vajan ochu karvana upay gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણી આદતો જ આપણા શરીરને બનાવે છે અને બગાડે પણ છે. આપણે શું કરીએ છીએ અને શું ખાઈએ છીએ તે પણ આપણું સ્વાસ્થ્ય અને વજનને પણ નક્કી કરે છે. જો જોવામાં આવે તો ઘણા લોકો નાની નાની આદતો પર ધ્યાન નથી આપતા અને પછી તેના કારણે વજન વધવા લાગે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ આદતોમાં નાના ફેરફારો કરીને પણ તમે તમારું વજન ઘટાડી શકો છો.

છેવટે એવી કઈ આદતોથી આપણું વજન વધે છે અને કયા બદલાવ આપણને વજન ઘટાડવામાં કેવી રીતે મદદ કરી શકે છે. આ લેખમાં આ 8 ફેરફારોનો ઉલ્લેખ કરેલો છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે.

શા માટે આવી વસ્તુઓની જરૂર છે? જ્યારે તમે વજન ઓછું કરો છો ત્યારે ફરીથી વજન વધવાની શક્યતાઓ પણ વધારે હોય છે. આ એટલા માટે છે કારણ કે આપણે કસરત ભૂલી જઈએ છીએ અને સ્નાયુઓની યાદશક્તિ આપણા નવા વજનને ટકાવી રાખવા માટે એટલી મજબૂત નથી.

એટલા માટે એ જરૂરી છે કે તમે તમારી જીવનશૈલી સાથે સંબંધિત કેટલાક ફેરફારોનું ધ્યાન રાખો. તમે એકવાર બદલી જુઓ પછી તમે સમજી શકશો કે તે કેટલું ફાયદાકારક છે.

1. સફેદ ખાંડને બદલે ગોળનો ઉપયોગ : પહેલો ફેરફાર એ છે કે જે કરવાનો છે કે તમે ખાંડને બદલે ગોળનો ઉપયોગ કરો, કારણ કે ખાંડ તમારા માટે બિનઆરોગ્યપદ હોઈ શકે છે. વૈજ્ઞાનિક કારણની વાત કરીએ તો સફેદ ખાંડમાં માત્ર કેલરી હોય છે અને ગોળમાં ન્યુટ્રીશન પણ હોય છે. આ જ કારણ છે કે ખાંડને બદલે ગોળ ખાવી જોઈએ.

2. ઠંડા પાણીને બદલે હૂંફાળું પાણી પીવો : જો તમે વજન ઘટાડવા માંગતા હોય તો તમારે હૂંફાળું પાણી પીવું જોઈએ. આયુર્વેદ મુજબ હૂંફાળું પાણી તમારા આંતરડામાં અગ્નિ તત્વને પ્રોત્સાહન આપે છે જે ચયાપચયને સુધારે છે અને ઠંડુ પાણી પચવામાં થોડું વધારે મુશ્કેલ હોય છે.

3. બેસી રેવાને બદલે રોજ 3-5 હજાર ડગલાં ચાલો : જો તમને આ સમસ્યા છે કે તમે સતત બેસી રહ્યા છો તો તમારા પેટની ચરબી વધી જશે પરંતુ જયારે તમે એક્ટિવ રહેવાનું શરૂ કરશો તો રક્ત પરિભ્રમણથી લઈને શરીરની લચીલાતામાં ઘણો બદલાવ આવશે. વ્યાયામ કરવાથી પણ વજન ઘટે છે પણ આ એક સામાન્ય બાબત છે તો ચોક્કસપણે 5000 પગલાંથી શરૂઆત કરો.

4. ફ્રૂટ જ્યુસને બદલે ફળો ખાઓ : ફળોના રસ કરતાં ફળો ખાવા હંમેશા વધારે સારા હોય છે કારણ કે ફળોનું ફાઇબર પ્રવાહી થઇ જતા ઓછું થઇ જાય છે. જ્યારે તમે ફળો ચાવો છો ત્યારે પાચન મોંમાંથી શરૂ થાય છે અને ફાઈબર જળવાઈ રહે છે અને તેથી તમે ફળો પણ યોગ્ય માત્રામાં ખાઓ છો તો તમને તેના તમામ પોષક તત્વો મળે છે.

5. બપોરનું ભોજન છોડશો નહિ : સવારનો નાસ્તો અને બપોરનું ભોજન બંને ખૂબ મહત્વપૂર્ણ છે અને બપોરનું ભોજન એ એકમાત્ર સમય છે જ્યારે તમે સારું અને ભારે ભોજન લઈ શકો છો. આ સમયને આયુર્વેદમાં પિત્ત કાલ કહેવામાં આવે છે અને આ સમય ભારે ભોજન માટે સારું છે કારણ કે મેટાબોલિઝમ પણ સારું રહે છે. સવારના આ બંને ભોજનને ક્યારેય છોડશો નહીં.

6. રાત્રિભોજન મોડું ના કરો : જો તમને રાત્રે મોડા જમવાની આદત છે તો આ આદતને બદલી નાખો કારણ કે જો તમે આવું નહીં કરો તો મેટાબોલિઝમ ઘટશે અને ચરબી વધશે સાથે જ પાચનને લગતી સમસ્યાઓ શરૂ થશે. જો તમારે રાત્રિભોજન કરવું હોય તો રાત્રે 8 વાગ્યા પહેલા કરો.

7. પૂરતી ઊંઘ લો : તમે પણ આ એક વાત સમજી લો કે ઊંઘ દરમિયાન આપણું શરીર ફરી શરૂ થાય છે અને તે જ સમયે આપણા કોષોનું સમારકામ કરેછે અને લીવર ડિટોક્સિફાય થાય છે. જો તમને પૂરતી ઊંઘ નહીં મળે તો તમારું લીવર પણ ડિટોક્સ કરી શકશે નહીં અને આ સ્થિતિમાં ના તો મેટાબોલિઝમ સારું રહેશે કે ના તો વજન ઘટશે.

8. બેઠાડુ જીવનના બદલે કસરત કરો : દરેક વ્યક્તિ જાણે છે કે કસરત મહત્વપૂર્ણ છે. તે તમને વજન ઘટાડવા અને પાતળા રહેવામાં મદદ કરશે. તમે તમારી અનુકૂળતા મુજબ કંઈપણ પસંદ કરી શકો છો જેમ કે સાઇકલ ચલાવવું, યોગ, જોગિંગ, જિમ, વેઈટ લિફ્ટિંગ, સ્વિમિંગ વગેરે.

આ તમામ ટિપ્સ તમારી જીવનશૈલી બદલશે અને સાથે જ તમને સ્લિમ પણ બનાવશે. જો તમને આ માહિતી ગમી હોય તો આવી જ વધારે માહિતી વાંચવા માટે રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા