jamin par besine khavana fayda
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

ઘણી વાર લોકો ડાઇનિંગ ટેબલ, સોફા પર અથવા બેડ પર બેસીને જમતા હોય છે. અને જમે પણ કેમ નઈ, જ્યારે તમને ખોરાક ખાવાના સ્વાદની સાથે આરામ પણ મળી રહ્યો હોય. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શાસ્ત્રોમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જમીન પર બેસીને ખાવું હંમેશા આપણા માટે કેમ ફાયદાકારક છે?

શું તમે કોઈ દિવસ એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે જમીન પર બેસીને ખાવામાં આવેલો ખોરાક માત્ર શરીરને જ નહીં પણ આપણા મન અને મગજને પણ ફાયદો પહોંચાડે છે. ખરેખર શાસ્ત્રોમાં આવી ઘણી વસ્તુઓ કહેવામાં આવી છે જેના વિશે મંથન કરવું અને તેની ઊંડાઈમાં જવું થોડું અઘરું છે, પરંતુ જ્યારે તમે તેના વિશે વિચારો ત્યારે તેની ઊંડાઈ અને સત્ય કંઈક અલગ જ હોય છે. તો ચાલો જાણીએ કે શાસ્ત્રો શું કહે છે જમીન પર બેસીને ખાવા વિશે?

શાસ્ત્રો નું માનો તો જયારે તમે જમીન પર બેસીને ભોજન કરો છો ત્યારે શરીર સીધું પૃથ્વીના સંપર્કમાં આવે છે અને પૃથ્વીના તરંગો પગની આંગળીઓ દ્વારા આખા શરીરમાં ફેલાઈ જાય છે. આ તરંગો શરીરને સકારાત્મક ઉર્જા પ્રદાન કરવા સિવાય શરીરની તંદુરસ્તી જાળવવામાં પણ મદદ કરે છે.

એવી જ રીતે, જ્યારે આપણે જમીન પર બેસીને લાકડાની સીટ પર ભોજન કરીએ છીએ, ત્યારે સૂક્ષ્મ પ્રમાણમાં તેજતત્વ પ્રબળ તરંગોની ગતિ થાય છે. આ તરંગોની ગતિથી ગરમ ઉર્જા પેદા થાય છે. આ ઉર્જા પૃથ્વીમાંથી નીકળીને શરીરમાં પ્રવેશે છે અને શરીરને પણ શક્તિ આપે છે.

શાસ્ત્રો અનુસાર શરીરને ઉર્જા પ્રદાન કરનારી આ તરંગો અનેક પ્રકારની શક્તિઓને જોડીને એકસાથે શરીરમાં પ્રવેશ કરે છે અને ઘણા રોગોથી બચાવે છે. બીજી માન્યતા મુજબ જ્યારે કોઈ વ્યક્તિ જમીન પર બેસીને ખાય છે ત્યારે તે સુખસાનામાં બેસે છે અને આ મુદ્રામાં બેસવાથી પાચન ક્ષમતા વધારો થાય છે. એટલું જ નહીં પીઠના નીચલા ભાગ અને પેટની આસપાસના સ્નાયુઓમેં ખેંચાણ આવે છે અને પેટ સબંધિત બીમારીઓથી રાહત મળે છે.

શાસ્ત્રોમાં ભોજનની જગ્યા વિષે જણાવવામાં આવ્યું છે કે ભોજન માટે શ્રેષ્ઠ સ્થાન રસોડું છે. આ માન્યતાને કારણે પહેલાના જમાનામાં લોકો ઘરના રસોડામાં જમીન પર બેસીને ખાતા હતા. પરંતુ અત્યારના સમયમાં રસોડાની નાની જગ્યાને કારણે ત્યાં બેસીને ખાવાનું મુશ્કેલ બની ગયું છે.

આ સ્થિતિમાં તમે બીજા કોઈપણ રૂમમાં જમીન પર બેસીને ભોજન કરી શકો છો. ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે ખોરાક ખાવાની જગ્યા હંમેશા સ્વચ્છ હોવી જોઈએ અને ખોરાક લેતા હોય ત્યારે આસપાસનું વાતાવરણ સુખદ હોવું જોઈએ. આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તે આપણા વિચારો પર મોટી અસર પડે છે.

શાસ્ત્રો અનુસાર ભોજન કરતી વખતે ચહેરાની દિશા ઘણું મહત્વ ધરાવે છે. જો શક્ય હોય તો, ભોજન કરતી વખતે પૂર્વ અથવા પશ્ચિમ દિશા તરફ બેસો. પૂર્વ દિશા અગ્નિ તત્વની પૂરક છે અને શાસ્ત્રોમાં ખોરાકને યજ્ઞકર્મ સ્વરૂપ તરીકે બતાવવામાં આવ્યું છે. જ્યારે આ યજ્ઞ કર્મ પૂર્વ દિશામાં તેજની ઉર્જાની મદદથી શરીરમાં ફેલાય છે, ત્યારે આ ભોજન ખોરાકની પાચનની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદ કરે છે.

ભોજન કરતી વખતે ક્યારેય દક્ષિણ દિશા તરફ ના બેસવું જોઈએ. દક્ષિણ દિશામાં યમ તરંગોના પ્રભુત્વને કારણે રાજા-તમ-પ્રબળ તરંગોના અશુદ્ધ વિસ્તારમાં બેસીને ખોરાકને દૂષિત ના કરવો જોઈએ. યમ તરંગો ધરાવતો ખોરાક ખાવાથી અસંતુષ્ટ આત્માઓને દુઃખી થવાની શક્યતા રહે છે, એટલા માટે આ એક નિયમ છે કે આપણે દક્ષિણ દિશા તરફ બેસીને ખોરાક ના ખાવો જોઈએ.

શાસ્ત્રો અનુસાર પગ ધોયા પછી જમવા બેસો : શાસ્ત્રોમાં લહ્યું છે કે જમવા બેસતા પહેલા ચહેરો, હાથ અને પગ ધોઈને બેસો. ખાસ કરીને ત્રણ વખત તમારા ચહેરાને પાણીથી ધોયા પછી તમારા પગ ભીના કરીને જમવા બેસો. જમતી વખતે ચહેરો, હાથ અને પગ ભીના હોવા જોઈએ કારણ કે તેનાથી તમારું આયુષ્ય વધે છે.

સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પણ જમતા પહેલા ચહેરો, હાથ અને પગ ધોવાથી તેના પરના ધૂળના કણો દૂર થાય છે અને તે ખોરાકમાં શુદ્ધતા જાળવી રાખે છે. શું કહે છે નિષ્ણાતો તો, જમીન પર બેસીને ખાતી વખતે પગને વાળીને બેસવું એ એક જૂની ભારતીય પરંપરા છે જે આજે પણ કેટલાક લોકો પાલન કરે છે.

જો કે અત્યારના જમાનામાં હવે ટેબલ અને ખુરશીઓમાં ખાવાનું પસંદ કરવાનું શરૂ કર્યું છે. હા તે ચોક્કસપણે આરામદાયક છે, પણ તે તમારા સ્વાસ્થ્ય માટે જરૂરી નથી. જમીન પર બેસીને ખાવાના ઘણા બધા ફાયદા છે અને તેનાથી આપણા સ્વાસ્થ્યને પણ ઘણો ફાયદો થઈ શકે છે.

પાચન : પગને વાળીને જમીન પર બેસવું એ યોગાસન જ છે જે સુખાસન તરીકે ઓળખાય છે જે ખોરાકને સરળતાથી પાચન કરવામાં મદદ કરે છે. જ્યારે તમે તમારી પ્લેટ જમીન પર મુકો છો અને ખાવા માટે સહેજ આગળ વળો છો અને તમારી મૂળ સ્થિતિ પર પાછા આવો છો ત્યારે તે પેટના એસિડના સ્ત્રાવને વધારવામાં મદદ કરે છે જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે.

વજન ઓછું કરવું : જ્યારે તમે જમીન પર બેસો છો ત્યારે તમારું મન આપમેળે જ શાંત થઇ જાય છે અને તમે ખાવા પર ધ્યાન કેન્દ્રિત કરો છો. આ સ્થિતિ તમારા શરીરમાં હલનચલનને વધારે છે. આ રીત દરરોજ પણે પાલન કરવાથી તમને વજન ઓછું કરવામાં મદદ મળે છે કારણ કે તે તમને વધારે ખાતા અટકાવે છે.

તણાવ દૂર કરે : પદ્માસન અને સુખાસન ધ્યાન માટે એક આદર્શ સ્થિતિ છે અને બંને મનથી તણાવને દૂર કરવામાં મદદ કરે છે. તેથી જમીન પર બેસીને ખાવાથી તમારા મનને શાંત કરવામાં મદદ મળશે અને તમારું શરીર બધા પોષણને સ્વીકારશે.

રક્ત પરિભ્રમણ વધારે છે : જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે આપણા પેટને પચાવવા માટે જેટલી ઉર્જા ખર્ચ થાય છે તેના કરતા વધારે ઉર્જાની જરૂર પડે છે, જેના કારણે ઘણા લોકોને ખાતી વખતે પરસેવો થવા લાગે છે. જમીન પર બેસીને જમવાથી હૃદયમાં રક્ત પરિભ્રમણનો ફાયદો થાય છે કારણ કે પાચન માટે જરૂરી તમામ અવયવોમાં હૃદય સરળતાથી લોહી પહોંચાડે છે.

શરીરની મુદ્રામાં સુધારો : જમીન પર સુખાસનમાં બેસવાથી તમારા સ્નાયુઓને રાહત મળે છે અને તમારી શરીરની સારી મુદ્રા જાળવવામાં મદદ મળે છે. કોઈપણ આધાર વગર ઉઠવાની કળાનો અભ્યાસ કરવાથી તમારા શરીરને શક્તિ મળે છે અને તમે લચીલાપણું અનુભવો છો.

આ રીતે જ્યારે પણ તમે જમીન પર બેસીને ભોજન કરો છો ત્યારે તે તમને તમારા શરીરની સાથે સાથે માનસિક સંતોષ પણ આપે છે. તેથી શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ આપણે જમીન પર બેસીને ખોરાક લેવો જોઈએ.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા