jyotish shastra in gujarati
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

કેટલીક એવી ઘટનાઓ આપણી આસપાસ બનતી હોય છે જે આપણા આવનારા સમય વિશે કંઈકના કંઈક સંકેત આપે છે. ઉદાહરણ તરીકે, જો તમારા ઘરમાં કાગડો બોલે છે તો સમજી લેવું કે આજે તમારા ઘરમાં મહેમાન આવવાના છે. જો બિલાડી ચાલતી વખતે રસ્તો ઓળંગે તો સમજવું કે કોઈ અશુભ સંકેત જણાવે છે.

એ જ રીતે આપણે દિવસમાં એવી પ્રવૃત્તિઓમાંથી પસાર થઈએ છીએ જે કોઈને કોઈ રીતે તમારા ભવિષ્ય તરફ ઈશારો કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આપણા જીવનમાં કેટલાક એવા સંકેતો છે જે ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન થવાનો ઈશારો કરે છે.

જો તમને પણ તમારા ઘરમાં આવા કેટલાક સંકેતો દેખાય તો તમે સમજી લો કે તમારા ઘરમાં પૈસાનો વરસાદ થવાનો છે અને તમે જલ્દી ધનવાન બની શકો છો. તો આવો જાણીએ ઘરમાં પૈસા આવવાના કેટલાક સંકેતો વિશે.

જમણી હથેળીમાં સતત ખંજવાળ આવવી : જો કે ખંજવાળ એક સામાન્ય છે જે કોઈપણ કારણોસર આવી શકે છે. પરંતુ જો તમારી જમણી હથેળીમાં સતત ખંજવાળ આવે છે તો સમજી લો કે જલ્દી જ તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા થવાની છે. જમણા હાથમાં ખંજવાળ ધન નો સંકેત છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ તમારા માટે શુભ સંકેત છે.

કાળી કીડીઓ ઘરમાં આવવી : જો તમારા ઘરમાં અચાનક જ કાળી કીડીઓ આવવા લાગે છે અને તે કંઈક ખાતા જોવા મળે છે તો તે તમારા માટે શુભ સંકેત હોય છે. જો તમે આવું કંઈ કરતા જોવો છો તો તમારા ઘરમાં પૈસા આવવાના છે.

ઘુવડનું દર્શન : ઘુવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે અને તેના દર્શન સામાન્ય માનવામાં આવતા નથી. પરંતુ જો તમને દિવસ દરમિયાન ક્યારેય ઘુવડ દેખાય તો સમજી લેવું કે જલ્દી જ તમારા ઘરમાં પૈસાનો વરસાદ થવાનો છે.

ઘરમાં પક્ષીઓનો માળો : પક્ષીઓનો માળો ઘણી જગ્યાએ હોય છે પરંતુ જ્યારે તમે તમારા ઘરના કોઈપણ ખૂણામાં પક્ષીનો માળો જુઓ અને તેમાં ઈંડા રાખેલા દેખાય છે તો સમજી લો કે જલ્દી જ તમને ક્યાંકથી પૈસા મળવા લાગે છે. તમારા કોઈપણ અટકેલા પૈસા પાછા મેળવવાનો પણ સંકેત હોઈ શકે છે.

કોયલનો અવાજ : જેમ ઘરમાં કાગડો સવારે બોલવો, સંકેત છે કે તમારા ઘરે મહેમાન આવવાના છે. એવી જ રીતે જો તમે સવારે ઉઠતાની સાથે જ કોયલનો મધુર અવાજ સાંભળો છો તો સમજી લેવું કે તમારા ઘરમાં માતા લક્ષ્મીની કૃપા થવા જઈ રહી છે.

ઘરની બહાર નીકળતાની સાથે જ કોઈને ઝાડુ લગાવતા જોવું : જ્યોતિષમાં ઝાડુને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેને ક્યારેય ખોટી દિશામાં ના રાખવું જોઈએ અને ક્યારેય સાવરણીને પગ થી મારવું જોઈએ. શાસ્ત્રોમાં સાંજના સમયે ઝાડુ લગાવાની મનાઈ છે.

તેવી જ રીતે જો તમે ઘરની બહાર જઈ રહ્યા હોવ અને તમે કોઈને ઝાડુ મારતા જુઓ તો સમજી લો કે જલ્દી જ દેવી લક્ષ્મીની કૃપા વરસવા જઈ રહી છે.

જો આમાંથી કોઈ પણ સંકેત તમારા ઘરમાં પણ જોવા મળે તો સમજી લેવું કે જલ્દી જ તમારું ભાગ્ય બદલાવાનું છે અને તમારા ઘરમાં ક્યાંકથી પૈસા આવવાના છે. જો તમને આ માહિતી પસંદ હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા