jambu khavana fayda in gujarati
વધુ માહિતી મેળવવા અમારી સાથે જોડાઓ
WhatsApp Group Join Now

આજે આપણે જોઇશું જાંબુનાં ઠળિયા નું સેવન કરવાથી થતા ફાયદાઓ વિશે સાથે આપણે એ પણ જોઈએ કે જાંબુ કઈ વ્યક્તિએ કેવા સમયે ન ખાવા જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ એક પારંપરિક ઔષધી છે. જાંબુને ડાયાબિટિશના રોગીઓ માટેનું જ ફળ કહેવામાં આવે છે. જાંબુના ઠળિયા, જાંબુની ઝાડની છાલ, ગર્ભ બધુ જ ડાયાબિટિશના દર્દીઓ માટે ફાયદાકારક છે.

હવામાનને અનુરૂપ જાંબુનો ઉપયોગ ઔષધિના રૂપમાં ખુબ જ કરવો જોઈએ. જાંબુના ઠળિયાને એકત્રિત કરી લેવા, કારણકે જાંબુના ઠળિયાને ચૂર્ણ બનાવીને તેનું સેવન કરવાથી ડાયાબિટીસ માટે રાહત થતી હોય છે. જે કંઈ તમારા લોહીમાં સુગર રહેલો છે, તેે ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

જાંબુનું સેવન કરવાથી તમારા લોહીમાં શુગર રહલો છે તે, યુરીન મારફતે બહાર નિકળશે.જેના કારણે તમારો ડાયાબિટીસ એકદમ કન્ટ્રોલમાં આવી જાય છે. આવી રીતે ડાયાબીટીસ જડમૂળથી ખતમ કરવાનું કામ જાંબુના ઠળિયાનું ચુર્ણ કરે છે. જાબુમાં રહેલા ઍસિડ દ્રવ્યો પથરીને ઓગાળવાનો ગુણ ધરાવે છે.ખાસ કરીને જે બાળકોને સ્લેટની પેન તથા ચોક ખાવાની આદત છે, એ લોકોએ સેવન જરૂર કરવું જોઈએ. આમ કરવાથી એ લોકોને જરૂર ફાયદો થતો હોય છે.

ગર્ભવતી મહિલાઓએ ક્યારેય જાંબુનું સેવન ન કરવું જોઈએ. સાથે-સાથે જાંબુનું ખાલી પેટે ક્યારેય સેવન ન કરવું જોઈએ. આ ઉપરાંત જાંબુ ખાધા બાદ ક્યારેય પણ દૂધનું સેવન તમારે ન કરવું જોઈએ. વધારે માત્રામાં જાંબુનું સેવન કરવાથી બચવું જોઇએ, કારણ કે વધારે પડતાં જાંબુ ખાવા થી ફાયદા ની જગ્યાએ તમને નુકસાન પણ થઈ શકે છે.

જાંબુમાં એન્ટી કેન્સર ના ગુણ પણ મળી આવે છે. આ કીમોથેરપી અને રેડિએશનના પણ ખૂબ જ ફાયદાકારક સાબિત થતા હોય છે. જાંબુમાં વિટામિન સીનું પ્રમાણ હોય છે. જેના સેવનથી શરીરમાં વિટામિન સીની કમી હશે તો દૂર થઈ જાય છે. જો તમને સાંધાની સમસ્યાથી પીડાઈ રહ્યા છો, તો જાંબુની છાલ ને પાણીમાં ઉકાળો. પછી પાણીને ગાળી લો અને જે ઉપર જાંબુની છાલ છે તેનો લેપ બનાવીને ઘૂંટણ પર અથવા તો જ્યાં દુખાવાની સમસ્યા છે, તે જગ્યાએ લેપ લગાવી દો. તમને જરૂર ફાયદો થશે.

જાંબુમાં મળી આવતાં ગ્લુકોઝ અને પ્રેકટોસ નાં ફોર્મ માં મળી આવતી સુગર તમારા શરીરને હાઈડ્રેટ કરવાની સાથે જ રીફ્રેશ  પણ કરે છે. જેનાથી તમારું સુગર કંટ્રોલમાં રહે છે. જો તમે તમારી સ્કિન ગ્લો મેળવવા ઈચ્છતા હોય, તમારી સ્કિન એકદમ ચમકદાર બનાવવા ઈચ્છતા હોય, તો જાંબુના પલ્પ ની પેસ્ટ બનાવો અને દૂધ થોડું મિક્સ કરી દો.

અને ત્યાર બાદ સ્કિન પર થોડીવાર માટે એટલે કે પંદરથી વીસ મિનિટ લગાવીને રાખી દો અને ત્યારબાદ થોડું નવશેકા પાણીથી તમારી સ્કિન ધોઈ દો. આ કરવાથી તમારી સ્કિન ફેસિયલ કરેલું હોય એવીજ બની જાય છે. આમ કરવાથી સ્કિન ફેશિયલ કરેલું હશે એવી બની જશે.

તમને કબજિયાતની સમસ્યા રહેતી હોય તો એવા સમયે તમારે જાંબુનું સેવન જરુર કરવુ જોઇએ, કારણ કે જાંબુના સેેેેવણ થી કબજિયાત મા રાહત રહેતી હોય છે. જો તમણે એસીડીટીની સમસ્યા રહેતી હોય તો, સીડીટીની સમસ્યાથી છુટકારો મેળવવા માટે કાળા મરી અને શેકેેલૂ જીરૂૂ  બન્ને જાંબુ સાથે મિક્સ કરીને સેવન કરવાથી તમને જરૂર ફાયદો થશે.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા અભિપ્રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગુજરાતી ભાષામાં આવી અવનવી માહિતી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો  રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા