અવનવી રેસિપી અને ટિપ્સ જાણવાા અમારી સાથે જોડાઓ.
WhatsApp Group Join Now

આજના સમયમાં દરેક મહિલાઓ ઇચ્છતી હોય છે કે તે પોતાની વધતી ઉંમરની સાથે પણ સુંદર અને યુવાન રહે અને આ માટે તેઓ પોતાની સુંદરતાનું પણ પૂરું ધ્યાન રાખે છે. લાંબા સમય સુધી યુવાન અને સુંદર રહેવા માટે તેઓ મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરે છે અને બ્યુટી પાર્લરમાં પણ ઘણા પૈસા ખર્ચ કરે છે.

પરંતુ વધતી જતી ઉંમર સાથે મહિલાઓની સુંદરતા પણ ઘટવા લાગે છે જેના લીધે ઘણી મહિલાઓ ખૂબ પરેશાન થઈ જાય છે. વધતી ઉંમરને સાથે કુદરતી સૌંદર્ય ગુમાવવાનું શરૂ થાય છે પણ દરેક સ્ત્રી ઈચ્છે છે કે તેની સુંદરતા ઓછી ન થાય અને તે પોતાની વધતી ઉંમરમાં પણ યુવાન દેખાય.

પરંતુ વૃદ્ધ થયા પછી ચહેરા પર નિશાન આવા એક સામાન્ય સમસ્યા છે. વધતી ઉંમરમાં ચહેરા પર કરચલીઓ સૌથી પહેલા દેખાવા લાગે છે પણ તણાવ, ખોટું આહાર, ખોટી જીવનશૈલી અને અન્ય ઘણા કારણોસર, ઉંમર પહેલા જ ચહેરા પર નિશાન દેખાવા લાગે છે.

પરંતુ તમારે પરેશાન થવું જોઈએ નહીં કારણ કે તમારા આહારમાં કેટલીક એવી વસ્તુઓ શામેલ કરવાથી, તમે કરચલીઓથી બચી શકશો સાથે તમે વધતી ઉંમરમાં પણ યુવાન અને સુંદર દેખાશો. તમે કદાચ માનશો નહીં પણ તે સાચું છે.

આયુર્વેદમાં કેટલીક એવી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેને ખાવાથી મહિલાઓ વધતી ઉંમરની સાથે સુંદર, યુવાન અને સ્વસ્થ રહી શકે છે તો ચાલો જાણીએ તે વસ્તુઓ વિશે.

ત્રિફળા ચુર્ણ

ત્રિફલા ચૂર્ણ સૌથી ચમત્કારી ચુર્ણ છે. તેને નિયમિત લેવાથી 100 થી વધુ રોગોથી દૂર રહી શકો છો. ત્રિફળા તમામ પ્રકારના વાત-પિત્ત અને કફ રોગોનો નાશ કરે છે અને રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેને દરરોજ ખાવાથી વૃદ્ધાવસ્થા દૂર થાય છે અને તમે લાંબા સમય સુધી યુવાન દેખાવ છો.

આંબળા 

દરરોજ આંબળાનો રસ, મુરબ્બો અથવા તેનું ચૂર્ણ પાવડરનું સેવન કરો. આ સાથે તમે ઘણી પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓથી દૂર રહી શકો છો અને તે તમને લાંબા સમય સુધી યુવાન રાખવામાં પણ મદદ કરે છે.

આમળા વિટામિન સી થી ભરપૂર હોય છે જે આંખો અને વાળ માટે ખૂબ ફાયદાકારક હોય છે. આમળાની સૌથી સારી બાબત એ છે કે તમે તેનો ઉપયોગ ગમે તે રીતે કરો પરંતુ તેમાં રહેલા વિટામિન સી માં ઘટાડો થતો નથી.

અશ્વગંધા 

થાક અને કમજોરીને દૂર કરવા માટે રોજ દૂધ સાથે અશ્વગંધા અને શતાવર ચૂર્ણ મિક્સ કરીને પીવો. આ કારણે થાક અને નબળાઈ જલ્દી દૂર થશે અને ઊંઘ પણ સારી આવશે. જેના કારણે તમે લાંબા સમય સુધી યુવાન અને સ્વસ્થ બની રહેશો.

કુંવરપાઠુ (એલોવેરા) 

કુંવરપાઠુને સ્વાસ્થ્ય અને ત્વચાની સમસ્યાઓ માટે અમૃત માનવામાં આવે છે. દરરોજ કુંવારપાઠાનો જ્યુસ પીવાથી તમે તમામ પ્રકારના વાત -પિત્ત અને કફના રોગોથી બચી શકો છો અને એલોવેરા ત્વચા માટે ખૂબ ફાયદાકારક છે, તેનું સેવન કર્યા બાદ ત્વચા પર કરચલીઓ થતી નથી અને તમામ પ્રકારના ચામડીના રોગો દૂર થઇ જાય છે.

મધ 

રોજ એક ચમચી મધ સાથે થોડી તજ લેવાથી તમે લાંબા સમય સુધી યુવાન રહી શકો છો. તજ એક પ્રકારનો સ્વાસ્થ્યવર્ધક મસાલો છે અને જો તેમાં મધ ભેળવવામાં આવે તો મધની એનર્જી બમણી થઇ જાય છે. તેને દરરોજ લેવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. મધ એન્ટીબેક્ટેરિયલ તત્વોથી ભરપૂર હોય છે જે શરીર પર બેક્ટેરિયાની અસરને નિષ્ક્રિય કરે છે.

લીમડો

કડવો લીમડો આરોગ્ય અને સુંદરતા માટે વરદાનરૂપ છે. લીમડો હજારો ગુણધર્મોથી ભરેલો હોય છે. લીમડાના 1 થી 2 તાજા પાંદડા ખાવાથી તમે ત્વચા અને દાંતના રોગોથી દૂર રહી શકો છો સાથે આંખોની રોશની વધે છે અને હૃદયરોગ દૂર થાય છે. તમે લાંબા સમય સુધી જુવાન દેખાશો. આજકાલ લીમડાનો ઉપયોગ એલોપેથિક દવાઓ બનાવવામાં પણ થાય છે.

લીંબુ 

લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે વાળ અને આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે. લીંબુને રોજ હૂંફાળા પાણીમાં મિક્સ કરીને પીવાથી વજન ઝડપથી ઘટે છે, તે પેટની ચરબી દૂર કરે છે. આ સિવાય તમને લાંબા સમય સુધી યુવાન રાખે છે.

લીંબુમાં હાજર વિટામિન સી કોલેજનનું ઉત્પાદન વધારે છે અને વિટામિન સી એક એન્ટીઓકિસડન્ટ છે જે ફ્રી રેડિકલ દ્વારા થતા નુકસાનને ઘટાડે છે. વિટામિન સી કોલેજનનું ઉત્પાદન વધારીને કરચલીઓ ઓછી કરે છે. જો તમે પણ વધતી ઉંમર સાથે પણ યુવાન રહેવા માંગતા હોવ તો આજથી જ તમારા આહારમાં આ 7 વસ્તુઓ સામેલ કરો.

તમને અમારી આ પોસ્ટ પસંદ આવી હોય તો આગળ જરૂરથી કરજો, બીજા સુધી આ માહિતી પહોંચે. ગુજરાતી ભાષામાં આવી અવનવી સ્વાસ્થ્ય, ટિપ્સ અને ટ્રીક, રેસિપી જોવા અને નવી- નવી રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં Page” રસોઈ ની દુનિયા ને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો રસોઈ ની દુનિયા.

રસોઇ ની દુનિયા

ગુજરાતી સ્વાદ અને રસોઈની વિવિધ વાનગીઓ ને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરતું પ્લેટફોર્મ! - રસોઇ ની દુનિયા