matha no dukhavo
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આપણામાંના લગભગ દરેકને આપણા જીવનમાં અમુક સમયે માથાનો દુખાવો તો થયો જ હોય છે. આ એક સામાન્ય લક્ષણ છે. જ્યારે ઘણા લોકોને તે થોડા સમય પછી જાતે જ મટી જાય છે અને બીજા ઘણા લોકો માટે આ સમસ્યા કાયમી માટે હોય છે. જો કે, માથાનો દુખાવો એ કોઈપણ પ્રકારનો રોગ નથી.

આ માત્ર એક સામાન્ય લક્ષણ છે અને આ સમસ્યા થવાના તેની પાછળ અલગ અલગ કારણો હોઈ શકે છે. માથાનો દુખાવોના સામાન્ય કારણો આ પ્રમાણે છે : અનિદ્રા, હાઈ બ્લડ પ્રેશર, આંખોમાં નબળાઇ આવવી, સાઇનસાઇટિસ, એનિમિયા, ઊંઘનો અભાવ, યોગ્ય આરામનો અભાવ થવો, થાક વગેરે વગેરે.

ખરાબ જીવનશૈલી : માથાના દુખાવા પાછળનું આ સૌથી સામાન્ય કારણ છે. જો માથાનો દુખાવો સતત ચાલુ રહે છે, તો તે અંતર્ગત સ્વાસ્થ્ય સમસ્યાને કારણે હોઈ થઇ શકે છે અને કોઈપણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાને રોકવા માટે તરત જ ડોક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ.

તો તાત્કાલિક માથાનો દુખાવામાંથી રાહત કેવી રીતે મેળવવી અને સામાન્ય માથાનો દુખાવો માટે કેટલાક કુદરતી ઘરેલું ઉપાયો કરી શકાય છે, તે વિશે વિગતવાર માહિતી જાણીશું પણ પહેલા જીવનશૈલીમાં થતા ફેરફારો વિશે જાણીએ.

જીવનશૈલીમાં ફેરફાર : લાઈફ સ્ટાઇલથી જોડાયેલી કેટલીક આદતો તમારા સ્વાસ્થ્યને નક્કી કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. માથાનો દુખાવો અટકાવવા માટે તમારી લાઈફ સ્ટાઇલમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ તે નીચે પ્રમાણે છે.

તમારે દરરોજ રાત્રે ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ઊંઘ લેવી જ જોઈએ. પથારીમાં સૂતા પહેલા તમારા ચહેરાને ધોઈ લો. સારી ઊંઘ માટે સૂવાના સમયે ઓછામાં ઓછા એક કલાક પહેલા કોઈપણ પ્રકારના ગેજેટથી દૂર રહો.

રાત્રે મોબાઈલ ફોન અથવા લેપટોપને માથાની નજીક રાખશો નહિ, જેથી ફોન રિંગ વાગવાથી થતી કોઈપણ પ્રકારની પરેશાની અને રેડિયેશનની હાનિકારક અસરોથી પણ બચી શકાય. શાંતિપૂર્ણ ઊંઘ લેવા માટે ધ્યાન (મેડિટેશન) કરવાનો પ્રયત્ન કરો. ‘અનુલોમ વિલોમ’ અને ‘બ્રહ્મરી પ્રાણાયામ’ જેવી શ્વાસ લેવાની કસરતો લાંબા સમય સુધી માઈગ્રેનમાંથી રાહત અપાવવામાં ખૂબ મદદરૂપ થાય છે.

હાઇડ્રેટેડ રહો : માથાનો દુખાવો ઘટાડવા માટે તમારી જાતને હાઇડ્રેટેડ રાખવી ખૂબ જ જરૂરી છે. તમારે કેફીનયુક્ત ડ્રિન્કના બદલે, તમે પાણી અને તાજા ફળોના જ્યુસ જેવા કે દાડમ વગેરેને તમારા આહારમાં સમાવેશ કરવો જોઈએ.

સાચો ખોરાક ખાઓ : પાલકમાં ફોલિક એસિડ અને વિટામિન-બી વધારે માત્રામાં હોય છે, જે માઈગ્રેનમાં રાહત આપવામાં તમને મદદ કરે છે. કેળા, પપૈયા, સફરજન અને ખાટા ફળો ખાવાથી તમારા મગજમાં નર્વસ સર્કિટને શાંત કરવામાં મદદ મળે છે અને માથાના દુખાવામાં રાહત મળે છે.

અજમો : સામાન્ય શરદી અથવા આધાશીશીને કારણે થતો માથાનો દુખાવા માટે, એક નાના સુતરાઉ કપડામાં અજમાના પાવડરને લપેટીને પોટલી બનાવો. માથાના દુખાવાથી રાહત મેળવવા માટે તેને વારંવાર સુંઘતા રહો.

લીંબુની છાલ : 2 થી 3 લીંબુની છાલ લો, તેને પીસીને એક પેસ્ટ બનાવો અને તમારા કપાળ પર લગાવો. લીંબુની સુગંધ તમારી ઇન્દ્રિયોને શાંત કરે છે અને માથાનો દુખાવો શાંત કરે છે. ઉપરાંત તે ધબકારાથી પણ રાહત આપે છે.

ઠંડો સેક : તમારા માથા અથવા ગરદન પર આઈસ ઇસ પેક દુખાવો થવાની અનુભૂતિને શાંત કરે છે. લીમડાના પાનનો પાવડર : વારંવાર માથાનો દુખાવો થતો હોય તો એક ચમચી લીમડાના પાંદડાનો પાવડર સવારે પાણી સાથે પી જાઓ.

કાળા મરી : 10 થી 12 કાળા મરીના દાણા અને 10 થી 12 ચોખા પાણી સાથે પીસીને એક પેસ્ટ બનાવો. જ્યાં માથાનો દુખાવો થાય છે તે ભાગ પર 15 થી 20 મિનિટ માટે લગાવો.

ભીની આંખના પેક : આંખો પર ભીનું પેક લગાવવાથી માથાના દુખાવાની સાથે સાથે આંખના સ્ટ્રેસમાંથી તાત્કાલિક રાહત મળે છે. સુતરાઉ કાપડની એક પટ્ટીને પાણીમાં (રૂમ ટેમ્પરેચર) ડૂબાડો, તેને સારી રીતે નિચોડી લો (તે ટપકવું ના જોઈએ) અને તેને તમારી આંખો પર મૂકો. રિલેક્સ કરો. 3 થી 5 મિનિટ પછી ફરીથી આ પેકને બદલો. ઓછામાં ઓછા 20 થી 30 મિનિટ માટે આ કામ કરો.

જો કે આ ઘરગથ્થુ ઉપચાર અસરકારક હોય છે, પણ જો તમે અમુક દવાઓ પર હોય અથવા કોઈ સ્વાસ્થ્ય સારવાર ચાલુ હોય તો આમાંથી કોઈ પણ ઉપાયને અનુસરતા પહેલા નિષ્ણાતની સલાહ લો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા