સાદું પાણી પીવાથી કંટાળી ગયા હોવ તો આ રીતે બનાવો એક સ્વાદિષ્ટ ઇન્ફ્યુઝ્ડ પાણી, સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી છુટકારો મળશે

infused water recipes and benefits
અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે. શરીરમાં પાણીની કમી હોય તો ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. જો કે દરેક વ્યક્તિના શરીરની પાણીની જરૂરિયાત અલગ-અલગ હોય છે, પરંતુ તેમ છતાં, સામાન્ય રીતે, વ્યક્તિએ દિવસમાં ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી પીવાની સલાહ આપવામાં આવે છે.

દિવસ દરમિયાન પૂરતું પાણી પીવાથી તમારા શરીરમાંથી ઝેરી તત્વોને દૂર કરે છે, પરંતુ તે બીજી ઘણી પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને પણ દૂર રાખી શકે છે. જો કે, એક હકીકત એ પણ છે કે ઘણા લોકોને સાદું પાણી પીવું ખૂબ કંટાળાજનક લાગે છે.

એવા લોકો ત્યારે જ પાણી પીવે છે જયારે તેઓને તરસ લાગે છે અને માત્ર બે-ચાર ચુસ્કી જ પીવે છે, જેના કારણે તેમના શરીરની પાણીની જરૂરિયાત પૂરી થતી નથી. આવી સ્થિતિમાં, તેઓ માટે ઇન્ફ્યુઝ્ડ પાણી પીવું એક સારો વિચાર હોઈ શકે છે.

તે પાણીને વધારે સ્વાદિષ્ટ બનાવે છે અને આ પાણી પીવાથી તમે પણ દિવસ દરમિયાન પૂરતું પાણી પણ પી શકો છો. તો આજે આ આર્ટીકલમાં અમે તમને જણાવી રહ્યા છીએ કે ઇન્ફ્યુઝ્ડ વોટર શું હોય છે અને તે સામાન્ય પાણીથી કેટલું અલગ છે.

ઇન્ફ્યુઝ્ડ વોટર શું છે? ઇન્ફ્યુઝ્ડ વોટર અને સાદા પાણીના વચ્ચેનો તફાવત જાણતા પહેલા, તમારે ઇન્ફ્યુઝ્ડ વોટર વિશે પણ જાણવું જરૂરી છે. વાસ્તવમાં ઇન્ફ્યુઝ્ડ વોટર સામાન્ય પાણીની મદદથી તૈયાર કરવામાં આવતું એક પાણી જ છે.

આ પાણીને તૈયાર કરવા માટે તેમાં ઘણા પ્રકારના ફળો અને શાકભાજી અને જડીબુટ્ટીઓને સાદા પાણીમાં મિક્સ કરવામાં આવે છે. જ્યારે આ ફળો-શાકભાજી અને જડીબુટ્ટીઓ પાણીમાં મિક્સ કરવામાં આવે છે ત્યારે તે પાણીના ટેસ્ટમાં ફેરફાર કરે છે. આ સાથે, આ ઇન્ફ્યુઝ્ડ પાણી ખૂબ જ ફ્રેશ લાગે છે.

ટેસ્ટમાં તફાવત : જ્યા સાદા પાણીમાં કોઈ ટેસ્ટ ન હોવાને કારણે મોટા ભાગના લોકો તેને વધારે પી શકતા નથી અને ઇન્ફ્યુઝ્ડ પાણી સ્વાદિષ્ટ હોય છે. આ પાણીમાં વિવિધ જડીબુટ્ટીઓ અને ફળોનો સ્વાદ આવવાને કારણે તે પીવામાં સરસ લાગે છે. ઇન્ફ્યુઝ્ડ પાણી પીવાનો એક ફાયદો એ છે કે તમે તમારી પસંદગીની જડીબુટ્ટીઓ મિક્સ કરીને તમારી મુજબ ટેસ્ટી બનાવી શકો છો.

સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી છુટકારો મળશે : જ્યાં સામાન્ય પાણી શરીરને ડિહાઇડ્રેશનથી બચાવે છે અને માથાનો દુખાવો વગેરે જેવી સમસ્યાઓથી રાહત આપે છે. તે જ સમયે, ઇન્ફ્યૂઝડ પાણી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે.

જો તમે ઇચ્છો તો તમારી સ્વાસ્થ્ય સમસ્યાઓ અનુસાર ઇન્ફ્યુઝ્ડ વોટર તૈયાર કરી શકો છો. ઉદાહરણ તરીકે, ગ્રીન ટી, ફુદીનો અને લીંબુથી તૈયાર કરવામાં આવેલું પાણી ચરબી બર્ન કરવા માટે, પાચન સબંધિત સમસ્યાઓ માટે, માથાનો દુખાવો અને માઉથ ફ્રેશનર માટે ફાયદાકારક છે.

એ જ રીતે, તમે સ્ટ્રોબેરી અને કીવીમાંથી તૈયાર કરવામાં આવેલું પાણી હૃદયના સ્વાસ્થ્યથી લઈને રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે સારું માનવામાં આવે છે. તો તમે તમારી મુજબ ઇન્ફ્યૂઝડ પાણી તૈયાર કરી શકો છો.

એક તાજગીનો અહેસાસ થાય છે : જ્યારે તમે સાદું પાણી પીઓ છો ત્યારે માત્ર તમારી તરસ જ છીપાય છે, પરંતુ ઇન્ફ્યૂઝડ પાણી માત્ર તમારી તરસ છીપાવવાની સાથે તમને તાજગીનો અહેસાસ પણ આપે છે. ઘણી વખત લોકો કામમાં થાકને કારણે ચા-કોફી પીવે છે.

પરંતુ ચા અને કોફી વધારે પીવું સ્વાસ્થ્ય માટે ખરાબ છે, તો તમે તેના બદલે આ હેલ્ધી વિકલ્પ પસંદ કરી શકો છો, તમે આ ઇન્ફ્યૂઝડ વોટર પી શકો છો. ઇન્ફ્યુઝ્ડ વોટર ટેસ્ટમાં ખૂબ સારું હોય છે, તેથી લોકો તેનું વધારે સેવન કરે છે, જેના કારણે શરીરમાં પાણીની કમી દૂર થાય છે.

જો તમે પણ દિવસ દરમિયાન પૂરતું પાણી પી શકતા નથી તો તમે આ સ્વાદિષ્ટ પાણી પી શકો છો. જો તમને આ લેખ ગમ્યો હોય તો રસોઈનીદુનિયા સાથે જોડાયેલા રહો.