બદલાતી જીવનશૈલીમાં આપણી ખાવાની ખરાબ આદતો અને લાંબા સમય સુધી એક જ જગ્યાએ કામ કરવાને કારણે કબજિયાતની સમસ્યા સતત વધી રહી છે. પેટ સાફ ન હોવાને કારણે કોઈ કામ આપણે મન લગાવીને નથી કરી શકતા. આ સમસ્યાથી બચવા માટે પણ લોકો દવાઓનો સહારો લે છે.
જો કે થોડા સમય માટે દવાઓથી સમસ્યા દૂર થઈ જાય છે, પરંતુ થોડા સમય પછી ફરી પરેશાન થવા લાગે છે. જેમ કે કબજિયાતની સમસ્યા હટવાનું નામ નથી લેતી. જો કબજિયાતની સમસ્યા તમારો પણ પીછો નથી છોડી રહી તો હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી.
કારણ કે આજે અમે તમારા માટે એક એવો જ જોરદાર ઉપાય લઈને આવ્યા છીએ, જેનાથી તમારી સમસ્યા તો દૂર થઇ જશે અને આખી જીંદગી ક્યારેય થશે નહીં. તો ચાલો જાણીએ આ રામબાણ નુસ્ખા કયો છે અને તે કેવી રીતે કામ કરે છે.
કબજિયાત કેમ થાય છે? પેટને સારી રીતે સાફ ના થવું અથવા શરીરમાં પ્રવાહીની ઉણપને કારણે થાય છે કબજિયાતની સમસ્યા થાય છે. કબજિયાત દરમિયાન તમે તાજગી નથી અનુભવી શકતા અને તમને પેટ સંબંધિત સમસ્યાઓ, જેમ કે પેટમાં દુખાવો, ફ્રેશ ના લાગવું, શરીરમાંથી મળ સંપૂર્ણપણે બહાર ન આવવો વગેરે મહેસુસ થાય છે.
આ સિવાય, જો તમને લાંબા સમયથી કબજિયાત રહે છે અને તમે મટાડવાનો પ્રયત્ન નથી કરતા તો તે એક ભયંકર રોગનું રૂપ લઈ શકે છે. તેથી આ સમસ્યાની સારવાર કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કબજિયાત એક એવી સમસ્યા છે કે આવી જલ્દી જાય છે, પણ જવાનું નામ નથી લેતી. બજારની દવાઓ પણ તેને ઠીક કરવામાં વધારે સમય લે છે. તેથી પેટમાં કબજિયાત અને ગેસની સમસ્યામાં આ ઘરગથ્થુ ઉપચાર અપનાવો.
કબજિયાત માટે ઘરેલું ઉપાય : આજની સમયમાં કબજિયાતની સમસ્યામાં વધારો થઇ રહ્યો છે પરંતુ તેને દૂર કરવા માટે તમારે થોડું કામ કરવું પડશે. તમારે લોટમાં માત્ર એક વસ્તુ ઉમેરવાની છે, જે તમારાથી કબજિયાત અને ગેસને હંમેશ માટે દૂર રાખશે. આ માટે તમારે ઓટ્સની જરૂર પડશે.
ઓટ્સને પીસીને પાવડર બનાવીને તેને લોટમાં મિક્સ કરી લો. જો તમને કબજિયાત હોય તો તમારે તમારા લોટમાં ઓટ્સનો લોટ મિક્સ કરીને ખાવાથી કબજિયાતની સમસ્યા દૂર થઈ જાય છે. દરરોજ આવું કરવાથી તમને જરૂર ફાયદો થશે. પરંતુ તમારે આહારમાં જંક ફૂડ અને ઠંડા પીણા લેવાનું ટાળવું પડશે.
ઓટ્સ કબજિયાતમાં કેવી રીતે કામ કરે છે : ઓટ્સ ખૂબ જ પૌષ્ટિક ખોરાક છે. તેમાં ઝિંક, મેગ્નેશિયમ, આયર્ન, વિટામિન બી, આયર્ન અને તેમાં ફાઈબર પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. તેના સેવનથી સુગરના દર્દીઓને ઘણા ફાયદા થઇ શકે છે.
આ સિવાય ઓટ્સના સેવનથી વજન પણ ઝડપથી ઘટાડી શકાય છે. ઓટ્સમાં ભરપૂર માત્રામાં બીટા-ગ્લુકન હોય છે, આ ચીકણો પદાર્થ આપણા આંતરડાને સાફ કરવાનું કામ કરે છે. જેના કારણે કબજિયાત દૂર થાય છે અને ખરાબ કોલેસ્ટ્રોલ આપણા શરીરમાં જમા થતું નથી. તેમાં કાર્બોહાઈડ્રેટ પણ ભરપૂર માત્રા હોય છે, જે તમારા શરીરને એનર્જી આપવાનું કામ કરે છે.
તેમાં ફાઈબર ભરપૂર હોવાને કારણે ખોરાકને પચાવવામાં મદદ કરે છે અને લોહીમાં હાજર ગ્લુકોઝનું સ્તર વધવા દેતું નથી. જો તમે ઘરે બેઠા સારી ક્વોલિટીના ઓટ્સ ઓર્ડર કરવા માંગતા હોવ તો તેની બજાર કિંમત 190 રૂપિયા જેવી છે, જે તમે ઓનલાઇન પણ ઘરે બેઠા ખરીદી શકો છો.
આજની ભાગદોડવાળી અને વ્યસ્ત જીવનશૈલી સાથે ખાવાની આદતોમાં પણ ઘણો બદલાવ આવી રહ્યો છે. એટલા માટે આપણે હંમેશા ઝડપથી બની જાય તેવી રસોઈ રાંધવા માંગીએ છીએ, પરંતુ આપણે હંમેશા તેની સાથે પૌષ્ટિક ખોરાક પણ લેવા માંગીએ છીએ.
ઓટ્સ એક એવો પૌષ્ટિક ખોરાક છે જે આપણું પેટ પણ ભરે છે, સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે અને કબજિયાતની સમસ્યાને દૂર કરે છે. જો તમે પણ કબજિયાતથી પરેશાન છો તો આજથી જ તમારા લોટમાં ઓટ્સનો પાવડર બનાવીને ઉમેરો.