નાનાથી લઈને મોટી ઉંમરના બધા, રાત્રે સુતા પહેલા 15 સેકન્ડ માટે કરો આ 1 કામ, શરીરને મફતમાં મળશે આ 4 ફાયદા

suta pahela pag dhovana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

હિંદુ શાસ્ત્રો મુજબ, મુખ્યત્વે ઘરમાં પ્રવેશતા પહેલા, જમતા પહેલા અને સૂતા પહેલા પગ ધોવાની પ્રથા છે. જો કે આ પ્રથા સામાન્ય છે પણ સદીઓથી લોકો તેને અપનાવતા આવી રહ્યા છે. કારણ ગમે તે હોય, પરંતુ લોકો શાસ્ત્રોમાં લખેલી વાતોનું આજે પણ પાલન કરે છે અને તેને પોતાના જીવનમાં લાગુ કરે છે.

જ્યારે સૂતા પહેલા પગ ધોવાની વાત આવે ત્યારે એવું માનવામાં આવે છે કે, સુતા પહેલા પગ ધોવાથી શરીર માટે સારું છે, ઊંઘ સારી આવે છે અને સાથે જ આપણી માનસિક સ્થિતિને ઠીક કરવામાં મદદ મળે છે.

હિન્દુ ધર્મમાં ઘરને મંદિર માનવામાં આવે છે. એટલા માટે, બહારથી ઘરે આવ્યા પછી, જૂતા અને ચપ્પલને ઘરની બહાર કાઢવામાં આવે છે જેથી કોઈપણ પ્રકારના બેક્ટેરિયા ઘરની અંદર પ્રવેશી ન શકે. તો આવો જાણીયે સૂતા પહેલા પગ ધોવાના જ્યોતિષીય ફાયદા.

શરીરને ઊર્જાવાન રાખવા માટે

શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે દિવસભરની સખત મહેનત પછી જ્યારે શરીર રાતના થાક પછી આરામ કરે છે ત્યારે તેણે બીજા દિવસ માટે ઉર્જાવાન રહેવા માટે પગ ધોઈને સૂઈ જવું જોઈએ. એવું કહેવાય છે કે પગ ધોયા વિના સૂવાથી શરીરમાં ઉર્જાનો સંચાર યોગ્ય રીતે થતો નથી.

હિંદુ શાસ્ત્રોમાં એવું માનવામાં આવે છે કે શરીરમાં ઘણા ઊર્જા ચક્ર હોય છે અને આ બધા ચક્રો સૂવાના સમયે બંધ થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે પાણીમાં ઘણા ઇલેક્ટ્રોમેગ્નેટિક ગુણધર્મો હોય છે જે શરીરને શક્તિ આપવામાં મદદ કરે છે.

પાણી શરીરના એનર્જી લેવલને સંતુલિત કરવામાં મદદ કરે છે અને માનસિક ભાવનાઓને પણ નિયંત્રિત કરવામાં પણ મદદ કરે છે. આ બધા કારણોને જોતા, રાત્રે સૂતા પહેલા પગને પાણીથી ધોવાની સલાહ આપવામાં આવે છે.

આ પણ વાંચો: સૂવાના નિયમો: શાસ્ત્રોમાં જણાવેલા સૂવાના નિયમોનું દરેક વ્યક્તિએ પાલન કરવું જોઈએ

પગ ધોઈને સૂવાથી બેક્ટેરિયાને શરીરમાં જતા રોકી શકાય છે

બેક્ટેરિયા સૌથી પહેલા પગમાં ચોંટી જાય છે અને આખા શરીરમાં પ્રવેશ કરે છે. તેથી સૂતા પહેલા પગને ધોવાથી બેક્ટેરિયા શરીરમાં પ્રવેશી નથી શકતા. કારણ કે પગ સૌથી વધુ પરસેવો થાય છે.

શરીરનું તાપમાન નિયંત્રિત કરી શકાય છે

સૂતા પહેલા પગને ધોઈને સુવામાં આવે તો આપણા શરીરનું તાપમાન નિયંત્રિત થાય છે અને શરીરમાં કોઈપણ પ્રકારની થાક અને ચિંતાને ઘટાડી શકાય છે. આ સિવાય માનસિક શાંતિ મળે છે અને ઘા ઊંઘ પણ આવે છે.

પગ ધોઈને સૂવાથી બીમારીઓ ઓછી થાય છે

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સૂતા પહેલા પગ ધોઈ લો કારણ કે આપણી આસપાસના લોકોને બીમારીનો ખતરો ઓછો થઈ જાય છે. હકીકતમાં, વાયરસ અને બેક્ટેરિયા પગના ઘણા ભાગોમાં તરત જ પ્રવેશ કરે છે અને ગંદા પગ સાથે સૂવાથી ઘરના અન્ય સભ્યોને પણ બીમારીઓનો ખતરો વધી જાય છે. એટલા માટે હંમેશા તમારા પગ ધોયા પછી જ સૂવાની પ્રથા છે.

જો તમે શાસ્ત્રોમાં નથી માનતા તો પણ હંમેશા તમારા પગ ધોયા પછી જ સૂવાની આદત બનાવો, જેથી રાત્રે ઊંઘ સારી આવે, રોગોનો ખતરો ઓછો થઈ શકે અને માનસિક શાંતિ જળવાઈ રહે. આ જાણકારી ગમી હોય તો રસોઇ ની દુનીયા સાથે જોડાયેલા રહો.