kharta val no upay gujarati ma
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

વાળ આપણી પર્સનાલિટીમાં વધારો કરે છે. વાળ જેટલા મજબૂત, જાડા, લાંબા અને ચમકદાર હશે , તેટલા જ તમારી સુંદરતા વધે છે. જાડા, મજબૂત અને સુંદર વાળ સુંદરતાની નિશાની છે પણ પ્રદૂષણ, ખાવાની ખરાબ આદતો અને તણાવને કારણે આજકાલ વાળ ખરવા એક સામાન્ય સમસ્યા બની ગઈ છે.

જેના કારણે લગભગ દરેક વ્યક્તિ પરેશાન રહે છે. જો કે વાળ ખરવાનું આપણે એક સૌંદર્યની સમસ્યા લાગે છે અને એના માટે આપણે સૌથી મોંઘા શેમ્પૂનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો પણ વાળ ખરતા અટકતા નથી અને ના તો તે ચમકદાર, જાડા અને મજબૂત દેખાય છે.

વિપરીત, શેમ્પૂ, કન્ડિશનર અને બીજા રસાયણોનો વધારે પડતો ઉપયોગ કરવાથી વાળને ઘણું નુકસાન પહોંચે છે. પણ શું તમે જાણો છો કે આપણા આહારની વાળ પર ઘણી અસર પડે છે? જવાબ છે હા, તંદુરસ્ત, લાંબા અને મજબૂત વાળ માટે તમારા આહારમાં પોષક તત્વો હોવા ખુબ જરૂરી છે.

આ સ્થિતિમાં, તમે તમારા દૈનિક આહારમાં માત્ર 3 ખોરાકનો સમાવેશ કરીને સરળતાથી વાળ ખરવાની સમસ્યા સામે લડી શકો છો. સાથે – સાથે તેને ખાવાથી તમારા વાળ જાડા અને લાંબા થાય છે. ચાલો જાણીએ આ 3 જાદુઈ ખોરાક શું છે.

નાળિયેર તેલ : નાળિયેર તેલ એક જાદુઈ તેલ છે. આ જાદુઈ તેલમાં તમારા વાળને લગતી દરેક સમસ્યાનો હલ ધરાવે છે. નાળિયેર તેલ માત્ર વાળ માટે જ નહીં, પણ ત્વચા માટે પણ પૌષ્ટિક અને ફાયદાકારક છે. નાળિયેર તેલ કુદરતી રીતે તમારા વાળને નરમ, કાળા, જાડા અને મજબૂત બનાવે છે.

નાળિયેર તેલમાં રસોઈ રાંધવાનો ભારતનો લાંબો ઇતિહાસ છે. તેને ખોપરી ઉપરની ચામડી પર લગાવવા સાથે, વાળ ખરતા અટકાવવા અને વાળને ચમકદાર બનાવવા માટે થાય છે. પરંતુ શું તમે જાણો છો કે નાળિયેરનું તેલ ખાવાની સાથે વાળ ખરતા અટકાવવામાં ફાયદાકારક છે,

કારણ કે તે લૌરિક એસિડથી ભરપૂર છે, જે આપણા વાળમાં પ્રોટીન જાળવી રાખવા માટે જવાબદાર છે, જે વાળને ખરતા અટકાવવા અને તૂટફૂટમાં મદદ કરે છે. વધુમાં, તેમાં એન્ટીઓકિસડન્ટ હોય છે, જે ફરી રેડિકલ ડેમેજ સામે લડે છે.

આમળાં : આમળા એક ઔષધિ છે. વિટામિન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, કેરોટિન, વિટામિન બી, ફાઈબર અને કાર્બોહાઈડ્રેટ જેવા તત્વો તેમાં ભરપૂર માત્રામાં જોવા મળે છે. આમળાને વાળ માટે વરદાનરૂપ માનવામાં આવે છે.

અમારે તમને આમળા વિશે જણાવવાની જરૂર નથી કારણ કે વિટામિન સી થી ભરપૂર આ લીલા રંગનું ફળ લગભગ દરેક ભારતીય રસોડામાં જોવા મળે છે. તેને ખાવાથી અને લગાવવાથી તમારા વાળ ખરતા અટકે છે.

આમળામાં વિટામિન સી અને એન્ટીઓકિસડન્ટ હોય છે, જે બંને રેડિકલ ડેમેજ સામે લડે છે અને વાળના ફોલિકલ્સનું રક્ષણ કરે છે, જેનાથી વાળ ખરતા અટકે છે. જો તમે ઇચ્છો તો તેનો રસ પી શકો છો અથવા તમે તેનો રસ અને પાવડર બનાવીને તેને ત્વચા અને માથાની ચામડી પર લગાવી શકો છો.

મેથી દાણામેથીના દાણાને એક આયુર્વેદિક ખજાનો માનવામાં આવે છે જેનો ઉપયોગ ઘણા ઘરેલુ ઉપચારમાં થાય છે. તેને પેટ અને સાંધાના દુખાવા માટે અમૃત માનવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે તે વાળને મજબૂત બનાવવા અને તેમના વિકાસ માટે પણ ફાયદાકારક છે.

તે પ્રોટીન અને નિકોટિનિક એસિડથી ભરપૂર છે, જે બંને તત્વો વાળને ખરતા અટકાવે છે અને વાળને મજબૂત બનાવે છે. તે આવશ્યક વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર હોય છે જે તમારા વાળને કુદરતી રીતે ચમકાવે છે. મેથી એક એવો મસાલો છે, જેનો ઉપયોગ માત્ર ભોજનમાં જ નહિ, પણ તમારા વાળ પર મેથી લગાવીને પણ ઘણો ફાયદો મળે છે.

આ ફૂડ સિવાય, તમારા આહારમાં કોલેજનના ઉત્પાદનને પ્રોત્સાહન આપતા ખોરાકનો સમાવેશ કરો. સાથે વાળની ​​સંભાળ માટે સારી પ્રોડક્ટનો ઉપયોગ કરો અને તમારા જીવનમાં કસરતને પણ ઉમેરો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા

One reply on “આ 3 વસ્તુનો ઉપયોગ કરી વાળને કાળા, જાડા, મજબૂત અને વાળને ખરતા અટકાવો”