અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

યોગ 100થી વધુ રોગની એક દવા છે, જેનાથી તમે માત્ર સાંધાનો દુખાવો જ નહીં પરંતુ કેટલીય બીમારીઓને દૂર રાખી શકો છો. જો તમે અઘરાં આસન કરવા નથી માંગતા તો સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, મેડિટેશનને પોતાની લાઇફસ્ટાઇલનો ભાગ બનાવી શકો છો.  આ ઉપરાંત સવાર-સાંજ 20-30 મિનિટનું વૉકિંગ પણ તમારા સાંધાને સ્વસ્થ રાખશે.

સાંધાના દુખાવાને ઘટાડવાનો પ્રથમ અને સૌથી મહત્વનો રસ્તો એ છે કે શરીરને સ્થિર કરવાને બદલે તેનો શક્ય તેટલો ઉપયોગ કરવો. જ્યારે વ્યક્તિ શરીરને ખૂબ આરામ આપે છે, ત્યારે બેઠાડુ દિનચર્યા તેના સ્નાયુઓ, હાડકા અને રજ્જૂને નબળા પાડે છે અને સાંધાને ટેકો આપવામાં અસમર્થ બને છે.

શરીર માટે નિયમિત હલનચલન અથવા કાર્યશૈલી હોવી જરૂરી છે જેથી સાયનોવિયલ પ્રવાહી શરીરમાં સારી રીતે પરિભ્રમણ કરે, જે સાંધાની આસપાસની કોમલાસ્થિને સ્વસ્થ અને પોષણયુક્ત રાખે છે. તો ચાલો જાણીએ કેટલીક યોગ ટેકનિક, જેને નિયમિત કરવાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને સાંધાનો દુખાવો પણ નહીં થાય.

1) યષ્ટિકાસન: આ સૌથી સરળ અને સૌથી ફાયદાકારક આસન છે. તમે સવારે ઉઠતાની સાથે જ પથારીમાં પણ આ કરી શકો છો. સીધા સૂઈને તમારા હાથને ઉપરની તરફ લંબાવો અને પગને નીચેની તરફ એટલે કે વિરુદ્ધ દિશામાં લંબાવો. આ સરળ આસન શરીરના આખા સાંધાને ખેંચીને દુખાવામાં રાહત આપે છે. રક્ત પરિભ્રમણને સુધારે છે તેમજ શરીર અને મનના તણાવને દૂર કરે છે.

2) પવનમુક્તાસન: યોગનું માનવું છે કે જો શરીરમાં હવા હોય તો તે ખાલી જગ્યામાં પોતાનું ઘર બનાવે છે અને સાંધાના દુખાવામાં વધારો કરે છે. પવનમુક્તાસનના અભ્યાસ દ્વારા આ હવાને બહાર ફેંકી શકાય છે. આ કરવા માટે, જમીન પર સીધા સૂઈ જાઓ, પછી પગને વાળતી વખતે તમારા ઘૂંટણને છાતીની નજીક લાવવાનો પ્રયાસ કરો.

તમારા પગને તમારા હાથથી દબાવો, પેટ પર એવી રીતે દબાણ કરો કે તમે તમારી જાતને ગળે લગાવી રહ્યાં છો. એ જ રીતે થોડો સમય આરામથી શ્વાસ લેતા રહો. આ સરળ આસન તમારા સાંધાના દુખાવાને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થશે .

જાણો આ થોડી બીજી વધુ ટીપ્સ જે સાંધાને મજબૂત બનાવશે. હંમેશા શરીરને સાંભળો, જો ખૂબ જ દુખાવો થતો હોય તો 2 કે 3 દિવસ આરામ કરો જેથી તે સાંધા એકબીજામાં સ્વસ્થ રહી શકે. સવારે સૂર્યપ્રકાશમાં 10 થી 15 મિનિટ બેસીને આનંદ કરો. સાંધાને કાર્યરત રાખવા માટે ચાલવું એ એક સરસ રીત છે.

સૂતી વખતે, વધારાની ગરમી આપવા માટે અસરગ્રસ્ત સાંધાને ઢાંકીને રાખો, જો તે ગરમ રહેશે તો તે ઝડપથી સ્વસ્થ થઈ જશે. આ યોગના આસનોના સહેજ પણ અભ્યાસથી તમારા સાંધાના તમામ દુખાવા ધીમે-ધીમે દૂર થઈ જશે. સ્વસ્થ રહેવા માટે, તમારે નિયમિત અને સમર્પિત રીતે પ્રેક્ટિસ કરવી પડશે.

જો તમને અમારી માહિતી પસંદ આવી હોય તો રસોઈ ની દુનિયા સાથે જોડાયેલા રહો. અહીંયા તમને દરરોજ જીવન ઉપયોગી માહિતી, રેસિપી, કિચન ટિપ્સ, ટ્રિક અને હેલ્થ વિશેની માહિતી મળતી રહેશે.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા