિને મજબૂત નથી કરી શકતા.

(4) ગામડાના લોકોની ચોથી સારી આદત કે જે તમારી અપનાવવા જેવી છે તો શહેરના લોકો વારંવાર બહારનું ખાવાની ટેવ ધરાવતા હોય છે એટલે કે અઠવાડિયામાં એક વખત થી બે વખત બહાર ખાવા જાય છે અને પોતાનું કોલેસ્ટ્રોલ લેવલ વધારી ને ઘરમાં પાછા આવી જાય છે.

જ્યારે ગામડાના લોકો છે આવું જરા પણ નથી કરતા. જે લોકો ઘરનું જ તેલ અને કરે ઘણી અંદર બનાવેલું તૈયાર થયેલું તેલ વાપરે છે ઘરની અંદર જ ભોજન લે છે. ક્યાંય પણ બહાર જમવા નથી જતાં જેના કારણે તેમનું વજન પણ નથી વધતું અને પોતાનું કોલેસ્ટ્રોલ લેવલ પણ ઠીક રહે છે અને આ જ કારણથી ગામડાના લોકોની અંદર હાર્ટ એટેકનું પ્રમાણ છે તે શહેરના લોકોની સરખામણીએ ખૂબ જ ઓછું છે.

(5) શહેરના લોકોની અંદર આ એક આદતનો અભાવ છે જે છે સંતોષ. ગામડાના લોકો કોઇપણ કાર્યમાં કે પૈસા કમાવાની અંદર સંતોષ માને છે. જ્યારે શહેરમાં લોકોને એ આદત નથી. શહેરના લોકો સંતોષ નથી માં નથી માનતા અને એ જ કારણથી શહેરના લોકો છે ડિપ્રેશન જેવી સમસ્યાઓના શિકાર બને છે.

ડિપ્રેશનના કારણે તમારા શરીરની અંદર સો થી પણ વધુ નવા નવા રોગો જન્મ લે છે. તમને માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓ થાય છે અને મગજની અંદર પણ બહુ મોટા ઇન્ફેક્શન થાય છે. બ્રેન હેમરેજ જેવી સમસ્યા પણ થઈ શકે છે. શરીરની અંદર ગેસ એસિડિટી જેવી સમસ્યાઓ ઉત્પન્ન થાય અને આંતરડામાં ઇન્ફેકશન પણ થાય છે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી મોકલજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા