shiyalama dahi khavu joiye ke nahi
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

દહીં વિશે ઘણી વાતો કહેવામાં આવે છે. રાત્રે દહીં ન ખાવું જોઈએ, શિયાળામાં દહીં ન ખાવું જોઈએ, દહીં ખાવાથી ગળું ખરાબ થઈ જાય છે, આવી ઘણી વાતો છે જેના વિશે લોકો વારંવાર વિચારે છે. પરંતુ ડાયેટિશિયનનું આ વિશે શું કહેવું છે, ચાલો તેમની પાસેથી જાણીએ.

મહિલાઓ ખાસ કરીને ચિંતા કરે છે કે શિયાળામાં દહીં ખાવું જોઈએ કે શિયાળામાં બાળકોને દહીં ખવડાવવું યોગ્ય છે કે નહીં. ઘણા લોકો આ પ્રશ્ન વારંવાર પૂછતાં હોય છે, તેથી આપણા વિચારવા કરતા ડાયેટિશિયન આ વિશે શું કહે છે તે વધુ મહત્વનું છે.

તમારા સ્વાસ્થ્ય વિશે ડાયેટિશિયન સિવાય કોઈ શ્રેષ્ઠ સલાહ આપી શકે નહીં. તેથી ડાયેટિશિયન મુજબ શું આપણે શિયાળામાં દહીં ખાવું જોઈએ? ચાલો તેનો જવાબ જોઈએ.

શિયાળામાં દહીં ખાવું જોઈએ કે ના ખાવું જોઈએ તે જાણતા પહેલા તમારા માટે એ જાણવું પણ જરૂરી છે કે દહીં ખાવાથી શું ફાયદા થાય છે. તેમાં કયા પોષક તત્વો છે જે ખાવાથી તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.

દહીં કેટલું પૌષ્ટિક છે? : શું તમે જાણો છો કે 100 ગ્રામ દહીંમાં શું હોય છે? જો નહીં, તો તમારે તેના નુટ્રિશન ફેક્ટ વિશે જાણવું જોઈએ, તો તમે વધુ સારી રીતે સમજી શકશો કે દહીં ખાવું જોઈએ કે નહીં. તેને ખાવાથી તમને શું ફાયદા થશે?

100 ગ્રામ દહીંમાં 98 કેલરી, 11 ગ્રામ પ્રોટીન, 17 મિલિગ્રામ કોલેસ્ટ્રોલ, 364 મિલિગ્રામ સોડિયમ, 4.3 ગ્રામ ચરબી, 104 મિલિગ્રામ પોટેશિયમ હોય છે. આ સિવાય દહીંમાં વિટામીન A, C, D, B-6 અને B-12 પણ હોય છે. 100 ગ્રામ દહીં ખાવાથી તમને કેલ્શિયમ અને મેગ્નેશિયમ પણ મળે છે.

દહીંના ફાયદા: દહીં તમારી પાચન શક્તિ માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. તેને ખાવાથી પાચન બરાબર થાય છે. દહીં ખાવાથી પેટની ગરમી દૂર થાય છે જેના લીધે અલ્સર, કબજિયાત અને પાઇલ્સ જેવા ઘણા રોગોમાં રાહત મળે છે.

દૂધ કરતાં દહીંમાં 18 ટકા વધુ કેલ્શિયમ હોય છે. તેથી દહીં તમારા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક છે. તે તમારા હાડકાઓને મજબૂત બનાવે છે અને સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે. દહીં વજન ઘટાડવા અથવા વજનને નિયંત્રણ રાખવા માટે પણ ખૂબ સારું છે.

દહીં તમારી ત્વચા માટે સારું છે, તેને ત્વચા પર લગાવવાથી ડાઘ દૂર થાય છે. વાળ પર તેનો ઉપયોગ પણ ફાયદાકારક છે.
જે લોકોને રાત્રે ઊંઘની સમસ્યા છે. અનિદ્રા એટલે ઊંઘની સમસ્યા, જે લોકો રાત્રે બરાબર ઊંઘતા નથી તેમણે પણ દિવસમાં એક વખત દહીં ખાવું જોઈએ.

ડાયેટિશિયન પાસેથી જાણી લો કે શિયાળામાં દહીં ખાવું કે નહીં: ડાયેટિશિયન મુજબ આ વિશે કહ્યું કે લોકોએ શિયાળામાં દહીં ખાતા પહેલા વિચારવાની જરૂર નથી. શિયાળામાં દહીં ન ખાવું એ લોકોની ગેરસમજ છે. દહીંમાં એવું કંઈ નથી કે જે તમને શિયાળામાં બીમાર કરે.

દરેક વ્યક્તિએ દિવસમાં એક વાટકી દહીં ખાવું જોઈએ. દહીં પ્રો-બાયોટિક છે, તેમાં લેક્ટોબાસિલી પણ છે જે તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. સૌથી મહત્વની બાબત એ છે કે દહીંમાં સ્વસ્થ બેક્ટેરિયા હોય છે જે શરીરને ઇન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. આ તમારી રોગપ્રતિકારકશક્તિ વધારે છે. દહીંમાં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે જે આપણા હાડકાં માટે ખૂબ જ જરૂરી છે.

તમને અમારી આ રેસિપી પસંદ આવી હોય તો તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો અને તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “દહીં ઠંડુ હોય છે તો શિયાળામાં ખાવું જોઈએ કે નહિ જાણો સંપૂર્ણ માહિતી”

Comments are closed.